પડ્યું હોય તે પ્રગટે-માનસી એમ. પાઠક

પડ્યું હોય તે પ્રગટે વ્હાલા પડ્યું હોય તે પ્રગટે
આથમે, ઊગે, ધરબાય ભલે ને અટકે .

.

મનની ભીની ધરતીએ રોજજજે પડતા ચાસ
ઊગી નીકળતું કેટલુંય અડાબીડ, હોય નજીવું કે ખાસ
એક વિચારને પાળો, પોષો, ત્યાં તો બીજો છટકે
પડ્યું હોય તે પ્રગટે.

.

કદીક રહેશે રમમાણ એવું, કદીક ફરશે સંતાતું
રહેશે એવું લીન ભલે તને ન બતાતું
રાખશે તારું ધ્યાન એવું કે તું એનાથી ન ભટકે

પડ્યું હોય તે પ્રગટે.

.

( માનસી એમ. પાઠક )

मेरे एकांत का प्रवेश-द्वार-निर्मला पुतुल

यह कविता नहीं

मेरे एकांत का प्रवेश-द्वार है

यहीं आकर सुस्ताती हूँ मैं

टिकाती हूँ यहीं अपना सिर

ज़िंदगी की भाग-दौड़ से थक-हारकर

जब लौटती हूँ यहाँ

आहिस्ता से खुलता है

इसके भीतर एक द्वार

जिसमें धीरे से प्रवेश करती मैं

तलाशती हूँ अपना निजी एकांत

यहीं मैं वह होती हूँ

जिसे होने के लिए मुझे

कोई प्रयास नहीं करना पड़ता

पूरी दुनिया से छिटककर

अपनी नाभि से जुड़ती हूँ यहीं!

मेरे एकांत में देवता नहीं होते

न ही उनके लिए

कोई प्रार्थना होती है मेरे पास

दूर तक पसरी रेत

जीवन की बाधाएँ

कुछ स्वप्न और

प्राचीन कथाएँ होती हैं

होती है—

एक धुँधली-सी धुन

हर देश-काल में जिसे

अपनी-अपनी तरह से पकड़ती

स्त्रियाँ बाहर आती हैं अपने आपसे

मैं कविता नहीं

शब्दों में ख़ुद को रचते देखती हूँ

अपनी काया से बाहर खड़ी होकर

अपना होना!

.

( निर्मला पुतुल )

.

|| મારા એકાંતનું પ્રવેશ દ્વાર ||

.

આ કવિતા નથી

મારા એકાંતનું પ્રવેશ દ્વાર છે

અહીં આવીને લંબાવું છું હું

અહીં જ ટેકવું છું મારું માથું

જીવનની ભાગદોડથી થાકી – હારી

જ્યારે પાછી ફરું છું અહીં

ધીમેકથી ઊઘડે છે

એની અંદર એક દ્વાર

જેમાં હળવેથી પ્રવેશી

હું શોધું છું મારું અંગત એકાંત

અહીં જ

હું

એ હોઉં છું

જે હોવા માટે

મારે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો

આખી દુનિયાથી છટકીને

પોતાની નાભિનાળ સંગે જોડાઉં છું અહીં

મારા એકાંતમાં

દેવી – દેવતા નથી હોતા

ન તો એમના માટે

કોઈ પ્રાર્થના હોય મારી પાસે

હોય છે દૂર લગી પ્રસરેલો રેત – સાગર

જીવનની અડચણો

થોડાંક સપના

અને પ્રાચીન કથાઓ

હોય છે

એક અસ્પષ્ટ તરજ

પ્રત્યેક યુગમાં જેને

પોતપોતાની રીતે ઝીલતાં

સ્ત્રીઓ જાતમાંથી બહાર આવે છે

હું કવિતા નહીં

શબ્દોમાં સ્વયંને રચતી

જોઉં છું

પોતાના શરીરથી બહાર ઊભી – ઊભી

પોતાનું અસ્તિત્વ…

.

( નિર્મલા પુતુલ )

( હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

जले मन पर एक फूँक-सुनीता करोथवाल

बचपन में घर में दवाई का कोई डिब्बा नहीं था
बस एक फूँक थी
जरा भी दर्द होता
एकदम उनके मुँह से निकलती बिन सोचे समझे।

.

मैं नाजुक सी थी
चलते, उठते, बैठते रोज चोट खाती
बाबा कहते अरे देख तो कीड़ी मार दी
मुझे उसके मरने का अफ़सोस होता
बाबा फूटे घुटने पर तब फूँक मारते
और मैं भूल जाती सबकुछ।

.

माँ चुन्नी पर भफारा भर मेरी आँख सेंकती थी
एक-दो-तीन-चार कर कहती
देख वे आए तेरे मामा के मोर
सब रड़क भूल मैं आसमान निहारती थी।
माँ की फूँक गर्माहट से भर देती थी मुझे।

.

फूँक कभी फूटी कोहनी पर लगती मरहम सी
कभी भाई की टोक पर झाड़ा बन
कभी चूल्हा सुलगाती
कभी दीवा बुझाती
कभी मोमबत्ती की लौ के बाहर-बाहर घूमती थी
कोई सूल भी चुभती तो बहनें फूँक ही मारती थी
जले हाथ पर भी फूँक बर्फ का काम करती रही।

.

मेरे आस-पास कितनी फूँक थी।

.

माँ! मन जलाए बैठी हूँ कुछ दिन से
नया जमाना है
शायद कोई फूँक असर करे
तुम करो ना कुछ।

.

 ( सुनीता करोथवाल )

|| દાઝ્યા મન પર એક ફૂંક ||

.

નાનપણમાં ઘરે કોઈ દવાનો ડબ્બો નહોતો
બસ એક ફૂંક હતી
સ્હેજ પણ દુઃખાવો હોય
અનાયાસ માબાપના મોઢેથી નીકળતી
કશું વિચાર્યા વિના

.

હું નાજુક હતી
ચાલતાં, ઊઠતાં, બેસતાં વાગતું રહેતું
બાપુ કહેતા, ” અરે જો કીડી મરી ગઈ “
મને કીડી મરી જવાનો અફસોસ થતો
બાપુ ઇજા પામેલા ઘૂંટણ પર ફૂંક મારતા
અને હું ભૂલી જતી બધી પીડા

.

બા પાલવમાં ફુંક ભરી મારી આંખને શેક કરતી
‘ એક બે ત્રણ ચાર ‘ બોલી કહેતી
જો, આવ્યા તારા મામાના મોર
હું રડવું ભૂલી આકાશ તરફ જોતી
માની ફૂંક ગરમાવાથી ભરી દેતી મને

.

ફૂંક ક્યારેક ઇજાગ્રસ્ત કોણી પર મલમનું કામ કરતી
ક્યારેક ભાઈને નજર લાગે ત્યારે ઝાડફૂંકનું
ક્યારેક એ ચૂલો સળગાવતી
ક્યારેક દીવો ઓલવતી
ક્યારેક મીણબત્તીની શિખાની આસપાસ ઘુમરાતી
કોઈ શૂળ જેવું ભોંકાતું તો પણ બહેનો ફૂંક જ મારતી
દાઝ્યા હાથ પર પણ ફૂંક બરફનું કામ કરતી

.

મારી આસપાસ કેટલી બધી ફૂંક હતી

.

મા ! મન દઝાડી બેઠી છું થોડાક દિવસથી
નવો જમાનો છે
કદાચ કોઈક ફૂંક અસર કરે
તું કર ને કશુંક…

.

.( સુનીતા કરોથવાલ )

( હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

વલસાડના સતીમાતા મીઠીબાઈ અને તેમનો ગરબો-હિના એમ. પારેખ

હિન્દુ ધર્મમાં શ્રદ્ધાનો અર્થ છે – ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ. શ્રદ્ધા વગર કોઈ પણ પૂજા, જપ કે પ્રાર્થના પૂર્ણ મનાતી નથી.

.

ભગવદ્ ગીતા કહે છે કે જે કોઈ શ્રદ્ધાથી ભગવાનને સ્મરે છે, તેની ભક્તિ નિષ્ફળ નથી જતી. શ્રદ્ધા એટલે અંધવિશ્વાસ નહીં, પણ હૃદયથી ઊંડો વિશ્વાસ કે ભગવાન મારા રક્ષક છે અને મારી પ્રાર્થનાને સાંભળે છે.

.

જે ભક્ત શ્રદ્ધાથી પોતાના ઈષ્ટદેવને યાદ કરે છે, તેનાં જીવનમાં શાંતિ, શક્તિ અને આશીર્વાદનો પ્રવાહ આવે છે. એટલે જ કહેવામાં આવ્યું છે – શ્રદ્ધા વિના ભક્તિ નથી, અને ભક્તિ વિના મુક્તિ નથી.

.

આવા જ એક શ્રદ્ધા સાથે જોડાયેલા ઈતિહાસને આજે યાદ કરવો છે. વલસાડમાં સંવત ૧૮૬૨ના ભાદરવા વદ સાતમે અનાવિલ કોમના દેસાઈ રૂઘનાથજી લાલભાઈના ધર્મપત્ની મીઠીબાઈ પોતાના પતિની પાછળ સતી થયા હતા. હાલ સંવત ૨૦૮૧ ચાલી રહ્યું છે. એટલે કે આ વાતને ૨૧૯ વર્ષ થયા. પરંતુ હજુ આજે પણ વલસાડે આ સતીમાતાનું માન જાળવ્યું છે અને તેમને એક માતા તરીકે જ માનવામાં અને પૂજવામાં આવે છે. 

.

તેઓ જે જગ્યાએ સતી થયા હતાં તે તરીયાવાડમાં સતીમાતાનું મંદિર આવેલું છે. આ મંદિર પરિસરમાં અન્ય મંદિરો પણ છે. જેમાં સતીમાતા ઉપરાંત બાલેશ્વર મહાદેવ (જેનો ઉલ્લેખ સતીમાતાના ગરબામાં કરવામાં આવેલ છે), હનુમાનજી, ગણપતિ અને અન્ય એક સતીમાતાનું મંદિર આવેલું છે. આસો સુદ આઠમ એટલે કે નવરાત્રીની આઠમે સતીમાતાના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. વલસાડ અને આજુબાજુના વિસ્તારના લોકો આઠમને દિવસે સવારે પહેલા પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા જાય છે. અને વળતા સાંજે સતીમાતાનાં મેળે જાય છે. 

.

સતીમાતા જ્યાં રહેતા હતા ત્યાં હનુમાન શેરીમાં હજુ પણ તેમના વંશજો રહે છે. આઠમના દિવસે તેમના ઘરે હવન અને નૈવૈદ્ય થાય છે. નવરાત્રી પછી આસો સુદ અગિયારસના દિવસે હનુમાન શેરીમાં સતીમાતાનો ગરબો ગવાય છે. શરૂઆત ગણપતિના ગરબાથી થાય છે. પછી સતીમાતાનો ગરબો ગવાય છે. જેમાં વિસ્તારથી સતીમાતાનાં જીવન વિષે અને તેમના સતી થવા વિશેના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. આ ગરબો બ્રાહ્મણો દ્વારા ગાવામાં આવે છે. અને માત્ર પુરુષો આ ગરબો રમી શકે છે. ખૂબ જ પરંપરાગત રીતે અને સાદાઈથી આ ગરબો થાય છે. 

.

.

આ વિષે જરૂરી માહિતી સતીમાતા કુટુંબના જનકભાઈ, તેજશભાઈ, કેતનભાઈ, નિયતીબેન, દર્શનાબેન વગેરે પાસેથી મને મળી છે. સતીમાતાનો ગરબો તથા તેનો વિડીયો લેવાની અનૂકૂળતા કરી આપવા બદલ હું સતીમાતા પરિવારનો આભાર માનું છું. 

.

આ વલસાડનો એક ઈતિહાસ છે, વારસો છે, ત્યાગ-સમર્પણ અને સતીત્વની વાત છે, શ્રદ્ધાની વાત છે. જેમાં કોઈ તર્ક કે વિચારને સ્થાન નથી. તમે માનો તો સતી એ માતા છે. 

.

( હિના એમ. પારેખ )

.

શ્રી ગણપતિનો ગરબો

.

પ્રથમે ગજાનન વિનવું ને, પ્રેમે લાગું પાય રે ..

ઉમિયા અંગથી ઉપન્યા તે, શંકર સુત કહેવાય…

ગણપતિ સેવો ને.

.

સકલ પ્રારંભે આધ્ય  ગજાનન પૂજન સઘળે થાય રે–

શીશ અનૂપમ મુગર બીરાજે, પીતાંબર ધર્યું. કાય… 

ગણપતિ સેવો ને.

.

ચતુર ભૂજ ચંચળ બે લોચન, લંબોદર કહેવાય રે

સીંદુર લેપન ચરચિત અંગે, પુષ્પ સેવંત સોહાય 

ગણપતિ સેવો ને.

.

રૂમઝુમ ચરણે નેપુર વાગે, નાદ અનૂપમ થાય રે

મૂષક વાહન મોદિક ભોજન, સુધ્ધ બુધ્ધ નાર કહેવાય

ગણપતિ સેવો ને.

.

કૃપા કરો ગણરાય વિનાયક, કૃપાનિંધી કૃપાળ રે

સંકટ ચોથનો મોટો મહિમા, સંકટ નિવારણ થાય.

ગણપતિ સેવો ને.

.

ભાવે ભજે મનવાંછિત આપે, વિદનો દૂર પલાય રે—

સેવક જન તમ ચરણ પ્રપ્રતાપે, પ્રેમે ગરબો ગાય-~-

ગણપતિ સેવો ને.

.

વલસાડના સતી માતા શ્રી મીઠીબાઈનો ગરબો

.

પ્રથમ શિવસુત નંદકુમારને ચરણે નમું શીશ રે, 

સતી તણો મહીમા વિસ્તારૂં સહાય થજો જગદીશ રે, 

અંબે તું સાચી, 

માંહે મોટાં રાખ્યાં રે ધીર, કાયા છે કાચી

.

આગળ કવિજન થઈ ગયા મોટા, મારી બુધ છે થોડી રે, 

તેહ તણી કિરપા થઈ મુજને, આ લીલા મેં જોડી રે, અંબે…. 

.

ભાદરવા વદ ષષ્ઠી શનીએ, રાત રહી મધરાત રે, 

સ્વામી તણી આતુર વેળાએ, મન કર્યો વિચાર. 

સંવત અઢારસો બાંસેઠને ભાદરવા વદ સાત રે…

રોહિણી નક્ષત્ર ને ભાનુ સપ્તમીએ, સત ચઢ્યું નિરધાર, અંબે…. 

.

દેસાઈ કુંવરજી, જઈને વિનવે તમને ન ઘટે એહ રે, 

આ જુગનો મહિમા છે ખોટો હાસ્ય થશે તતખેવ – અંબે….

.

વચન સાંભળી માતા વદે છે, મારે જવું નિરધાર રે, 

રૂદરજી, વશનજી તમને સોપ્યાં, સહાય થજો મહારાજ; અંબે….

.

માતાનું જો વચન સાંભળી, જોશી ભટ્ટ તેડાવ્યા રે, 

મારે જવું સ્વામીની સંગે, સામાન સર્વે મંગાવો રે; અંબે…..

.

નારણ ભટ્ટ તે એમ કહી બોલ્યા, કાગળ ખડીયા મંગાવો રે, 

દેસાઈ કુંવરજીએ આજ્ઞા કીધી, ઘેરથી પત્ર મંગાવ્યો રે; અંબે….

.

નારણ ભટ્ટ તો ઘેર આવીને, પુસ્તક સર્વે ખોળે રે….. 

વિધિ તણા જો પત્ર જ લઈને, સામાન સર્વે મંગાવ્યો રે, અંબે….

.

ચોળી, ચૂંદડી, શ્રીફળ મંગાવો, ફોફળ મંગાવો સાર રે, 

અબીલ, ગુલાલ, અનુપ મંગાવો, કપૂર મંગાવો નિરધાર, અંબે…..

.

કુમકુમ નાડાછડી મંગાવો, છાબડી મંગાવો બાર રે.. 

અષ્ટ સૌભાગ્યનું સુપડું મંગાવો, રેજ મંગાવો બાર, અંબે…..

.

મોડ મંગાવો ને હાર મંગાવો, પોત મંગાવો સાર રે,

સિંદુરીયા કંકાવટી મંગાવો, કાંસકી મંગાવો બાર અંબે…. 

.

કાવરી મંગાવો, આરસી મંગાવો, ચાંલ્લા મંગાવો બાર રે

તેહ પ્રમાણે સામાન મંગાવો પત્ર લખ્યો નિરધાર, અંબે…..

.

ચીખલી મધ્યે માણસ મોકલો, ભાઈને કરાવો જાણ રે,

જો મળવાની ઈચ્છા હોય તો, આવી મળો નિરધાર, અબે…….

.

નિશા સર્વે વહી ગઈ, ને પ્રેમે થયુ પ્રભાત રે.

સૂર્યનારાયણ પ્રગટ થયા, ત્યારે સૌ જન કરે વિચાર, અંબે….

.

ઘરમાંથી માતાજી નિસર્યા, આવ્યા કુપની પાસ રે,

સ્ત્રીઓ સર્વે ટોળે મળીને માતાને નમે શિશ, અંબે….

.

બત્રીસ વૃક્ષના દાતણ મંગાવ્યા, નીર મંગાવ્યા સાર રે,

દંત ધાવન જો કરી ઉઠીને, સૂર્યને લાગ્યાં પાય, અંબે…

.

સ્નાન કરી રામેશ્વર જઈને પૂજા કીધી સાર રે,

મારે જવું સ્વામીની સંગે આવી થાજો સહાય, અંબે…..

.

ગોર ઘામટની પૂજા કરીને ધેનુના દીધાં દાન રે, 

સાત પ્રદક્ષિણા ભાવે ફરીને મુખે વદ્યા શ્રીરામ, અંબે…..

.

સાંકરબાઈને સાડી પહેરાવી, ભટાણીને ઘરચોળું રે, 

ગોરાણીને સાડી સાંગલું, આપીને લાગ્યા પાય, અંબે…

.

હાલરથી વળી વહુને તેડાવી, પુત્રી લીધી હાથ રે, 

પાંચ રૂપૈયા રોકડા આપી, મસ્તક મૂકયો હાથ, અંબે….

.

માતા ઘરમાં પરવર્યાને, બેઠાં સૂર્યની સામા રે,

ગોરાણી ભટાણીને તેડી, તતક્ષણ ભોજન કીધાં રે, અંબે…..

.

નાગરવેલનાં બીડલાં પ્રાસ્યાં કુમકુમ લીધાં હાથ રે,

પૂર્વ દ્વારે છાપા દઈને, ચાલ્યાં પશ્ચિમ દ્વાર,અંબે…..

.

કર મધ્યે નાળિયેર જ લઈને, આવ્યાં સ્વામીની પાસ રે,

સાત પ્રદક્ષિણા ભાવે ફરીને, માતા નિસર્યા બહાર, અંબે…

.

કુમ કુમ કેરા છાપા દઇને, કુમ કુમ છાંટયા સાર રે,

ચાર ખુણાનો દિપક કરીને, ધીની કીધી મસાલ, અંબે…….

.

ઢોલ નાદ ને ભેરી વાજે, વૈષ્ણવ ગાય બહુ જન રે, 

અબીલ ગુલાલ સૌ જન પર ઉડે, અંબાના ગુણ ગાય, અંબે…..

.

જય જય અંબે, જય જગદંબે, મોટી તું ભવાની રે, 

આ કળી જુગમાં ધીરજ રાખી, સાચી તું ભવાની રે અંબે….

.

માતાજી ઘરમાંથી નિસર્યા, આવ્યા અંબાની પાસ રે,

પ્રણામ કરી વાણી ઓચરિયાં, માતા ! થાજો સહાય, અંબે…..

.

સરકાર વાડામાં આવી કરીને, ઊભાં રહ્યાં તતખેવ રે, 

રણછોડદાસને જાણ કરાવ્યું, આવી મળ્યા નિરધાર, અંબે….

.

સરકાર વાડેથી ચાલી કરીને, આવ્યા ગણપતિ દ્વાર રે, 

ઈષ્ટદેવ તું કહીએ સાચો, સિદ્ધ થયાં સૌ કાજ, અંબે….…

.

ઉભે ચૌટે માતા પધાર્યા, પછવાડે સહુ જન રે, 

પાન ફુલ લઈ વાણિયા વધાવે, માતાને લાગે પાય, અંબે…

.

કંસારવાડેથી આગળ ચાલ્યાં, પારસી વધાવે મોતી રે,

સતી તો ઘણી સાંભળી, પણ આવી ધીરજવાન ન દીઠી રે, અંબે….

.

ચોરે જઈ બેસી કરીને, સ્વામી સન્મુખ રાખ્યા રે, 

ભાઈસાને તેડી કરીને, સુરભાઈ તેને સોંપ્યો રે, અંબે….

.

ગામે ગામનાં લોક જ આવ્યા, માતાને સૌ મળવા રે, 

પગે લાગીને આશિષ માંગે, ભવના પ્રાયશ્ચિત ખોવારે, અંબે……

.

આધ્ય ગામ તો ઉંટડી કહીએ, વલસાડમાં વિશ્રામ રે, 

એના કુળમાં મીઠીબાઈ કહીએ, જુગમાં કીધાં નામ, અંબે….

.

ત્યાંથી માતા ઉઠી કરીને આવ્યાં કૃપની પાસ રે 

સ્નાન કરી માતાજી પધાર્યા, શિવજી કેરી પાસ અંબે…

.

ધન શિવજી બાલેશ્વર કહીએ, ધન છે તારૂ નામ રે,

ધન લાલાજીએ દેહરૂ બંધાવ્યું, જુગમાં કીધા નામ; અંબે….

.

શિવજી કેરી પૂજા કરીને, માતા નિસર્યા બહાર રે, 

વૃષભ તણા જો દાન કરીને, આયાં મઢુલી પાસ અંબે….

.

બ્રાહ્મણ કેરી પૂજા કરીને છાબડી આપી બાર રે,

સાત પ્રદક્ષિણા ભાવે ફરીને માતા લાગ્યા પાય, અંબે….

.

શલ્યાની જો પૂજા કરીને, દર્પણ લીધું હાથ રે, 

મુખ જોઈ માતાજી બોલ્યા પ્રથમ થયો અવતાર, અંબે….

.

ધન ધન વલસાડ ગામ જ કહીએ. ધન બ્રાહ્મણને વાસ રે, 

ધન નારાયણ દેવ જ કહીએ, તેથી ઉતર્યા પાર રે, અંબે….

.

ધન ધન ચીખલી ગામ જ કહીએ, ધન ભુલાભાઈ મોન રે, 

તેની કુંવરી મીઠીબાઈ કહીએ, જુગમાં કીધાં નામ, અંબે….

.

સોમજી ભીમજીનો વંશ જ કહીએ, દેસાઈઓનાં નામ રે, 

ધન રઘુનાથજી લાલા કહીએ, મોટા ભાગ્યવાન, અંબે…

.

કેશરેલ, મોગરેલ શોભતા ને કુમકુમ તપે લેલાટ રે, 

મોડ મસ્તક ઉપર વળ્યો, વરત્યો જયજયકાર, અંબે…….

.

બ્રાહ્મણ કેરી આજ્ઞા લઈને પેઠાં મઢુલી માંહે રે, 

અષ્ટ સૌભાગ્યનું સુપડું લઈને, મુખે વદ્યા શ્રીરામ, અંબે….

.

માતાજી મઢુલીમાં પધાર્યાં, મસ્તક લીધું હાથ રે, 

હાથ કાકડા લઈ કરીને ફેરવ્યા ચારે પાસ, અંબે….

.

લોક પ્રદક્ષિણા ફરવા લાગ્યા, માતાને નમે શિશ રે, 

એહ તણા જો મોટા ભાયગ, સહાય થયા જગદીશ, અંબે..

.

માણસ દશની ચોકી બેસાડી, આવ્યાં સર્વે જન રે 

ઘેર આવી એકેકને કહે છે, એ માતાને ધન્ય, અંબે……

.

નિશા બે ત્યાં વહી ગઈને, ત્રીજું થયું પ્રભાત રે, 

ભટ જોશી કૃષ્ણારામ કહીએ, દીક્ષિત લીધા સાથ રે, અંબે…

.

રુદ૨જી, વશનજી, સુરભાઈ આદિ માતાના સૌ ભ્રાત રે, 

સ્નાન કરી, સમીપ પધાર્યા, રક્ષા લીધી હાથ…. અંબે….

.

રક્ષા લેતાં એંધાણી લાગી, ચાંદલો ને સોપારી રે,

હાથ કેરી મુદ્રિકા લાધી કાવરી, ચુંદડી સાર, અંબે….

.

દૂધ દહી ના છાંટણાં છાંટયાં, મોતીડે વધાવ્યા રે, 

ફુલહાર લઈ કરીને વધાવે મહિમાનો નહિ પાર અંબે….

.

પંચ કૃપાથી ગરબો કીધો, માતાની છે સહાય રે, 

ગાય શીખેને સાંભળે, તેના ભવના પ્રાયશ્ચિત જાય, અંબે….

.

.

कभी आ भी जाना-गुलज़ार

कभी आ भी जाना
बस वैसे ही जैसे
परिंदे आते हैं आंगन में
या अचानक आ जाता है
कोई झोंका ठंडी हवा का
जैसे कभी आती है सुगंध
पड़ोसी की रसोई से

.

आना जैसे बच्चा आ जाता
है बगीचे में गेंद लेने
या आती है गिलहरी पूरे
हक़ से मुंडेर पर

..

जब आओ तो दरवाजे
पर घंटी मत बजाना
पुकारना मुझे नाम लेकर
मुझसे समय लेकर भी मत आना
हाँ , अपना समय साथ लाना
फिर दोनों समय को जोड़
बनाएंगे एक झूला
अतीत और भविष्य के बीच
उस झूले पर जब बतियाएंगे
तो शब्द वैसे ही उतरेंगे
जैसे कागज़ पर उतरते हैं
कविता बन

.

और जब लौटो तो थोड़ा
मुझे ले जाना साथ
थोड़ा खुद को छोड़े जाना
फिर वापस आने के लिए
खुद को एक-दूसरे से पाने
के लिए।

.( गुलज़ार )

.

ક્યારેક એવી રીતે પણ આવ
જેમ
પંખી આવે ફળિયામાં
અથવા
જેમ અચાનક આવે
કોઈ ઠંડી હવાની લ્હેરખી
જેમ ક્યારેક આવે
પડોશમાંથી રસોઈની સોડમ

.

આવ એ રીતે
જેમ બાળક દોડતું આવે
બગીચામાં દડો લેવા
અથવા આવે ખિસકોલી
સંપૂર્ણ અધિકારપૂર્વક
ઘરની પાળીએ

.

જ્યારે આવ ત્યારે
દરવાજે બેલ વગાડીશ નહીં
પોકારજે મારું નામ
સમય નક્કી કરીને પણ ન આવીશ
હા
પોતાનો સમય સાથે લાવજે
પછી બંનેનો સમય જોડીને
બનાવીશું એક હિંચકો
અતીત અને ભવિષ્યની વચ્ચે
એ હીંચકા પર બેસી જ્યારે ગપાટા મારીશું
ત્યારે શબ્દો એમ ઉતરી આવશે
જાણે કવિતા

.

અને જ્યારે પાછો ફર
તો થોડોક મને લઈ જજે સાથે
થોડોક સ્વયંને છોડી જજે અહીં
ફરી પાછા ફરવા માટે

.

અને સ્વયંને એકમેક થકી પામવા માટે..

.

( ગુલઝાર )

( હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

આવક જાવકનો તાલમેલ – યુવાનો માટે ખાસ ટીપ્સ

.

પગાર પહેલી તારીખે આવે છે પરંતુ મહિનાની પંદર તારીખે તો આખર તારીખ આવી જાય છે.

.

25-35 વર્ષના વયજૂથના કે એનાથી વધુ ઉંમરના ઘણાંની પાસેથી આ વાત સાંભળવા મળે છે. આના માટે શું કરવું?

.

પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ (વેપારી કે એન્ટ્રેપ્રેન્યોરને પણ લાગુ પડી શકે છે) વર્ગ માટેની અનુભવોક્તિ:

.

1. 💰 તમારા મહિના ના પગારનો 50%થી વધુ ખર્ચ ન કરો.

.

➖ 50:40:10 આ એક સાદો નિયમ છે. 50% સુધી જીવન જરૂરિયાતનો ખર્ચ. 40% બચત રોકાણ અને લોન ઇએમઆઇ અને 10% લાઇફસ્ટાઇલ ખર્ચ.

.

2. 💹 બાકી 40% બચાવો અને ઓછામાં ઓછી 3 જુદા-જુદા સ્થળે રોકાણ કરો.

.

➖ તમે તમારા પોતાના રિસ્ક પ્રોફાઈલ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ, પી.પી.એફ., ઇક્વિટી, સોનું, એન.પી.એસ., FD, જીવન વીમા જેવી જગ્યાએ રોકાણ કરી શકો છો.

.

3. 🧾 હંમેશા બીજી આવકના સ્ત્રોત માટે પ્રયત્નશીલ રહો.

.

➖ રોકાણ પરના ડિવિડન્ડ, વ્યાજની આવક, મ્યુચ્યુઅલ ફંડ કે વીમા સલાહકાર તરીકે કામ કરી શકાય છે.

.

➖ જો જીવનસાથી પણ કામ કરતા હોય તો જીવનસાથીની આવકને બીજી આવક ન માનો, એ આવકને તાત્કાલિક જરૂરિયાત માટેનો “ઇમર્જન્સી ફંડ” સમજો.

.

4. 🏥 તમારા પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ અને વાર્ષિક આવકના 12-20 ગણો ટર્મ ઈન્શ્યોરન્સ જરૂર હોવો જોઈએ.

.

5. 🚫 બીજાઓની લાઈફસ્ટાઇલ જોવા જઈને પોતાનું જીવન ના ચલાવો. દરેકની પોતાની વિચારસરણી હોય છે. કોઈને દેખાદેખીથી અનુસરવાની જરૂર નથી.

.

➖ તેના બદલે, તેમને મળતી સફળતાના પાછળનો પરિશ્રમ સમજો અને તે પ્રમાણે સેલ્ફ ડેવલપમેન્ટ પર રોકાણ કરવું જોઈએ.

.

6. 🏦 લોન લો ત્યારે એને “એસેટ – મિલકત” બનાવવા ઉપયોગ કરો, ‘લાયબિલિટી’ નહીં.

.

✔️ એસેટ તરીકેની લોન:

.

➖ ખુદના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કે બાળકોના શિક્ષણ માટે એજ્યુકેશન લોન

.

➖ ઓછા જોખમ વાળા વ્યવસાય માટેની લોન (જ્યાં નિયમિત આવક હોય)

.

➖ હોમ લોન – ત્યારે જ લો જ્યારે EMI તમારું ભૂતકાળનું ભાડું જેટલું કે થોડું વધારે હોય

.

❌ લાયબિલિટી તરીકેની લોન:

.

➖ લક્ઝરીયસ ફ્લેટ માટે લોન (જરૂરિયાત કરતાં વધુ અને રિપેમેન્ટ ક્ષમતાથી વધુ એવોઇડ કરવો)

.

➖ લક્ઝરીયસ કાર ખરીદવી – કાર આમ તો ડેપ્રીસીએટીંગ એસેટ ગણાય એટલે બેઝિક જરૂરિયાત પૂર્ણ થાય એ કાર પહેલી પસંદગી હોય તો ઇએમઆઇ મેનેજેબલ રહેશે.

.

➖ વિદેશમાં વેકેશન માટે કે અન્ય આવા મોજશોખ માટે પર્સનલ લોન

.

7. 👪 ક્યારેય તમારા માતા-પિતાની સંપત્તિ પર આધાર રાખશો નહીં – કારણ કે તેઓ પણ તમારી આવક પર આધાર રાખતા નથી.

.

8. 💸 ખર્ચ ઘટાડવાના રીતો:

.

➖ ફૂડ ડિલિવરી કે ક્વિક કોમર્સ એપ્સ પર ખરીદી વખતે આંગળી પર કાબુ રાખો. ફ્રી ડિલિવરી અને ફ્રી કેશ કારણે બીનજરૂરી ખર્ચ બમણો થઈ શકે છે.

.

➖ મોલમાં કે શોપિંગ એપ્સ પર ખરીદી વખતે પહેલેથી તૈયાર લિસ્ટ ઉપયોગી પુરવાર થાય છે. એના કારણે બિનજરૂરી ખરીદી ટાળી શકાય છે.

.

➖ શક્ય હોય ત્યારે સીટી બસ, મેટ્રો (જ્યાં લાગુ પડે છે), ઑટો રિક્ષા – ઓલા ઉબર ટેક્સીનો ખર્ચ ટાળી શકાય છે.

.

➖ આ બધી એપ્સ અને સરળ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ એ માટે બનાવવામાં આવી છે કે તમે ઇમ્પલસીવ બાયર બની જાવ છો અને જરૂર ન હોય ત્યારે પણ ખર્ચ કરતા રહો છો.

.

9. 🎉 “YOLO – You Only Live Once – જિંદગી એક જ મળી છે, મોજ કરીને જીવો” જેવા માર્કેટિંગના વમળમાં માં પડીને ખોટા ખર્ચા ન કરો.

.

➖ આવું ઘણીવાર ક્ષણિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે જીવનમાં સંતોષ આપે એવું નથી.

.

નિયમિત બચત, સમજદારીપૂર્વક રોકાણ અને કરકસર એ લોભ નથી. આ રીતે પણ આનંદથી જીવી શકાય એ રીત શીખવી જરૂરી છે.

.

જે નિર્ણય 25-35 વર્ષની ઉંમરે લેતા હોઈએ છીએ એની અસર લાંબાગાળાના ભવિષ્ય માટે અસર કરે છે.

.

Adopted.

Photo courtesy Meta Ai

.

સાભાર : મિતેષ પાઠકની ફેસબુક પોસ્ટ પરથી.

जौहर दिवस – 26 अगस्त 1303

चित्तौड़ का पहला जौहर : 26 अगस्त 1303

.

ऐसे अवसर एक नहीं, कई बार आये हैं, जब हिन्दू वीरांगनाओं ने अपनी पवित्रता की रक्षा के लिए ‘जय हर-जय हर’ कहते हुए हजारों की संख्या में सामूहिक अग्नि प्रवेश किया था। यही उद्घोष आगे चलकर ‘जौहर’ बन गया। जौहर की गाथाओं में सर्वाधिक चर्चित प्रसंग चित्तौड़ की रानी पद्मिनी का है, जिन्होंने 26 अगस्त, 1303 को 16,000 क्षत्राणियों के साथ जौहर किया था।

.

पद्मिनी का मूल नाम पद्मावती था। वह सिंहलद्वीप के राजा रतनसेन की पुत्री थी। एक बार चित्तौड़ के चित्रकार चेतन राघव ने सिंहलद्वीप से लौटकर राजा रतनसिंह को उसका एक सुंदर चित्र बनाकर दिया। इससे प्रेरित होकर राजा रतनसिंह सिंहलद्वीप गया और वहां स्वयंवर में विजयी होकर उसे अपनी पत्नी बनाकर ले आया। इस प्रकार पद्मिनी चित्तौड़ की रानी बन गयी।

.

पद्मिनी की सुंदरता की ख्याति अलाउद्दीन खिलजी ने भी सुनी थी। वह उसे किसी भी तरह अपने हरम में डालना चाहता था। उसने इसके लिए चित्तौड़ के राजा के पास धमकी भरा संदेश भेजा; पर राव रतनसिंह ने उसे ठुकरा दिया। अब वह धोखे पर उतर आया। उसने रतनसिंह को कहा कि वह तो बस पद्मिनी को केवल एक बार देखना चाहता है।

.

रतनसिंह ने खून-खराबा टालने के लिए यह बात मान ली। एक दर्पण में रानी पद्मिनी का चेहरा अलाउद्दीन को दिखाया गया। वापसी पर रतनसिंह उसे छोड़ने द्वार पर आये। इसी समय उसके सैनिकों ने धोखे से रतनसिंह को बंदी बनाया और अपने शिविर में ले गये। अब यह शर्त रखी गयी कि यदि पद्मिनी अलाउद्दीन के पास आ जाए, तो रतनसिंह को छोड़ दिया जाएगा।

.

यह समाचार पाते ही चित्तौड़ में हाहाकार मच गया; पर पद्मिनी ने हिम्मत नहीं हारी। उसने कांटे से ही कांटा निकालने की योजना बनाई। अलाउद्दीन के पास समाचार भेजा गया कि पद्मिनी रानी हैं। अतः वह अकेले नहीं आएंगी। उनके साथ पालकियों में 800 सखियां और सेविकाएं भी आएंगी।

.

अलाउद्दीन और उसके साथी यह सुनकर बहुत प्रसन्न हुए। उन्हें पद्मिनी के साथ 800 हिन्दू युवतियां अपने आप ही मिल रही थीं; पर उधर पालकियों में पद्मिनी और उसकी सखियों के बदले सशस्त्र हिन्दू वीर बैठाये गये। हर पालकी को चार कहारों ने उठा रखा था। वे भी सैनिक ही थे। पहली पालकी के मुगल शिविर में पहुंचते ही रतनसिंह को उसमें बैठाकर वापस भेज दिया गया और फिर सब योद्धा अपने शस्त्र निकालकर शत्रुओं पर टूट पड़े।

.

कुछ ही देर में शत्रु शिविर में हजारों सैनिकों की लाशें बिछ गयीं। इससे बौखलाकर अलाउद्दीन खिलजी ने चित्तौड़ पर हमला बोल दिया। इस युद्ध में राव रतनसिंह तथा हजारों सैनिक मारे गये। जब रानी पद्मिनी ने देखा कि अब हिन्दुओं के जीतने की आशा नहीं है, तो उसने जौहर का निर्णय किया।

.

रानी और किले में उपस्थित सभी नारियों ने सम्पूर्ण शृंगार किया। हजारों बड़ी चिताएं सजाई गयीं। ‘जय हर-जय हर’ का उद्घोष करते हुए सर्वप्रथम पद्मिनी ने चिता में छलांग लगाई और फिर क्रमशः सभी हिन्दू वीरांगनाएं अग्नि प्रवेश कर गयीं। जब युद्ध में जीत कर अलाउद्दीन पद्मिनी को पाने की आशा से किले में घुसा, तो वहां जलती चिताएं उसे मुंह चिढ़ा रही थीं।

.

चारित्र्य, त्याग, वीरता और अभूतपूर्व शौर्य के प्रतीक रानी पद्मिनी जी के जौहर दिवस पर उन्हें शतशः नमन।

.

आत्मसम्मान की रक्षा के लिए 16000 वीरांगनाओं के साथ रानी पद्मिनी जी ने जलते हुए अंगारों के अग्निकुड में स्वयं को आहूत कर लिया था।

.

अपूर्व शौर्य के प्रतीक जौहर दिवस पर रानी पद्मिनी जी सहित 16000 वीरांगनाओं को सादर नमन करते हैं।

.

(अज्ञात )

તાવ વિશે આટલું જાણો-ડો. કલ્પેશ જોષી

ચોમાસાની ઋતુ આવે એટલે આપણે ત્યાં , દવાખાનાઓ તાવના દર્દીઓથી ઉભરાઈ જાય.

.

તાવ વિશે આટલું જાણો :
તાવ- હંમેશા તમારો દુશ્મન નથી , મિત્ર પણ હોય શકે . તાવ તમારી રક્ષા માટે કુદરતનો રસ્તો છે , હળવો તાવ તમને સારા થવામાં મદદરૂપ થાય છે ..

.

શું તમે જાણો છો?
Fever એટલે કે તાવ એ બીમારી નહીં, પણ બિમારીનું એક લક્ષણ છે . તાવ , infection સામે શરીરની સ્વાભાવિક રક્ષણ પદ્ધતિ છે.
જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે મગજ શરીરનું તાપમાન વધારી દે છે ,જેથી જીવાણુઓ સામે લડવામાં મદદ મળે.

.

તાવનાં ફાયદા:
• આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે , ઊંચા તાપમાને શરીરના immune cells વધુ અસરકારક બને છે.
• ઘણા બેક્ટેરિયા અને વાયરસ ઊંચા તાપમાને ઝડપથી વધી શકતા નથી એટલે એમનો વિકાસ અટકે છે .
• ઝડપી સાજા થવામાં મદદ — Fever ઘણી વખત ઇન્ફેક્શન દૂર કરવામાં મદદરૂપ બને છે.

.

વિજ્ઞાન શું કહે છે?
એક અભ્યાસમાં જોવા મળ્યું કે ઇન્ફેક્શનમાં જે લોકો સતત તાવ ઉતારવા માટે દવા લેતા હતા, તેઓ ઘણી વાર ધીમા સાજા થતા હતા, જ્યારે જે લોકો હળવા-મધ્યમ તાવને દબાવતા નહોતા, તેઓ ઝડપથી સાજા થતા અને ઓછાં કોમ્પ્લિકેશનસ થતાં.

.

ક્યારે તાવ ઉતારવો જોઈએ?

.

તાવ હંમેશા તરત ઉતારવાની જરૂર નથી, પરંતુ જો:
• તાવ 102°F (38.9°C) થી વધુ છે અથવા તમને તાવને લીઘે તકલીફ કે અસ્વસ્થતા લાગતી હોય .
• નાના બાળકો, વૃદ્ધ, અથવા ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓમાં , જેમકે હૃદય કે fefasani બિમારીવાળી વ્યકિતઓ .
• જો તમને તાવને લીઘે શ્વાસ લેવામાં તકલીફ, કન્ફ્યુઝન લાગવું, ચામડી પર ચકામા, સતત ઉલ્ટી વગેરે થતાં હોય.

.

બીજી મહત્વની બાબતો-
• તાવ હોય તો વધુ પાણી અથવા પ્રવાહી પીવો , કારણ કે શરીર વધું માત્રામાં પાણી ગુમાવે છે .
• આરામ કરો, વધારે ગરમ કપડાં ન પહેરો.
• ફીવર ઇન્ફેકશન સામે લડવામાં શરીરને મદદરૂપ થાય છે , પરંતુ ડોક્ટરને બતાવવું અને એનું કારણ જાણવું જરૂરી છે .

.

ટૂંકમાં,
Fever ઘણી વખત તમારા શરીર ને ઇન્ફેકશન સામે લડવામાં મદદરૂપ થાય છે — માત્ર થર્મોમીટરનું રીડિંગ નહિ, પરંતુ તેના પાછળનું કારણ તમારી સારવારનું લક્ષ્ય હોવું જોઈએ .

.

  • ડો. કલ્પેશ જોષી .
    લોટસ હોસ્પિટલ , વલસાડ .

असभ्य हूँ-गोविंद माथुर

मैं असभ्य हूँ क्योंकि

औपचारिक गोष्ठियों में बैठकर

सहित्य, कला, संस्कृति पर

बात नहीं करता

मेरे चेहरे से आभिजात्य नहीं टपकता

मैं कहीं से भी

बुद्धिजीवी नहीं लगता

मैं असभ्य हूँ क्योंकि

मैं हिंदी माध्यम स्कूल में पढ़ा हुआ हूँ

मैं औपचारिक होने का नाटक नहीं कर सकता

शिक्षित लोगों में बैठकर

बात-बात में अँग्रेज़ी शब्दों का

उच्चारण नहीं करता

मैं असभ्य हूँ क्योंकि

मैं व्यवहार कुशल नहीं हूँ

मैं व्यक्तियों का उपयोग करना नहीं जानता

संबंधों को भुनाना मुझे नहीं आता

मुझमें प्रभावित करने के

गुण नहीं हैं न ही मैं

उपयोगी प्राणी हूँ

मैं असभ्य हूँ क्योंकि

मैं झूठ नहीं बोलता

किसी को गाली नहीं देता

किसी को हिक़ारत से नहीं देखता

किसी की चापलूसी नहीं करता

मैं असभ्य हूँ क्योंकि

मैं भावुक हूँ संवेदनशील हूँ

मैं ठहाका लगाकर हँसता हूँ

कभी-कभी

लोगों के बीच रो भी देता हूँ

मुझे सभ्य लोगों के

बीच बैठना नहीं आता

क्योंकि मैं असभ्य हूँ

.

( गोविंद माथुर )

.

હું અસભ્ય છું

કેમ કે

ઔપચારિક ગોષ્ઠીઓમાં બેસી

સાહિત્ય, કળા, સંસ્કૃતિ વિષે

ચર્ચા નથી કરતો

મારા ચહેરેથી આભિજાત્ય નથી ટપકતું

હું કોઈ રીતે બુદ્ધિજીવી નથી લાગતો

હું અસભ્ય છું

કેમ કે

હું સ્થાનિક માધ્યમમાં ભણ્યો છું

હું ઔપચારિકતાનું નાટક નથી કરી શકતો

શિક્ષિત લોકો વચ્ચે બેસી

વાતવાતમાં અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ નથી કરી શકતો

હું અસભ્ય છું

કારણ કે

હું વ્યવહાર કુશળ નથી

મને માણસનો ઉપયોગ કરતાં આવડતું નથી

સંબંધો વટાવતાં આવડતું નથી

મારામાં સામા માણસને પ્રભાવિત કરવાનો ગુણ નથી

ન તો હું ઉપયોગી પ્રાણી છું

હું અસભ્ય છું

કારણ કે

હું જૂઠ બોલતો નથી

કોઈને ગાળ આપતો નથી

કોઈને તિરસ્કારથી જોતો નથી

કોઈની ચાપલુસી કરતો નથી

હું અસભ્ય છું

કારણ કે

હું ભાવુક છું

સંવેદનશીલ છું

મોટેથી હસું છું

ક્યારેક તો લોકો વચ્ચે

રડી પણ લઉં છું

મને સભ્ય લોકો સાથે ફાવતું નથી

કારણ કે

હું અસભ્ય છું…

.

( ગોવિંદ માથુર, – હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને યુવાનો – મિતેષ પાઠક

.

પગાર પહેલી તારીખે આવે છે પરંતુ મહિનાની પંદર તારીખે તો આખર તારીખ આવી જાય છે.

.

25-35 વર્ષના વયજૂથના કે એનાથી વધુ ઉંમરના ઘણાંની પાસેથી આ વાત સાંભળવા મળે છે. આના માટે શું કરવું?

.

પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ (વેપારી કે એન્ટ્રેપ્રેન્યોરને પણ લાગુ પડી શકે છે) વર્ગ માટેની અનુભવોક્તિ:

.

  1. 💰 તમારા મહિના ના પગારનો 50%થી વધુ ખર્ચ ન કરો. ➖ 50:40:10 આ એક સાદો નિયમ છે. 50% સુધી જીવન જરૂરિયાતનો ખર્ચ. 40% બચત રોકાણ અને લોન ઇએમઆઇ અને 10% લાઇફસ્ટાઇલ ખર્ચ..
  2. 💹 બાકી 40% બચાવો અને ઓછામાં ઓછી 3 જુદા-જુદા સ્થળે રોકાણ કરો. ➖ તમે તમારા પોતાના રિસ્ક પ્રોફાઈલ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ, પી.પી.એફ., ઇક્વિટી, સોનું, એન.પી.એસ., FD, જીવન વીમા જેવી જગ્યાએ રોકાણ કરી શકો છો.
  3. 🧾 હંમેશા બીજી આવકના સ્ત્રોત માટે પ્રયત્નશીલ રહો. ➖ રોકાણ પરના ડિવિડન્ડ, વ્યાજની આવક, મ્યુચ્યુઅલ ફંડ કે વીમા સલાહકાર તરીકે કામ કરી શકાય છે. ➖ જો જીવનસાથી પણ કામ કરતા હોય તો જીવનસાથીની આવકને બીજી આવક ન માનો, એ આવકને તાત્કાલિક જરૂરિયાત માટેનો “ઇમર્જન્સી ફંડ” સમજો.
  4. 🏥 તમારા પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ અને વાર્ષિક આવકના 12-20 ગણો ટર્મ ઈન્શ્યોરન્સ જરૂર હોવો જોઈએ.
  5. 🚫 બીજાઓની લાઈફસ્ટાઇલ જોવા જઈને પોતાનું જીવન ના ચલાવો. દરેકની પોતાની વિચારસરણી હોય છે. કોઈને દેખાદેખીથી અનુસરવાની જરૂર નથી. ➖ તેના બદલે, તેમને મળતી સફળતાના પાછળનો પરિશ્રમ સમજો અને તે પ્રમાણે સેલ્ફ ડેવલપમેન્ટ પર રોકાણ કરવું જોઈએ.
  6. 🏦 લોન લો ત્યારે એને “એસેટ – મિલકત” બનાવવા ઉપયોગ કરો, ‘લાયબિલિટી’ નહીં. ✔️ એસેટ તરીકેની લોન: ➖ ખુદના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કે બાળકોના શિક્ષણ માટે એજ્યુકેશન લોન
    ➖ ઓછા જોખમ વાળા વ્યવસાય માટેની લોન (જ્યાં નિયમિત આવક હોય)
    ➖ હોમ લોન – ત્યારે જ લો જ્યારે EMI તમારું ભૂતકાળનું ભાડું જેટલું કે થોડું વધારે હોય ❌ લાયબિલિટી તરીકેની લોન: ➖ લક્ઝરીયસ ફ્લેટ માટે લોન (જરૂરિયાત કરતાં વધુ અને રિપેમેન્ટ ક્ષમતાથી વધુ એવોઇડ કરવો)
    ➖ લક્ઝરીયસ કાર ખરીદવી – કાર આમ તો ડેપ્રીસીએટીંગ એસેટ ગણાય એટલે બેઝિક જરૂરિયાત પૂર્ણ થાય એ કાર પહેલી પસંદગી હોય તો ઇએમઆઇ મેનેજેબલ રહેશે.
    ➖ વિદેશમાં વેકેશન માટે કે અન્ય આવા મોજશોખ માટે પર્સનલ લોન
  7. 👪 ક્યારેય તમારા માતા-પિતાની સંપત્તિ પર આધાર રાખશો નહીં – કારણ કે તેઓ પણ તમારી આવક પર આધાર રાખતા નથી.
  8. 💸 ખર્ચ ઘટાડવાના રીતો: ➖ ફૂડ ડિલિવરી કે ક્વિક કોમર્સ એપ્સ પર ખરીદી વખતે આંગળી પર કાબુ રાખો. ફ્રી ડિલિવરી અને ફ્રી કેશ કારણે બીનજરૂરી ખર્ચ બમણો થઈ શકે છે.
    ➖ મોલમાં કે શોપિંગ એપ્સ પર ખરીદી વખતે પહેલેથી તૈયાર લિસ્ટ ઉપયોગી પુરવાર થાય છે. એના કારણે બિનજરૂરી ખરીદી ટાળી શકાય છે.
    ➖ શક્ય હોય ત્યારે સીટી બસ, મેટ્રો (જ્યાં લાગુ પડે છે), ઑટો રિક્ષા – ઓલા ઉબર ટેક્સીનો ખર્ચ ટાળી શકાય છે. ➖ આ બધી એપ્સ અને સરળ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ એ માટે બનાવવામાં આવી છે કે તમે ઇમ્પલસીવ બાયર બની જાવ છો અને જરૂર ન હોય ત્યારે પણ ખર્ચ કરતા રહો છો.
  9. 🎉 “YOLO – You Only Live Once – જિંદગી એક જ મળી છે, મોજ કરીને જીવો” જેવા માર્કેટિંગના વમળમાં માં પડીને ખોટા ખર્ચા ન કરો. ➖ આવું ઘણીવાર ક્ષણિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે જીવનમાં સંતોષ આપે એવું નથી.

.

નિયમિત બચત, સમજદારીપૂર્વક રોકાણ અને કરકસર એ લોભ નથી. આ રીતે પણ આનંદથી જીવી શકાય એ રીત શીખવી જરૂરી છે.

.

જે નિર્ણય 25-35 વર્ષની ઉંમરે લેતા હોઈએ છીએ એની અસર લાંબાગાળાના ભવિષ્ય માટે અસર કરે છે.

.

Adopted.

Photo courtesy Meta Ai

.

( મિતેષ પાઠક )