Category Archives: વાર્તા/નવલિકા

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૧-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી હિંદુ ધર્મની વૈદિક સંસ્કૃતિના મોખરાના આચાર્ય અને મહાત્મા એવા પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતી (કોઈમ્બતુર)ના શિષ્યા છે.

જેમને જીવનનું સત્ય જાણવાની ઈચ્છા છે તેમને તેઓ સરળ ભાષામાં ભગવદ્દગીતા અને ઉપનિષદો શીખવે છે. તેઓ સંસ્કૃતના વિદ્વાન હોવાથી મૂળ ગ્રંથો અને ભાષ્યોને સહજ રીતે વ્યક્ત કરે છે. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી પાસે ગુરુ પરંપરાથી ગુરુકુલમાં રહી દસ કરતાં વધારે વર્ષો સુધી વેદાંત અને સંસ્કૃતનું અધ્યયન કર્યું છે. તેમના કરુણામયી સ્વાભાવ અને સરળ જીવનશૈલીએ તેમને સામાન્ય માણસોના મહાત્મા બનાવ્યા છે. તેઓ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં સારી રીતે બોલી શકે  છે.

ગુજરાતમાં છેલ્લા ૧૮ વર્ષથી તેઓ નવસારી, બારડોલી, વલસાડ, બીલીમોરા અને ભાવનગર વગેરે સ્થળોએ વેદાંતના અધ્યાપન અને પ્રચાર-પ્રસાર માટે ભગવદ્દગીતા,ઉપનિષદ અને ભાગવત અંગે પ્રવચનો આપે છે.

“આર્ષ વિદ્યા ટ્રસ્ટ’ના નેજા હેઠળ તેમણે પૂજ્ય સ્વામીજીના લગભગ ૨૮ પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરી પ્રકાશન કર્યું છે. આ ઉપરાંત સ્વામીજીના “ગીતા હોમ સ્ટડી” નામના વિશાળ ગ્રંથનું “ગૃહે ગીતા અધ્યયન” નામે ગુજરાતીમાં અનુવાદ, પ્રકાશન કર્યું છે.

૨૦૦૩ના ઉનાળામાં સ્વામિનીજીએ તેમનો પ્રથમ વ્યાખ્યાન પ્રવાસ કેનેડા, યુ.એસ.એ. અને ન્યુઝીલેન્ડમાં કર્યો. જેમાં તેમણે અમેરિકામાં વોશિંગ્ટન, મેસાચુએટ્સ, ફ્લોરિડા, ટેક્સાસ, એરિઝોના, કોલોરાડો, ન્યુજર્સી, કેલિફોર્નિઆ અને પેન્સિલ્વેનિઆની મુલાકાત લઈ વ્યાખ્યાનો અને સત્સંગ કર્યા હતા. જ્યારે કેનેડામાં ટોરેન્ટો અને વાનકુવરની મુલાકાત લીધી હતી. તેમને ઉપનિષદો પર પ્રવચન આપવા માટે ડાર્ટમાઉથ યુનિવર્સિટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમેરિકા અને કેનેડાના અનેક મંદિરોએ તેમને ભગવદ્દગીતા, ઉપનિષદો અને વૈદિક સંસ્કૃતિ અંગે પ્રવચનો આપવા આમંત્ર્યા હતા. આ પ્રવાસ દરમ્યાન તેમણે એક મહિના સુધી ન્યુઝીલેન્ડની મુલાકાત લઈ ઓકલેન્ડ, વેલિંગ્ટન અને પુકેકોહેમાં પણ પ્રવચનો આપ્યા હતા. ૨૦૦૩ બાદ દર વર્ષે તેઓ નિયમિતરૂપે અમેરિકા અને કેનેડાની મુલાકાત લે છે.

વધુ માહિતી : http://www.arshavidyatirtha.org

પૂ. સ્વામિનીજી “આર્ષદર્શન”માં “વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા” શિર્ષકથી ક્રમશ: લેખો લખે છે. જેના ૬ ભાગ હમણાં સુધીમાં પ્રગટ થઈ ચૂક્યા છે. જે આવનારા ૬ દિવસ સુધી આ સાઈટ પર વાંચવા મળશે.

.

.

 

પ્રેમ – ઓશો

.

પ્રેમ પરમાત્માથી મોટો છે.

પ્રેમમાં જ ઊઠીને તમે પરમાત્મા સુધી પહોંચશો.

જે દિવસ તમારી કરુણા એવી

તમે દેવોવાળાની જેમ પણ નહીં બચો,

પાછળ કોઈ રહી જ નહીં જાય,

કર્તાનો કોઈ ભાવ નહીં બચે-

એ દિવસે તમે પરમાત્મા થઈ ગયા.

પછી તમે અસીમમાં ઊતરી ગયા,

અસીમ તમારામાં ઊતરી આવ્યું.

પરમાત્માની વાતોમાં બહુ વિચારમાં નહીં પડતા.

જીવનની સીડી તો આ જ છે-

કામથી પ્રેમ, પ્રેમથી કરુણા,

કરુણા પછી

છલાંગ આપો-આપ લાગી જાય છે,

તેનાથી આગળ કોઈ સોપાન નથી.

     -બિન ધન પરત કુહાર પ્રવચનમાંથી  

 .

લગભગ એવું બને છે કે

પ્રેમને જે નથી જાણતા,

તે પ્રેમના સંબંધમાં બોલે છે,

લખે છે, ગીત ગાય છે.

આ પ્રેમના ખાલીપાને ભરવાના ઉપાય છે.

જેમણે પ્રેમને જાણી લીધો,

તે કદાચ ચૂપ પણ થઈ જાય;

અથવા તો કાંઈ કહે તો,

કદાચ તમારી સમજમાં ન આવે,

કારણ કે તમે તો પ્રેમ જાણ્યો નથી;

જેણે જાણીને કહ્યું છે,

તેની વાત તમને ગમશે નહીં.

     -એસ ધમ્મો સનંતનો પ્રવચનમાંથી

 .

પ્રેમી ધન નથી કમાઈ શકતો,

કમાઈ લે, તો બચાવી નથી શકતો.

એક તો પ્રેમીને કમાવવું મુશ્કેલ થશે,

કારણ કે તેનામાં હજાર કરુણાઓ જાગશે.

કોઈની પાસેથી વધારે પણ નહીં લઈ શકે.

છેતરી પણ નહીં શકે.

જેના હૃદયમાં પ્રેમ છે,

તે બહુ બહુ તો

પોતાના પૂરતું કમાઈ લે.

એટલું પણ થાય તો ઘણું !

ધન ભેગું કરવા માટે તો,

છાતીમાં હૃદય નહીં,

પથ્થર હોવો જોઈએ.

ધન પ્રેમની હત્યા કરીને ભેગું થાય છે.

     -એસ ધમ્મો સનંતનો પ્રવચનમાંથી

 .

( ઓશો )

પ્રેમ – ઓશો

.

જીવનથી એ જ મળે છે,

જે તમે જીવનને આપો છો,

તમે જે આપો છો, એ જ પામો છો.

તમે પ્રેમ આપો અને ભૂલી જાઓ.

તમે પ્રેમ આપો અને બદલામાં માંગો નહીં,

તમે પ્રેમ આપો અને ધન્યવાદ આપો કે

કોઈએ તમારા પ્રેમનો સ્વીકાર કર્યો ;

ત્યારે તમે ધીરે-ધીરે જોશો

પ્રેમ ઉપર ઊઠવા લાગ્યો

ત્યારે એક નવા જ આયામમાં

તમારી ગતિ થાય છે.

તમારી ચેતના એક નવા લોકમાં

પ્રવેશ કરે છે.

 .

 .

જ્યારે પણ પ્રેમ જાગે છે તો ભય પેદા થાય છે.

કારણ કે જ્યાં પ્રેમ પેદા થાય છે,

ત્યાં અહંકાર વિસર્જિત કરવો પડે છે,

અને ત્યાં જ ભય લાગે છે.

આપણે અહંકારને પકડી રાખીએ છીએ,

ચાહે પ્રેમ મરે તો મરી જાય.

પ્રેમને પકડો, અહંકારને મરી જવા દો.

પ્રેમ સંપદા છે. પ્રેમ સમાધિ છે.

પ્રેમ સર્વસ્વ છે.

પ્રેમની નૌકા જ તમને

પાર લઈ જઈ શકે છે.

 .

( ઓશો )

પ્રેમ – ઓશો

.

પ્રેમથી વધારે સરળ અને સ્વાભાવિક

બીજો કોઈ અનુભવ નથી.

અહંકાર તમે છોડ્યો,

તો પ્રેમ જ સંભવ નથી થતો

પ્રેમની સાથે-સાથે બીજી પણ

અસંભવ વાતો સંભવ થઈ જાય છે.

ધ્યાન સંભવ થઈ જાય છે.

સ્વતંત્રતા સંભવ થઈ જાય છે.

શાશ્વતતા સંભવ થઈ જાય છે.

અમૃત સંભવ થઈ જાય છે.

પ્રેમનું દ્વાર શું ખૂલે છે…

મંદિર ખૂલી જાય છે.

મંદિર, જેના અનંત આયામ છે.

જે મંદિરમાં પ્રવિષ્ટ થયો,

તેણે જ જીવનના અર્થ જાણ્યા,

જીવનની ગરિમાને ઓળખી.

 .

.

પ્રેમ મળી જાય,

તો પરમાત્મા મળી જાય છે.

પ્રેમ વગર પરમાત્મા નથી મળતો.

પ્રેમ સર્વાધિક મૂલ્યવાન છે,

પ્રાર્થના પણ એટલી મૂલ્યવાન નથી.

જેણે પ્રેમ નથી જાણ્યો,

તે પ્રાર્થનાથી પરિચિત જ નહીં થઈ શકે.

પ્રેમ જ શુદ્ધ થઈને પ્રાર્થના બને છે.

પ્રેમ જ નિખરીને પ્રાર્થના બને છે.

પ્રેમ સમજો કે કાચી પ્રાર્થના છે,

પ્રાર્થના પાક્કો પ્રેમ.

.

( ઓશો )

પ્રેમ – ઓશો

.

બુદ્ધિ પાપોથી ભરી હોય,

તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે.

જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો,

તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે.

તેનું સુખ તમારું સુખ,

તેનું દુ:ખ તમારું દુ:ખ

તેના જીવન અને તમારી વચ્ચેની

સીમા તૂટી ગઈ.

તમે એક-બીજામાં વહો છો.

જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને

પરમાત્મા વચ્ચે ઘટે છે,

તો તેનું નામ પ્રાર્થના,

આરાધના, પૂજા, ભક્તિ

એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.

 .

.

જો પ્રેમની સંપદા તમારી પાસે હોય,

તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી,

પ્રેમ પોતે જ પર્યાપ્ત છે.

પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.

જો તમે પ્રેમ કરી શકો,

તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,

તમે ઉત્સવ મનાવી શકશો.

આ અસ્તિત્વ પ્રત્યે

તમે અનુગ્રહિત થઈ જશો.

જો તમે પ્રેમ કરવા સમર્થ છો,

તો પ્રેમ જ આશિષ બની જાય છે.

.

( ઓશો )

ઝંખના – પલ્લવી શાહ

.

ક્યાંથી બંધાઈ જાય છે આ બંધનો ? આજે કાંઈ નથી, ગઈકાલે કાંઈ ન હતું અને અચાનક પળ એવી આવી અને આપણે આ લાગણીના બંધનમાં બંધાઈ ગયાં. પછી એ લાગણીની માયા એવી લાગી જાય છે કે જે ગઈકાલે કાંઈ ન હતું એ આજે, આ પળે સર્વસ્વ થઈ જાય છે. આપણે પણ આવા કોઈ બંધનમાં બંધાઈ ગયાં અને મેં મારું સર્વસ્વ તને સોંપ્યું. મારો ભુતકાળ એક વાર્તા બની ગયો અને વર્તમાન એક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. ખબર નહિ કેમ આનંદ આનંદ ચારે તરફ વ્યાપી ગયો. અંગે અંગમાં વ્યાપી ગયો અને પવનના દરેકે દરેક કણ ઉપર મેં આપણાં નામ લખી નાખ્યાં. હવે આ પવન દરેકના કાનમાં જઈ આપણા નામની ફૂંક મારી આવે છે. દરેકે દરેક જણને ક્ષિતિજ ઉપર આપણા નામની રંગોળીઓ પૂરે છે. તને ગમે છે ને ?

.

.

જ્યારે જ્યારે હું તને મારા શબ્દો વડે શણગારવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારી પાસે શબ્દભંડોળ ખૂટી જાય છે.

.

જ્યારે જ્યારે હું તને મારા વિચારો દ્વારા શણગારવાનો પ્રયત્ન કરું છું ત્યારે હું વિચારો કરતાં કરતાં સૂઈ જાઉં છું.

 .

જ્યારે જ્યારે હું તારી સમક્ષ મારાં ગીતો ગાઉં છું ત્યારે ત્યારે હું અપલક તને નિરખ્યા કરું છું અને મારું ગાન ભૂલી તારામાં તન્મય થઈ જાઉં છું.

 .

હું વિચારું છૂં, કોણ છે તું ? જે મને મારું બધું ભુલાવી દે છે, હું જાગું છું, હું ઉઠું છું, ચાલુ છું બસ જ્યાં જાઉં ત્યાં તને જ ઝંખુ છું. શા માટે ? શા માટે ? શા માટે ?

.

.

મને વાંસળી વગાડતાં આવડતી નથી, નહિંતર મારી વાંસળીના સૂર ફેલાવી, હવામાં રેલાવી તને સંદેશો પહોંચાડત કે હું તારી રાહ જોઉં છું. મેં કાગળ તો લખ્યો છે, પણ મારી પાસે એવો કોઈ ટપાલી નથી કે જે મારો પત્ર તારા સુધી પહોંચાડે. કે નથી તારું સરનામું મારી પાસે. નહિતર હું જાતે આવીને મળી જાઉં. મારા અંતરની લાગણીઓ હવે મારા કાબૂમાં નથી અને તારી પાછળ ઘેલું થયેલું મારું હૃદય મારાથી કેમેય કરીને સચવાતું નથી. દરરોજ રાત્રીના જ્યારે બધાં જ સૂઈ જાય ત્યારે હું શણગારો સજીને તારા આવવાની રાહ જોઈને જાગરણ કરું છું અને પરોઢિયે મારી નિરાશ આંખો તડપતા હૃદય અને અતૃપ્ત ઝંખનાને લઈને હું પોઢી જાઉં છું. મારી આ અતૃપ્ત ઝંખનાને તું ક્યારે પૂર્ણ કરીશ ?

.

.

હું તો તારા રંગે રંગાયેલી છું બીજો કોઈ રંગ મને ગમતો નથી. દર્પણમાં જોઉં છું તો મને મારી બદલે તારું પ્રતિબિંબ દેખાય છે અને આંખો બંધ કરું તો પણ તું જ મારી ઉપર, નીચે અઅજુબાજુ બસ ચારે બાજુ ફક્ત તું જ છે. તું એક એવો તેજપૂંજ છે કે જે મારા અંગેઅંગમાં પ્રવેશી ગયો છે. તને મેળવવા મારા અણુંએ અણું ઝંખે છે. મારું હૃદય, તન મન ફક્ત તને જ ઝંખે છે. શું તું પણ મને ઝંખે છે ?

.

( પલ્લવી શાહ )

લેડી વિથ અ ડોટ – પન્ના નાયક

[ પન્ના નાયકનું નામ આવે એટલે અછાંદાસ કાવ્યો યાદ આવે. જો કે તેમણે કાવ્યના અન્ય પ્રકારો ગીતો, હાઈકુ, છંદોબદ્ધ કાવ્યો વગેરે પર પણ હાથ અજમાવ્યો છે. પણ સૌથી વધુ સર્જન તો અછાંદાસ કાવ્યોનું જ કર્યું છે. રજનીભાઈએ એમની એક પોસ્ટ અંગે વાત કરતાં મને પૂછ્યું હતું કે સુન્દરમે નવલિકાઓ પણ લખી છે એ તમને ખબર છે ? ત્યારે જાણીને મને થોડું આશ્ચર્ય થયું હતું. કારણ કે સુન્દરમનો વધુ પરિચય આપણને કવિ તરીકેનો જ છે. આવું જ આશ્ચર્ય મને પન્ના નાયકે નવલિકાઓ પણ લખી છે એ જાણીને થયું. હજુ મેં એમની એક જ નવલિકા વાંચી છે. પણ વાંચીને ગમી તો વાચકો સાથે વહેંચવાનું મને મન થયું. એમાં પન્નાબહેને મારી સાઈટ પર મૂકવાની સંમતિ આપી તો સોનામાં સુગંધ ભળવા જેવું થયું. આશા રાખું છું કે વાચકોને ગમશે.]

.

.

.

.

.

.