મને સૂરજમાં – શૈલા પંડિત

૭.

હે પ્રભુ,

મને સૂરજમાં પૂરી શ્રદ્ધા છે,

ભલે તે વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય.

 .

મને બીજના અસ્તિત્વ વિષે

કોઈ શંકા નથી,

ભલે તે જમીન હેઠે

મારાથી અણદીઠું પડ્યું હોય.

 .

મારી શ્રદ્ધા હજી પણ અડગ છે,

ભલે મને છેહના અનુભવો થયા હોય.

 .

પ્રેમમાં મારો વિશ્વાસ હજી ડગ્યો નથી,

ભલે મને

કેટલીયે વાર જાકારો મળ્યો હોય.

 .

અને,

ભલે તારા તરફથી

મને કોઈ અવાજ સાંભળવા ન મળ્યો હોય,

ભલે તું મૌન રહ્યો હોય,

તો પણ

મને તારામાં પૂરી શ્રદ્ધા છે.

 .

૮.

હે પ્રભુ,

તું હંમેશા મારો પથદર્શક બની રહેજે.

 .

હું એકલે હાથે ઝઝૂમતો હોઉં,

ત્યારેમને પૂરતું બળ આપજે.

 .

હું મારી વ્યથા ભોગવતો હોઉં

ત્યારે મને સાંત્વન પૂરું પાડજે.

 .

હું નાસીપાસ થઈ જાઉં

ત્યારે મારામાં શ્રદ્ધા પૂરજે.

 .

મારે માટે તારા જેવો કોઈ પથદર્શક નથી,

મૂંઝવણકાળમાં મને હંમેશ દિશા ચીંધતો રહેજે.

 .

( શૈલા પંડિત )

જ્યારે મારી સામે – શૈલા પંડિત

૫.

જ્યારે મારી સામે

કોઈ અડીખમ પર્વત ખડો હોય ત્યારે

મને ત્યાંથી વિદાય લેવા દઈશ નહિ.

મને તેની ઉપર ચઢવા જેટલું બળ આપજે.

જેથી શિખરે પહોંચ્યાની હું તૃપ્તિ અનુભવી શકું.

 .

એ પર્વત ચઢતાં ચઢતાં

મને વચ્ચે કેડીઓ સાંપડેલી રહે

એ જ મારી તારી પાસે અરજ છે.

ને જ્યાં કેડી ન દેખાય

ત્યાં મને બેસી પડવા દઈશ નહિ.

બલ્કે,

નવી કેડી ચાતરી લેવાની

સૂઝ ને સામર્થ્ય પૂરાં પાડજે.

 .

અને, શિખરે પહોંચી જવાની

તૃપ્તિ હું માણી શકું તે સારુ

મને તારી પ્રેરણા જોઈએ છે.

ને મને શ્રદ્ધા છે કે,

એ પ્રેરણાનો પ્રવાહ તું કદી સુકાવા નહિ દે.

 .

૬.

હે ઈશ્વર,

મને ક્યારેક ક્યારેક

–     મારી જાત માટે

–     મારા કાર્યો માટે

–     મારી શક્તિ માટે

–     મારી આવડત માટે

–     મારી સમજશક્તિ માટે

–     મારી દિશાસૂઝ માટે

શંકા સતાવતી રહે છે.

 .

ભલે મને શંકા થાય,

પણ તું એને ગુણાત્મક બળમાં

ફેરવી નાખજે એવી મારી પ્રાર્થના છે.

 .

મને એટલું શાણપણ આપ કે જેથી

મને મારી શંકા પરત્વે શંકા પેદા થાય

અને

મારી શ્રદ્ધા પરત્વે શ્રદ્ધા જાગ્રત થાય.

 .

( શૈલા પંડિત )

હે પ્રભુ – શૈલા પંડિત

૩.

હે પ્રભુ,

મને લાગે છે કે

હું ઉન્નત થતો જાઉં છું.

 .

પહેલાં હું કહેતો :

‘હું જોઉં તો મને શ્રદ્ધા બેસે’.

 .

હવે કહું છું :

‘મને શ્રદ્ધા બેસે તો જ હું જોઈ શકું.’

 .

હે પ્રભુ,

મને એ જ પ્રમાણે દ્રષ્ટિ  આપતો રહેજે.

 .

૪.

હે પ્રભુ,

મારી તને એક પ્રાર્થના છે.

 .

મારા સંજોગો કપરા બને

ત્યારે મારા આત્મવિશ્વાસને ડગમગાવી દે

એવો કોઈ કટુ શબ્દ

મારા મોંમાંથી નીસરી ન પડે

તે માટેનું મનોબળ

મને સતત પૂરું પાડતો રહેજે.

 .

( શૈલા પંડિત )

હે ઈશ્વર – શૈલા પંડિત

હે ઈશ્વર,

મારી સામેનો સાગર અગાધ છે,

અને, મારી નાવડી નાનકડી,

તો મારા પ્રત્યે રહેમ નજર રાખજે.

 .

૨.

હે ઈશ્વર,

મને અંધકાર રુચતો નથી.

હું સદાય ઉજાસ ઝંખું છું.

 .

અંધકાર પર ફિટકાર વરસાવવો

એ કરતાં

એક કોડિયું પેટાવવું

હજાર દરજ્જે રૂડું છે.

.

આજના દિવસને

મારી સમસ્યાના એક અંશ તરીકે નહિ,

પણ

સમસ્યાના આંશિક ઉકેલ

તરીકે નિહાળી શકું

એવી મને સૂઝ આપ.

 .

( શૈલા પંડિત )

તેં બધું જ – સુરેશ દલાલ

તેં બધું જ આપ્યું છે. જે છે એ ભલે રહે. વધુ ને વધુ કશું જોઈતું નથી. ઈશ્વર પાસે સતત માગ માગ કર્યા કરીએ એટલે પ્રાર્થના તો ભીખમંગી થઈ જાય છે. પ્રાર્થનાના શબ્દો તો સસલા જેવા સુંવાળા હોવા જોઈએ. ઈશ્વર એ શબ્દોને ખોળામાં બેસાડે, એને પંપાળે, એને લાડની ટપલી મારે – પ્રાર્થનામાં નરી ભૌતિક વાસનાઓ ભરવાથી પ્રાર્થના પથ્થર જેવી વજનદાર થઈ જશે – એ તો ડૂબી જશે તળિયે કાયમને માટે. પ્રાર્થના તો હોય મયૂરમુખી નાવ જેવી – જે ઈશ્વરનાસરોવરમાં તર્યા કરે.

 .

આ સંસારમાં ચાલવાની જવાબદારી મારી પણ અમને સંભાળવાની જવાબદારી તારી. આ વન, એનાં ઝાડીઝાંખરાં, એમાં ભમતાં હિંસક પશુઓ – આ બધાંથી તું નહીં ઉગારે તો કોણ ઉગારશે ? એવું નથી કે આ પશુઓ અમારી બહાર જ હોય છે. અમારી ભીતર પણ જે પશુ છે એને તું તારે માર્ગે વાળ – અને પશુમાંથી કંઈ નહીં તો માણસ તો બનાવ. માણસ થઈને જન્મ્યા છીએ તો કમમાં કમ અમે માણસ તરીકે તો જીવી શકીએ. અમારે નથી થવું દેવ કે નથી થવું દેવદૂત. અમે જે છીએ તે સારા છીએ. અમારે પૃથ્વી પર સ્વર્ગ નથી જોઈતું. પૃથ્વી પૃથ્વી રહે અને અમે માણસ માણસ જ રહીએ તો પણ તેં અમને અહીં જે કર્મ માટે મોકલ્યા છે એની સાર્થકતા અનુભવાય અને જિંદગી સ્વયં પ્રાર્થના થઈ જાય.

 .

( સુરેશ દલાલ )

धर्म जीने की कला – ओशो

.

मैं धर्म को जीने की कला कहता हूं

धर्म कोई पूजा-पाठ नहीं है

धर्म का मंदिर और मस्जिद से कुछ लेना-देना नहीं है

धर्म तो है जीवन की कला

जीवन को ऐसे जीया जा सकता है –

ऐसे कलात्मक ढंग से,

ऐसे प्रसादपूर्ण ढंग से –

कि तुम्हारे जीवन में हजार पंखुरियों वाला कमल खिले,

कि तुम्हारे जीवन में समाधि लगे,

कि तुम्हारे जीवन में भी ऐसे गीत उठे जैसे कोयल के,

कि तुम्हारे भीतर भी हृदय में ऐसी-ऐसी भाव-भंगिमाएँ जगें,

जो भाव-भंगिमाएँ प्रकट हो जाएँ तो उपनिषद बनते है,

जो भाव-भंगिमाएँ अगर प्रकट हो जाएँ

तो मीराँ का नृत्य पेदा होता है, चैतन्य के भजन बनते है

 .

( ओशो )

મિથ્યા છે – કુન્દનિકા કાપડીઆ

.

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2011/07/param-samipe-5.mp3|titles=param samipe 5]

.

હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું

અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય,

તો મારું એ તપ મિથ્યા છે.

 .

હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું

અને મારાં કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ નિર્મૂળ ન થાય,

તો મારી એ પૂજા મિથ્યા છે.

 .

હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન કરું

અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન મોટાઈનો ભાવ

નિર્મૂળ ન થાય, તો મારી ઉપાસના મિથ્યા છે.

 .

હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું

અને મારી ઈચ્છાઓ-વૃત્તિઓનું શમન ન થાય,

મારો દેહભાવ ઢીલો ન પડે,

તો મારી એ સાધના મિથ્યા છે.

 .

હે પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં

અને મારા જીવનમાં પ્રેમ કરુણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,

તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.

 .

( પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ, ઉદ્દગાર – અંકિત ત્રિવેદી )

.

[ આ પ્રાર્થના http://chhatbarashish.blogspot.com/2010/10/blog-post_22.html અને http://shivshiva.wordpress.com/2006/08/05/manan-chintan-2/ અને http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20080508/guj/supplement/d2.html બ્લોગ પર પોસ્ટ થઈ ચૂકી છે. પરંતુ શ્રાવણ માસના પ્રારંભે પ્રાસંગિક જણાતા ફરી પોસ્ટ મૂકું છું.

આ પ્રાર્થના અંકિત ત્રિવેદીના અવાજમાં સાંભળી શકાશે.]

 

શોર થઈ શકે – હેમેન શાહ

પ્રત્યેક ગલી-નગર-મુલકમાં શોર થઈ શકે

કંઈ જાણકારી ના હો છતાં જોર થઈ શકે !

 .

અત્યારે સહેલગાહ પૂરી થઈ ગઈ છતાં,

પરવાનગી આપો તો બીજો દોર થઈ શકે.

.

રસ્તા તરફ જે પૂજ્યભાવ રાખતો હતો,

પગથી કચડવા જેટલો કઠોર થઈ શકે ?

 .

પાનાં કિતાબનાં હવાઓ ફેરવી શકે,

કિન્તુ શરીર ક્યાં ફરી કિશોર થઈ શકે.

 .

અઘરી નથી અહીં ચળકતી લોકપ્રિયતા,

લોકો વિદૂષકોથી યે વિભોર થઈ શકે.

.

કહેવું પડે કે મિત્રોનાં હૃદય છે ફૂલનાં,

એકાદ પણ ન ખેલદિલ ટકોર થઈ શકે.

 .

( હેમેન શાહ )

બેઠા છીએ – આહમદ મકરાણી

હાથમાંઆ જામ લૈ બેઠા છીએ;

લ્યો, મજાનું કામ લૈ બેઠા છીએ.

 .

મિત્ર અંતે ક્યાં ગયા કોને ખબર ?

દુશ્મનોનું નામ લૈ બેઠા છીએ.

.

કોઈપણ અમને ઉઠાડો ના હવે;

આ જગાના દામ લૈ બેઠા છીએ.

 .

રાફડા છોને પછી ઘેરી વળે;

કેટલો આરામ લૈ બેઠા છીએ.

 .

સૂર્ય ઊગે તો અહીં દેજો ખબર;

જિંદગીની શામ લૈ બેઠા છીએ.

 .

આ ગઝલ અમથી લખાતી હોય ના-

વેદનાના ડામ લૈ બેઠા છીએ.

 .

( આહમદ મકરાણી )

खो गए – राजेश रेड्डी

डाल से बिछुडे परिन्दे आसमाँ में खो गए

इक हकीकत थे जो कल तक, दास्ताँ में खो गए

 .

जूस्तजू में जिसकी हम आए थे वो कुछ और था

थे जहाँ कुछ और है हम जिस जहाँ में खो गए

 .

हसरतें जितनी भी थीं सब आह बन करा उड गई

ख्वाब जितने भी थे सब अश्के-रवाँ में खो गए

 .

लेके अपनी अपनी किस्मत आए थे गुलशन में गुल

कुछ बहारों में खिले और कुछ खिजाँ में खो गए

 .

जिन्दगी, हमने सुना था चार दिन का खेल है

चार दिन अपने तो लेकिन ईम्तिहाँ में खो गए

 .

( राजेश रेड्डी )