जौहर दिवस – 26 अगस्त 1303

चित्तौड़ का पहला जौहर : 26 अगस्त 1303

.

ऐसे अवसर एक नहीं, कई बार आये हैं, जब हिन्दू वीरांगनाओं ने अपनी पवित्रता की रक्षा के लिए ‘जय हर-जय हर’ कहते हुए हजारों की संख्या में सामूहिक अग्नि प्रवेश किया था। यही उद्घोष आगे चलकर ‘जौहर’ बन गया। जौहर की गाथाओं में सर्वाधिक चर्चित प्रसंग चित्तौड़ की रानी पद्मिनी का है, जिन्होंने 26 अगस्त, 1303 को 16,000 क्षत्राणियों के साथ जौहर किया था।

.

पद्मिनी का मूल नाम पद्मावती था। वह सिंहलद्वीप के राजा रतनसेन की पुत्री थी। एक बार चित्तौड़ के चित्रकार चेतन राघव ने सिंहलद्वीप से लौटकर राजा रतनसिंह को उसका एक सुंदर चित्र बनाकर दिया। इससे प्रेरित होकर राजा रतनसिंह सिंहलद्वीप गया और वहां स्वयंवर में विजयी होकर उसे अपनी पत्नी बनाकर ले आया। इस प्रकार पद्मिनी चित्तौड़ की रानी बन गयी।

.

पद्मिनी की सुंदरता की ख्याति अलाउद्दीन खिलजी ने भी सुनी थी। वह उसे किसी भी तरह अपने हरम में डालना चाहता था। उसने इसके लिए चित्तौड़ के राजा के पास धमकी भरा संदेश भेजा; पर राव रतनसिंह ने उसे ठुकरा दिया। अब वह धोखे पर उतर आया। उसने रतनसिंह को कहा कि वह तो बस पद्मिनी को केवल एक बार देखना चाहता है।

.

रतनसिंह ने खून-खराबा टालने के लिए यह बात मान ली। एक दर्पण में रानी पद्मिनी का चेहरा अलाउद्दीन को दिखाया गया। वापसी पर रतनसिंह उसे छोड़ने द्वार पर आये। इसी समय उसके सैनिकों ने धोखे से रतनसिंह को बंदी बनाया और अपने शिविर में ले गये। अब यह शर्त रखी गयी कि यदि पद्मिनी अलाउद्दीन के पास आ जाए, तो रतनसिंह को छोड़ दिया जाएगा।

.

यह समाचार पाते ही चित्तौड़ में हाहाकार मच गया; पर पद्मिनी ने हिम्मत नहीं हारी। उसने कांटे से ही कांटा निकालने की योजना बनाई। अलाउद्दीन के पास समाचार भेजा गया कि पद्मिनी रानी हैं। अतः वह अकेले नहीं आएंगी। उनके साथ पालकियों में 800 सखियां और सेविकाएं भी आएंगी।

.

अलाउद्दीन और उसके साथी यह सुनकर बहुत प्रसन्न हुए। उन्हें पद्मिनी के साथ 800 हिन्दू युवतियां अपने आप ही मिल रही थीं; पर उधर पालकियों में पद्मिनी और उसकी सखियों के बदले सशस्त्र हिन्दू वीर बैठाये गये। हर पालकी को चार कहारों ने उठा रखा था। वे भी सैनिक ही थे। पहली पालकी के मुगल शिविर में पहुंचते ही रतनसिंह को उसमें बैठाकर वापस भेज दिया गया और फिर सब योद्धा अपने शस्त्र निकालकर शत्रुओं पर टूट पड़े।

.

कुछ ही देर में शत्रु शिविर में हजारों सैनिकों की लाशें बिछ गयीं। इससे बौखलाकर अलाउद्दीन खिलजी ने चित्तौड़ पर हमला बोल दिया। इस युद्ध में राव रतनसिंह तथा हजारों सैनिक मारे गये। जब रानी पद्मिनी ने देखा कि अब हिन्दुओं के जीतने की आशा नहीं है, तो उसने जौहर का निर्णय किया।

.

रानी और किले में उपस्थित सभी नारियों ने सम्पूर्ण शृंगार किया। हजारों बड़ी चिताएं सजाई गयीं। ‘जय हर-जय हर’ का उद्घोष करते हुए सर्वप्रथम पद्मिनी ने चिता में छलांग लगाई और फिर क्रमशः सभी हिन्दू वीरांगनाएं अग्नि प्रवेश कर गयीं। जब युद्ध में जीत कर अलाउद्दीन पद्मिनी को पाने की आशा से किले में घुसा, तो वहां जलती चिताएं उसे मुंह चिढ़ा रही थीं।

.

चारित्र्य, त्याग, वीरता और अभूतपूर्व शौर्य के प्रतीक रानी पद्मिनी जी के जौहर दिवस पर उन्हें शतशः नमन।

.

आत्मसम्मान की रक्षा के लिए 16000 वीरांगनाओं के साथ रानी पद्मिनी जी ने जलते हुए अंगारों के अग्निकुड में स्वयं को आहूत कर लिया था।

.

अपूर्व शौर्य के प्रतीक जौहर दिवस पर रानी पद्मिनी जी सहित 16000 वीरांगनाओं को सादर नमन करते हैं।

.

(अज्ञात )

તાવ વિશે આટલું જાણો-ડો. કલ્પેશ જોષી

ચોમાસાની ઋતુ આવે એટલે આપણે ત્યાં , દવાખાનાઓ તાવના દર્દીઓથી ઉભરાઈ જાય.

.

તાવ વિશે આટલું જાણો :
તાવ- હંમેશા તમારો દુશ્મન નથી , મિત્ર પણ હોય શકે . તાવ તમારી રક્ષા માટે કુદરતનો રસ્તો છે , હળવો તાવ તમને સારા થવામાં મદદરૂપ થાય છે ..

.

શું તમે જાણો છો?
Fever એટલે કે તાવ એ બીમારી નહીં, પણ બિમારીનું એક લક્ષણ છે . તાવ , infection સામે શરીરની સ્વાભાવિક રક્ષણ પદ્ધતિ છે.
જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે મગજ શરીરનું તાપમાન વધારી દે છે ,જેથી જીવાણુઓ સામે લડવામાં મદદ મળે.

.

તાવનાં ફાયદા:
• આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે , ઊંચા તાપમાને શરીરના immune cells વધુ અસરકારક બને છે.
• ઘણા બેક્ટેરિયા અને વાયરસ ઊંચા તાપમાને ઝડપથી વધી શકતા નથી એટલે એમનો વિકાસ અટકે છે .
• ઝડપી સાજા થવામાં મદદ — Fever ઘણી વખત ઇન્ફેક્શન દૂર કરવામાં મદદરૂપ બને છે.

.

વિજ્ઞાન શું કહે છે?
એક અભ્યાસમાં જોવા મળ્યું કે ઇન્ફેક્શનમાં જે લોકો સતત તાવ ઉતારવા માટે દવા લેતા હતા, તેઓ ઘણી વાર ધીમા સાજા થતા હતા, જ્યારે જે લોકો હળવા-મધ્યમ તાવને દબાવતા નહોતા, તેઓ ઝડપથી સાજા થતા અને ઓછાં કોમ્પ્લિકેશનસ થતાં.

.

ક્યારે તાવ ઉતારવો જોઈએ?

.

તાવ હંમેશા તરત ઉતારવાની જરૂર નથી, પરંતુ જો:
• તાવ 102°F (38.9°C) થી વધુ છે અથવા તમને તાવને લીઘે તકલીફ કે અસ્વસ્થતા લાગતી હોય .
• નાના બાળકો, વૃદ્ધ, અથવા ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓમાં , જેમકે હૃદય કે fefasani બિમારીવાળી વ્યકિતઓ .
• જો તમને તાવને લીઘે શ્વાસ લેવામાં તકલીફ, કન્ફ્યુઝન લાગવું, ચામડી પર ચકામા, સતત ઉલ્ટી વગેરે થતાં હોય.

.

બીજી મહત્વની બાબતો-
• તાવ હોય તો વધુ પાણી અથવા પ્રવાહી પીવો , કારણ કે શરીર વધું માત્રામાં પાણી ગુમાવે છે .
• આરામ કરો, વધારે ગરમ કપડાં ન પહેરો.
• ફીવર ઇન્ફેકશન સામે લડવામાં શરીરને મદદરૂપ થાય છે , પરંતુ ડોક્ટરને બતાવવું અને એનું કારણ જાણવું જરૂરી છે .

.

ટૂંકમાં,
Fever ઘણી વખત તમારા શરીર ને ઇન્ફેકશન સામે લડવામાં મદદરૂપ થાય છે — માત્ર થર્મોમીટરનું રીડિંગ નહિ, પરંતુ તેના પાછળનું કારણ તમારી સારવારનું લક્ષ્ય હોવું જોઈએ .

.

  • ડો. કલ્પેશ જોષી .
    લોટસ હોસ્પિટલ , વલસાડ .

असभ्य हूँ-गोविंद माथुर

मैं असभ्य हूँ क्योंकि

औपचारिक गोष्ठियों में बैठकर

सहित्य, कला, संस्कृति पर

बात नहीं करता

मेरे चेहरे से आभिजात्य नहीं टपकता

मैं कहीं से भी

बुद्धिजीवी नहीं लगता

मैं असभ्य हूँ क्योंकि

मैं हिंदी माध्यम स्कूल में पढ़ा हुआ हूँ

मैं औपचारिक होने का नाटक नहीं कर सकता

शिक्षित लोगों में बैठकर

बात-बात में अँग्रेज़ी शब्दों का

उच्चारण नहीं करता

मैं असभ्य हूँ क्योंकि

मैं व्यवहार कुशल नहीं हूँ

मैं व्यक्तियों का उपयोग करना नहीं जानता

संबंधों को भुनाना मुझे नहीं आता

मुझमें प्रभावित करने के

गुण नहीं हैं न ही मैं

उपयोगी प्राणी हूँ

मैं असभ्य हूँ क्योंकि

मैं झूठ नहीं बोलता

किसी को गाली नहीं देता

किसी को हिक़ारत से नहीं देखता

किसी की चापलूसी नहीं करता

मैं असभ्य हूँ क्योंकि

मैं भावुक हूँ संवेदनशील हूँ

मैं ठहाका लगाकर हँसता हूँ

कभी-कभी

लोगों के बीच रो भी देता हूँ

मुझे सभ्य लोगों के

बीच बैठना नहीं आता

क्योंकि मैं असभ्य हूँ

.

( गोविंद माथुर )

.

હું અસભ્ય છું

કેમ કે

ઔપચારિક ગોષ્ઠીઓમાં બેસી

સાહિત્ય, કળા, સંસ્કૃતિ વિષે

ચર્ચા નથી કરતો

મારા ચહેરેથી આભિજાત્ય નથી ટપકતું

હું કોઈ રીતે બુદ્ધિજીવી નથી લાગતો

હું અસભ્ય છું

કેમ કે

હું સ્થાનિક માધ્યમમાં ભણ્યો છું

હું ઔપચારિકતાનું નાટક નથી કરી શકતો

શિક્ષિત લોકો વચ્ચે બેસી

વાતવાતમાં અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ નથી કરી શકતો

હું અસભ્ય છું

કારણ કે

હું વ્યવહાર કુશળ નથી

મને માણસનો ઉપયોગ કરતાં આવડતું નથી

સંબંધો વટાવતાં આવડતું નથી

મારામાં સામા માણસને પ્રભાવિત કરવાનો ગુણ નથી

ન તો હું ઉપયોગી પ્રાણી છું

હું અસભ્ય છું

કારણ કે

હું જૂઠ બોલતો નથી

કોઈને ગાળ આપતો નથી

કોઈને તિરસ્કારથી જોતો નથી

કોઈની ચાપલુસી કરતો નથી

હું અસભ્ય છું

કારણ કે

હું ભાવુક છું

સંવેદનશીલ છું

મોટેથી હસું છું

ક્યારેક તો લોકો વચ્ચે

રડી પણ લઉં છું

મને સભ્ય લોકો સાથે ફાવતું નથી

કારણ કે

હું અસભ્ય છું…

.

( ગોવિંદ માથુર, – હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને યુવાનો – મિતેષ પાઠક

.

પગાર પહેલી તારીખે આવે છે પરંતુ મહિનાની પંદર તારીખે તો આખર તારીખ આવી જાય છે.

.

25-35 વર્ષના વયજૂથના કે એનાથી વધુ ઉંમરના ઘણાંની પાસેથી આ વાત સાંભળવા મળે છે. આના માટે શું કરવું?

.

પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ (વેપારી કે એન્ટ્રેપ્રેન્યોરને પણ લાગુ પડી શકે છે) વર્ગ માટેની અનુભવોક્તિ:

.

  1. 💰 તમારા મહિના ના પગારનો 50%થી વધુ ખર્ચ ન કરો. ➖ 50:40:10 આ એક સાદો નિયમ છે. 50% સુધી જીવન જરૂરિયાતનો ખર્ચ. 40% બચત રોકાણ અને લોન ઇએમઆઇ અને 10% લાઇફસ્ટાઇલ ખર્ચ..
  2. 💹 બાકી 40% બચાવો અને ઓછામાં ઓછી 3 જુદા-જુદા સ્થળે રોકાણ કરો. ➖ તમે તમારા પોતાના રિસ્ક પ્રોફાઈલ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ, પી.પી.એફ., ઇક્વિટી, સોનું, એન.પી.એસ., FD, જીવન વીમા જેવી જગ્યાએ રોકાણ કરી શકો છો.
  3. 🧾 હંમેશા બીજી આવકના સ્ત્રોત માટે પ્રયત્નશીલ રહો. ➖ રોકાણ પરના ડિવિડન્ડ, વ્યાજની આવક, મ્યુચ્યુઅલ ફંડ કે વીમા સલાહકાર તરીકે કામ કરી શકાય છે. ➖ જો જીવનસાથી પણ કામ કરતા હોય તો જીવનસાથીની આવકને બીજી આવક ન માનો, એ આવકને તાત્કાલિક જરૂરિયાત માટેનો “ઇમર્જન્સી ફંડ” સમજો.
  4. 🏥 તમારા પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ અને વાર્ષિક આવકના 12-20 ગણો ટર્મ ઈન્શ્યોરન્સ જરૂર હોવો જોઈએ.
  5. 🚫 બીજાઓની લાઈફસ્ટાઇલ જોવા જઈને પોતાનું જીવન ના ચલાવો. દરેકની પોતાની વિચારસરણી હોય છે. કોઈને દેખાદેખીથી અનુસરવાની જરૂર નથી. ➖ તેના બદલે, તેમને મળતી સફળતાના પાછળનો પરિશ્રમ સમજો અને તે પ્રમાણે સેલ્ફ ડેવલપમેન્ટ પર રોકાણ કરવું જોઈએ.
  6. 🏦 લોન લો ત્યારે એને “એસેટ – મિલકત” બનાવવા ઉપયોગ કરો, ‘લાયબિલિટી’ નહીં. ✔️ એસેટ તરીકેની લોન: ➖ ખુદના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કે બાળકોના શિક્ષણ માટે એજ્યુકેશન લોન
    ➖ ઓછા જોખમ વાળા વ્યવસાય માટેની લોન (જ્યાં નિયમિત આવક હોય)
    ➖ હોમ લોન – ત્યારે જ લો જ્યારે EMI તમારું ભૂતકાળનું ભાડું જેટલું કે થોડું વધારે હોય ❌ લાયબિલિટી તરીકેની લોન: ➖ લક્ઝરીયસ ફ્લેટ માટે લોન (જરૂરિયાત કરતાં વધુ અને રિપેમેન્ટ ક્ષમતાથી વધુ એવોઇડ કરવો)
    ➖ લક્ઝરીયસ કાર ખરીદવી – કાર આમ તો ડેપ્રીસીએટીંગ એસેટ ગણાય એટલે બેઝિક જરૂરિયાત પૂર્ણ થાય એ કાર પહેલી પસંદગી હોય તો ઇએમઆઇ મેનેજેબલ રહેશે.
    ➖ વિદેશમાં વેકેશન માટે કે અન્ય આવા મોજશોખ માટે પર્સનલ લોન
  7. 👪 ક્યારેય તમારા માતા-પિતાની સંપત્તિ પર આધાર રાખશો નહીં – કારણ કે તેઓ પણ તમારી આવક પર આધાર રાખતા નથી.
  8. 💸 ખર્ચ ઘટાડવાના રીતો: ➖ ફૂડ ડિલિવરી કે ક્વિક કોમર્સ એપ્સ પર ખરીદી વખતે આંગળી પર કાબુ રાખો. ફ્રી ડિલિવરી અને ફ્રી કેશ કારણે બીનજરૂરી ખર્ચ બમણો થઈ શકે છે.
    ➖ મોલમાં કે શોપિંગ એપ્સ પર ખરીદી વખતે પહેલેથી તૈયાર લિસ્ટ ઉપયોગી પુરવાર થાય છે. એના કારણે બિનજરૂરી ખરીદી ટાળી શકાય છે.
    ➖ શક્ય હોય ત્યારે સીટી બસ, મેટ્રો (જ્યાં લાગુ પડે છે), ઑટો રિક્ષા – ઓલા ઉબર ટેક્સીનો ખર્ચ ટાળી શકાય છે. ➖ આ બધી એપ્સ અને સરળ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ એ માટે બનાવવામાં આવી છે કે તમે ઇમ્પલસીવ બાયર બની જાવ છો અને જરૂર ન હોય ત્યારે પણ ખર્ચ કરતા રહો છો.
  9. 🎉 “YOLO – You Only Live Once – જિંદગી એક જ મળી છે, મોજ કરીને જીવો” જેવા માર્કેટિંગના વમળમાં માં પડીને ખોટા ખર્ચા ન કરો. ➖ આવું ઘણીવાર ક્ષણિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે જીવનમાં સંતોષ આપે એવું નથી.

.

નિયમિત બચત, સમજદારીપૂર્વક રોકાણ અને કરકસર એ લોભ નથી. આ રીતે પણ આનંદથી જીવી શકાય એ રીત શીખવી જરૂરી છે.

.

જે નિર્ણય 25-35 વર્ષની ઉંમરે લેતા હોઈએ છીએ એની અસર લાંબાગાળાના ભવિષ્ય માટે અસર કરે છે.

.

Adopted.

Photo courtesy Meta Ai

.

( મિતેષ પાઠક )

એનર્જીથી તરબતર સચ્ચિદાનંદ સ્વામીજી

.

યોગ-ઉપવાસમાં જરાય ન માનતા આ સચ્ચિદાનંદ  સ્વામીજી ૯૩ વર્ષે પણ એનર્જીથી તરબતર છે !

 જાણીએ, શું કહેવું છે તેમને પોતાની સદાબહાર તંદુરસ્તી વિશે.

.

કુદરતી જીવન જીવો:

હું વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરત વિરોધી છે, ત્યારે એ બધું મેં છોડી દીધું.

.

નેતી, ધોતી, બસ્તી, કુંજલ, નૌલી જેવી યૌગીક ક્રિયાઓ અને વધુપડતો પ્રાણાયામ કુદરત વિરોધી છે.

.

આખી જિંદગી યોગ કરતા કેટલાય યોગીઓને મેં ભૂંડી રીતે મરતા જોયા છે.

.

યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ આરોગ્યને બરબાદ કરી દે છે. લોકોને પ્રભાવિત કરવા હોય તો આ બધું બરાબર છે, પણ એ કરાય નહીં. ત્યાગી લોકો મરતાં બહુ રિબાય છે.

.

એક ત્યાગી યોગી એટલું રિબાયા હતા કે મરતાં પહેલાં તેમણે એકરાર કર્યો હતો કે તેમણે જે કર્યું એ નહોતું કરવું જોઈતું.

.

મારી સાથે કનખલમાં રહેતા એક યોગી મર્યા ત્યારે તેમના શરીરમંથી એટલી દુર્ગંધ આવતી હતી કે સારવાર માટે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા તોઅમેરિકન સરકારે પણ તેમને તડીપાર કર્યા હતા.

.

આ બધા અનનૅચરલ જીવન જીવે છે, ગુફાઓમાં બેસે તો શરીરને ઑક્સિજન ન મળે અને પલાંઠી વાળીને બેસી રહે તેથી શરીરની હલનચલન ન થાય તેથી તે ડલ થઈ જાય.

.

મહેનત-મજૂરી કરનારા અને સહજ જીવન જીવતા લોકો જ સ્વસ્થ રહે છે અને તેમને સહજ મૃત્યુ મળે છે.

.

મારી આવી તતૂડી ભલે કોઈ ન સાંભળે, પણ એ હકીકત છે.

.

શરીરને સાચવવા હું કાંઈ નથી કરતો. તે એની મેળે જ સચવાય છે.યોગીઓ જે ધ્યાન કરે છે તે કુદરતી નથી, જીવન માટે જરૂરી પણ નથી. તમે જે કામ કરો એ ધ્યાનથી કરો, એમાં મન પરોવીને કરો તો એ તમારું ધ્યાન જ છે.

.

 સોયમાં તમે દોરો પરોવો ત્યારે એ ધ્યાન જ છે.

.

ઘરનું કામ છોડી ધ્યાન કરવા બેસો તો જેવી આંખો બંધ કરો એવું અંદરથી મન કૂદાકૂદ કરવા લાગશે.

.

યોગ અને ધ્યાને લોકોને ઊંધા રસ્તે વાળી દીધા છે. યોગી થવા કરતાં ઉપયોગી થાઓ, લોકોને ઉપયોગી બનો. સેવા પ્રવૃત્તિ કરો. લોકોનું ભલું થાય એવાં કામ કરો એ સૌથી મોટી સાધના છે.

.

ગીતામાં પણ કહ્યું છે કે યોગ: કર્મસુ કૌશલમ.

.

મારો નિત્યક્રમ:

.

– હું રોજ સવારે ૪ વાગ્યે ઊઠી જાઉં છું.

.

– નહાઈ-ધોઈ જાપ તથા પ્રાર્થના કરું.

.

– સાંજે સાડા છ વાગ્યે મંદિરમાં આરતી વગેરે પતે પછી મારી રૂમમાં જઈ થોડી વાર ટીવી જોઉં, જેમાં સમાચાર ખાસ જોઉં અને રાત્રે સાડાઆઠ વાગ્યે સૂઈ જાઉં છું.

.

રોજ સવારે ૧૦ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે જમી લઉં છું.

.

હવે ઉંમરના હિસાબે ઊંઘ જલદી ઊડી જાય છે તેથી રાત્રે ૧૨ વાગે જાગીને લખવા બેસી જાઉં ને પાછું મન થાકે ત્યારે સૂઈ જાઉં.

.

૧૯૯૪માં મદ્રાસમાં  બાયપાસનું ઑપરેશન થયું હતું. જોકે એ કર્યા પછી મને સમજાયું કે એની જરૂર નહોતી.ડૉક્ટરોના દબાણને કારણે વળી એ થયું.

.

હાર્ટ માટે ડૉક્ટરે આપેલી એક ગોળી સિવાયની અત્યારે હું કોઈ દવા નથી લેતો.

.

કોઈ વાર તાવ જેવું લાગે તો સુદર્શનની ગોળી લઈ લઉં.

.

શરીરને કોઈ તકલીફ થાય તો આયુર્વેદિક દવા લઈ શકાય.

.

બાકી .. શરીર આપમેળે સારું થઈ જતું હોય છે.

.

સ્વાદિષ્ટ ખાઓ:

હું પહેલાં ખાવામાં ગાંધીજીના અસ્વાદના રવાડે ચઢ્યો હતો.

.

 અસ્વાદ એટલે મીઠું, મરચું, ખાંડ, તેલ, મસાલા વગેરે ન ખાવા.

.

એમાં મારું શરીર બગડી ગયું તેથી મેં એ બધું છોડી દીધું.

.

લગભગ ૩૦-૩૫ વર્ષથી બધું ખાઉં છું તો શરીર સારું રહે છે. મસાલા દવાઓ છે.

.

પશ્ચિમના દેશોના રવાડે ચઢી આપણે મસાલાનો ત્યાગ કરવા લાગ્યા એ ખોટી વાત છે.

.

આપણા મસાલા લેવા માટે તો વાસ્કો દી ગામા ભારત આવ્યો હતો.

.

ખાવાનું હંમેશાં સ્વાદિષ્ટ ખાઓ તો એ પચશે.

.

કોળિયો મોઢામાં આવે ત્યારે ભરપૂર લાળ છૂટવી જોઈએ, એવું એ સ્વાદિષ્ટ હોવું જોઈએ.

.

હું રોજ બે જ ચીજો ખાઉં છું.

.

દાળ-રોટલી

.

અથવા તો શાક-રોટલી.

.

થાળી ભરેલી હોય એવું મને ન જોઈએ, પણ જે હોય એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. રોટલી બરાબર શેકાયેલી અને દાળ કે શાક સ્વાદમાં સરસ હોવાં જોઈએ.

.

રસોઈ ખાવાની પ્રેરણા થાય એવી સરસ એ બનેલી હોવી જોઈએ. હું બધું જ ખાઉં છું, કોઈ વસ્તુની ઍલર્જી નથી. કાંદા-લસણ પણ ખાઉં છું.એટલું જ નહીં, આશ્રમમાં બધાને એ ભરપૂર ખાવા કહું છું.

.

ખાવાનું પ્રમાણસર ખાવું જોઈએ. મસાલામાં કે ખાવામાં અતિરેક ન થવો જોઈએ એમ હું માનું છું.

.

મનની પ્રસન્નતા મહત્વની છે, હસો, રમો, ટોન્ટ-ટૂચકા કરો, ખાઓ, જૉબ કરો, હરો-ફરો, જેનાથી મન પ્રસન્ન થાય એ બધું જ કરો, બસ મન મુકીને જિંદગી જીવો. મનની પ્રસન્નતા જ સૌથી મોટો યોગ છે. જે કામ કરો એ મન પરોવીને અને ખુશીથી કરો. જે કરવાથી મન ખુશ રહે એવાં કામ કરો.

.

 મને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાં બહુ ગમે છે. એ હું જ્યારે મન થાય ત્યારે સાંભળું છું.

.

સંગીતકાર શંકર-જયકિશનવાળા જયકિશને જે ધૂનો બનાવી છે… લાજવાબ…!!!

.

થોડા સમય પહેલાં દસ લાખ રૂપિયાના ખર્ચે મેં વાંસદા ગામમાં જયકિશનનું સ્ટૅચ્યુ મુકાવ્યું છે, જે પહેલી વાર બન્યું છે કે કોઈ ફિલ્મ સંગીતકારનું સ્ટૅચ્યુ મુકાયું હોય!

.

જયકિશન વાંસદાનો મિસ્ત્રી હતો એની એના ગામના લોકોને પણ નહોતી ખબર!

.

બસ… એક પ્રોફેસર અને એક સંત  એમ બન્નેના સ્વાદિષ્ટ અને  વિવિધતાસભર ખોરાક વિષેના વિચારોથી  આજ સાંજથી જ તમારા દૈનિક ભોજનમાં પરિવર્તન લાવી દેજો. આ ખવાય, આ ન ખવાય તેના રવાડે ચડતા નહી.

.

 દિલ જે માગે તેને સંતોષજો. અને પછી જુઓ જિંદગીના પાટા કેવા બદલાઈ જાય છે. ચારે તરફ ખૂશી  અને પ્રસન્ન્તા છવાઈ ગઈ હશે અને તમારો પીછો નહી છોડે….

.

( સ્વામી સચ્ચિદાનંદ )

उसके मन में उतरना-सुमन केशरी

उसके मन में उतरना

मानो कुएँ में उतरना था

सीलन-भरी

अन्धेरी सुरंग में

उसने बड़े निर्विकार ढंग से

अंग से वस्त्र हटा

सलाखों के दाग दिखाए

वैसे ही जैसे कोई

किसी अजनान चित्रकार के

चित्र दिखाता है

बयान करते हुए–

एक दिन दाल में नमक डालना भूल गई

उस दिन के निशान ये हैं

एक बार बिना बताए मायके चली गई

माँ की बड़ी याद आ रही थी

उस दिन के निशान ये वाले हैं

ऐसे कई निशान थे

शरीर के इस या उस हिस्से में

सब निशान दिखा

वो यूँ मुस्कुराई

जैसे उसने तमगे दिखाए हों

किसी की हार के…

स्तब्ध देख

उसने मुझे हौले से छुआ..

जानती हो ?

बेबस की जीत

आँख की कोर में बने बाँध में होती है

बाँध टूटा नहीं कि बेबस हारा

आँसुओं के नमक में सिंझा कर

मैंने यह मुस्कान पकाई है

तब मैंने जाना कि

उसके मन में

उतरना

माने कुएँ में उतरना था

सीलन-भरे

अन्धेरी सुरंग में

जिसके तल में

मीठा जल भरा था..!

.

( सुमन केशरी )

मोल-प्रताप राव कदम

भीमकाय

चकित करने वाली विशालता

बिना प्रयास जहां आप ऊपर जा सकते हैं

नीचे भी।

भरसक कोशिश आपको

बरगलाने, ललचाने की

कि आप जरूरत, पसंद की चीजों के अलावा

गैर-जरूरी चीजों को भी रखें धकियाते ट्राली में।

शहर के बड़े होने का अहसास

जुड़ा इस विशालता से

ज्यादा खाने, बे-जरूरत बे-वजह खाने से भी

जुड़ा है बड़े होने का अहसास।

लादे-लादे इसे

घूम रहे हैं जहां-तहां

देख रहे हैं पुतलों को,

सिर नहीं है जिनके

पहने हैं उन्होंने आकर्षक कपड़े

सब आ-जा रहे हैं ऊपर-नीचे

दूसरे तीसरे चौथे माले

सब बे-फिक्र हैं, मस्त हैं, खरीददार हैं

और बेचने वाले आश्वस्त हैं।

.

( प्रताप राव कदम )

.

|| મોલ ||

મહાકાય

ચકિત કરનારી વિશાળતા

વિના પ્રયાસ જ્યાં તમે

ઉપર જઈ શકો

નીચે પણ

પૂરેપૂરી કોશિષ

તમને ભરમાવવા, લલચાવવાની

જેથી તમે જરૂરિયાત અને પસંદગીની વસ્તુઓ ઉપરાંત

બિનજરૂરી ચીજો પણ મૂકતા જાઓ ટ્રોલીમાં

નગરના વિકાસની અનુભૂતિ

જોડાઈ છે આ વિશાળતા સાથે

વધારે પડતું ખાવા, અનાવશ્યક, અકારણ ખાવા સાથે પણ જોડાયેલ છે આ વિશાળતાનો સંદર્ભ

એ બધું લાદીને જ્યાં જ્યાં ફરો છો

એ બધે જુઓ છો પૂતળાં

જેમને શીર્ષ નથી

પણ એમણે પહેર્યા છે આકર્ષક કપડાં

બધા ભાગમભાગ કરે છે ઉપર નીચે

બીજા – ત્રીજા – ચોથા માળે

બધા બેફિકર

બધા મસ્ત

બધા ગ્રાહક

અને વિક્રેતાને નિરાંત છે..

.

( પ્રતાપ રાવ કદમ, હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

रात के साढ़े तीन बजे हैं-शिवांगी गोयल

रात के साढ़े तीन बजे हैं
जाने कैसी सोच में गुम हूँ
कितनी रीलें देख चुकी हूँ
मन फिर भी तो बुझा हुआ है
जीत गई या हार रही हूँ
अब तक कोई खबर नहीं है
अम्मा-बाबा जगे हुए हैं, हैराँ से हैं
भाई मुझसे लिपट गया था
रो उट्‌ठा था
उसके आँसू याद आ रहे
उसकी बेचैनी भी मेरे पोर-पोर में जाग उठी है
सब अन्दर से टूट गया है

.

तुम पूछोगे किसने तोड़ा
एक नाम ले पाऊँगी क्या ?
मेरी आँखें आसमान के उस तारे को देख रही हैं
तुम भी देखो
देखो मेरे नानाजी हैं तारा बनकर
बोल रहे हैं मुझसे लोगों की मत सुनना
उम्र, पढ़ाई, नाम, पदक – सब बेमानी है
लोग कहेंगे चुप रहना, सब सह लेना
लोगों की परिभाषाएँ सब बेमानी है

.

दरवाज़े पर खटके से दिल काँप गया है
छुपकर देखा – कोई नहीं है-बेचैनी है
रात अँधेरी, कोई नहीं है, बेचैनी है
नींद कहाँ है?
शायद बिस्तर के नीचे है, झुककर देखें?
डर लगता है – किससे लेकिन?
एक नाम ले पाऊँगी क्या? सख़्त मनाही है

.

डरना हो तो डर सकती हो लेकिन सख़्त मनाही है
न! तुम कोई नाम न लेना!
रोते-रोते मर जाना पर – नाम न लेना
बड़े लोग हैं, बड़े नाम हैं
कल की लड़की – कौन हो तुम?
तुम्हें कौन सुनेगा?

.

रात समेटो, नींद उठाओ
ठीक तो हो तुम; ठीक नहीं क्या?
क्या पागलपन रोना-धोना
मुँह पर कस के पट्टी बाँधो
चुप – सो जाओ!

.

( शिवांगी गोयल )

પરપોટો ફૂટી ગયો – તુરાબ ‘હમદમ’

wallup.net

જેટલું કોઈ ગરજતું હોય છે,

એટલું એ ક્યાં વરસતું હોય છે.

.

કોક’દિ આવી ચડે કોઈ સ્મરણ,

કેટલી પીડા સરજતું હોય છે.

.

એક પરપોટો હતો ફૂટી ગયો,

કાંઈનું ક્યાં કંઈ ઊપજતું હોય છે.

.

જીવ નાદાની કરી લે છે કદી,

મન બધી વાતે સમજતું હોય છે.

.

આયનો એકીટસે જોયા કરે,

જો કોઈ શણગાર સજતું હોય છે.

.

આમ ઊગી નીકળી ‘હમદમ’ ગઝલ,

શબ્દનું કેવું નીપજતું હોય છે.

.

( તુરાબ ‘હમદમ’ )

પીડા તો – ઈસુભાઈ ગઢવી

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

સખી, પીડા તો અંગતના આંગણાનું નામ.

.

સુખ આપે પોતાનાં એવું કોણે કીધું?

દુઃખ દે છે પરાયાં એવું માની લીધું!

સખી, સુખ અને દુઃખ તો રાધા ને શ્યામ.

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

હોય આંસુ અઢળક એ તો મોટાં છે ભાગ,

કોણ આંસુ વિણ અંતરની ઓલવશે આગ?

સખી પારકાના પાણીનું આપણે શું કામ?

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

હશે વૈશાખી તાપ તો આવશે અષાઢ,

ઊગે ઊજળું પ્રભાત હશે અંધારું ગાઢ,

સખી, સમજણના સથવારે જીવવાનું આમ.

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

વેદના ને વહાલ તો બે સખીઓનો સાથ,

એક હશે આગળ બીજું પાછળ સંગાથ,

સખી, દુ:ખો તો સાવ કાચાં ઠ્ઠીકરાનાં ઠામ.

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

( ઈસુભાઈ ગઢવી )