તમારા ગયા પછી – નાઝિર દેખૈયા

By heenaparekh  

દિલને નથી કરાર તમારા ગયા પછી

આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી

 .

યત્નો કર્યા હજાર તમારા ગયા પછી

લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી

 .

વીતી રહ્યો છે એક સરીખો સમય બધો

શું સાંજ, શું સવાર તમારા ગયા પછી

.

ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી

આવી નથી બહાર તમારા ગયા પછી

 .

મહેફિલ છે એ જ, એ જ સુરા, એ જ જામ છે

ચડતો નથી ખુમાર તમારા ગયા પછી

 .

જીવનનો તાંતણો છે તમારા જ દમ સુધી

તૂટી જશે ધરાર તમારા ગયા પછી

 .

‘નાઝિર’ને છેક ઓશિયાળો ના તમે કરો

કરશે ન કોઈ પ્યાર તમારા ગયા પછી

.

‘નાઝિરનો સાથ છોડી જનારા જરા કહો !

કોને કરે એ પ્યાર તમારા ગયા પછી

 .

( નાઝિર દેખૈયા )

Share

4 Comments

  1. ભરત કોટડીયા
    Posted November 17, 2011 at 5:01 pm | Permalink | Reply

    ખુબ જ સરસ

  2. Posted November 18, 2011 at 1:55 pm | Permalink | Reply

    Nice.

  3. Posted November 18, 2011 at 1:57 pm | Permalink | Reply

    Nice

  4. Posted November 19, 2011 at 3:58 am | Permalink | Reply

    ખૂબજ સુંદરભાવ સાથેની રચના !

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME