પ્રણયના અંતિમ અધ્યાયનું અંતિમ ગીત – જગદીપ ઉપાધ્યાય

આવ્યાં આવ્યાં રે અસવાર

એ જ અદાથી ઊતર્યા, ઊભા રાખીને તોખાર…

 .

હરખે કેમ હસું રે વિઠ્ઠલા ! હોઠો પર ક્યાં ફૂલ ?

ખોયા આંખોનાં ઝળઝળિયાં મોતીશાં અમૂલ,

ચોખા બદલે વલવલતા લઈ શ્વાસ કરું સત્કાર…

 .

કાયા થઈ ખંડેર; રહી છે આશ ભરેલી આંખ,

ઊતરડાયાં પંખી કમખે પણ ઊડે છે પાંખ,

રાહ નીરખતાં સાજન ! વીત્યા દિવસ ચારેચાર…

.

ફૂલ હીંડોળા મેં ક્યાં માગ્યા ને ક્યાં અંબર મેડી,

સાજન ! આવ્યો એ જ ઘણું છે લે પળ બાથમાં તેડી,

સરગાપરને મારગ જાતાં સૂઈ લઉં થોડી વાર…

.

એક વહે ધરતીથી નભ લગ પ્રીત તણું સંગીત,

ઝાડે, ઝરણે ને સંભળાતાં ઠૂંઠામાં પણ ગીત,

ભીતરની સૌ ભ્રમણા ભાંગી સંધાયો છે તાર…

.

( જગદીપ ઉપાધ્યાય )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.