बचपन में घर में दवाई का कोई डिब्बा नहीं था बस एक फूँक थी जरा भी दर्द होता एकदम उनके मुँह से निकलती बिन सोचे समझे।
.
मैं नाजुक सी थी चलते, उठते, बैठते रोज चोट खाती बाबा कहते अरे देख तो कीड़ी मार दी मुझे उसके मरने का अफ़सोस होता बाबा फूटे घुटने पर तब फूँक मारते और मैं भूल जाती सबकुछ।
.
माँ चुन्नी पर भफारा भर मेरी आँख सेंकती थी एक-दो-तीन-चार कर कहती देख वे आए तेरे मामा के मोर सब रड़क भूल मैं आसमान निहारती थी। माँ की फूँक गर्माहट से भर देती थी मुझे।
.
फूँक कभी फूटी कोहनी पर लगती मरहम सी कभी भाई की टोक पर झाड़ा बन कभी चूल्हा सुलगाती कभी दीवा बुझाती कभी मोमबत्ती की लौ के बाहर-बाहर घूमती थी कोई सूल भी चुभती तो बहनें फूँक ही मारती थी जले हाथ पर भी फूँक बर्फ का काम करती रही।
.
मेरे आस-पास कितनी फूँक थी।
.
माँ! मन जलाए बैठी हूँ कुछ दिन से नया जमाना है शायद कोई फूँक असर करे तुम करो ना कुछ।
.
( सुनीता करोथवाल )
|| દાઝ્યા મન પર એક ફૂંક ||
.
નાનપણમાં ઘરે કોઈ દવાનો ડબ્બો નહોતો બસ એક ફૂંક હતી સ્હેજ પણ દુઃખાવો હોય અનાયાસ માબાપના મોઢેથી નીકળતી કશું વિચાર્યા વિના
.
હું નાજુક હતી ચાલતાં, ઊઠતાં, બેસતાં વાગતું રહેતું બાપુ કહેતા, ” અરે જો કીડી મરી ગઈ “ મને કીડી મરી જવાનો અફસોસ થતો બાપુ ઇજા પામેલા ઘૂંટણ પર ફૂંક મારતા અને હું ભૂલી જતી બધી પીડા
.
બા પાલવમાં ફુંક ભરી મારી આંખને શેક કરતી ‘ એક બે ત્રણ ચાર ‘ બોલી કહેતી જો, આવ્યા તારા મામાના મોર હું રડવું ભૂલી આકાશ તરફ જોતી માની ફૂંક ગરમાવાથી ભરી દેતી મને
.
ફૂંક ક્યારેક ઇજાગ્રસ્ત કોણી પર મલમનું કામ કરતી ક્યારેક ભાઈને નજર લાગે ત્યારે ઝાડફૂંકનું ક્યારેક એ ચૂલો સળગાવતી ક્યારેક દીવો ઓલવતી ક્યારેક મીણબત્તીની શિખાની આસપાસ ઘુમરાતી કોઈ શૂળ જેવું ભોંકાતું તો પણ બહેનો ફૂંક જ મારતી દાઝ્યા હાથ પર પણ ફૂંક બરફનું કામ કરતી
.
મારી આસપાસ કેટલી બધી ફૂંક હતી
.
મા ! મન દઝાડી બેઠી છું થોડાક દિવસથી નવો જમાનો છે કદાચ કોઈક ફૂંક અસર કરે તું કર ને કશુંક…
હિન્દુ ધર્મમાં શ્રદ્ધાનો અર્થ છે – ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ. શ્રદ્ધા વગર કોઈ પણ પૂજા, જપ કે પ્રાર્થના પૂર્ણ મનાતી નથી.
.
ભગવદ્ ગીતા કહે છે કે જે કોઈ શ્રદ્ધાથી ભગવાનને સ્મરે છે, તેની ભક્તિ નિષ્ફળ નથી જતી. શ્રદ્ધા એટલે અંધવિશ્વાસ નહીં, પણ હૃદયથી ઊંડો વિશ્વાસ કે ભગવાન મારા રક્ષક છે અને મારી પ્રાર્થનાને સાંભળે છે.
.
જે ભક્ત શ્રદ્ધાથી પોતાના ઈષ્ટદેવને યાદ કરે છે, તેનાં જીવનમાં શાંતિ, શક્તિ અને આશીર્વાદનો પ્રવાહ આવે છે. એટલે જ કહેવામાં આવ્યું છે – શ્રદ્ધા વિના ભક્તિ નથી, અને ભક્તિ વિના મુક્તિ નથી.
.
આવા જ એક શ્રદ્ધા સાથે જોડાયેલા ઈતિહાસને આજે યાદ કરવો છે. વલસાડમાં સંવત ૧૮૬૨ના ભાદરવા વદ સાતમે અનાવિલ કોમના દેસાઈ રૂઘનાથજી લાલભાઈના ધર્મપત્ની મીઠીબાઈ પોતાના પતિની પાછળ સતી થયા હતા. હાલ સંવત ૨૦૮૧ ચાલી રહ્યું છે. એટલે કે આ વાતને ૨૧૯ વર્ષ થયા. પરંતુ હજુ આજે પણ વલસાડે આ સતીમાતાનું માન જાળવ્યું છે અને તેમને એક માતા તરીકે જ માનવામાં અને પૂજવામાં આવે છે.
.
તેઓ જે જગ્યાએ સતી થયા હતાં તે તરીયાવાડમાં સતીમાતાનું મંદિર આવેલું છે. આ મંદિર પરિસરમાં અન્ય મંદિરો પણ છે. જેમાં સતીમાતા ઉપરાંત બાલેશ્વર મહાદેવ (જેનો ઉલ્લેખ સતીમાતાના ગરબામાં કરવામાં આવેલ છે), હનુમાનજી, ગણપતિ અને અન્ય એક સતીમાતાનું મંદિર આવેલું છે. આસો સુદ આઠમ એટલે કે નવરાત્રીની આઠમે સતીમાતાના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. વલસાડ અને આજુબાજુના વિસ્તારના લોકો આઠમને દિવસે સવારે પહેલા પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા જાય છે. અને વળતા સાંજે સતીમાતાનાં મેળે જાય છે.
.
સતીમાતા જ્યાં રહેતા હતા ત્યાં હનુમાન શેરીમાં હજુ પણ તેમના વંશજો રહે છે. આઠમના દિવસે તેમના ઘરે હવન અને નૈવૈદ્ય થાય છે. નવરાત્રી પછી આસો સુદ અગિયારસના દિવસે હનુમાન શેરીમાં સતીમાતાનો ગરબો ગવાય છે. શરૂઆત ગણપતિના ગરબાથી થાય છે. પછી સતીમાતાનો ગરબો ગવાય છે. જેમાં વિસ્તારથી સતીમાતાનાં જીવન વિષે અને તેમના સતી થવા વિશેના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. આ ગરબો બ્રાહ્મણો દ્વારા ગાવામાં આવે છે. અને માત્ર પુરુષો આ ગરબો રમી શકે છે. ખૂબ જ પરંપરાગત રીતે અને સાદાઈથી આ ગરબો થાય છે.
.
.
આ વિષે જરૂરી માહિતી સતીમાતા કુટુંબના જનકભાઈ, તેજશભાઈ, કેતનભાઈ, નિયતીબેન, દર્શનાબેન વગેરે પાસેથી મને મળી છે. સતીમાતાનો ગરબો તથા તેનો વિડીયો લેવાની અનૂકૂળતા કરી આપવા બદલ હું સતીમાતા પરિવારનો આભાર માનું છું.
.
આ વલસાડનો એક ઈતિહાસ છે, વારસો છે, ત્યાગ-સમર્પણ અને સતીત્વની વાત છે, શ્રદ્ધાની વાત છે. જેમાં કોઈ તર્ક કે વિચારને સ્થાન નથી. તમે માનો તો સતી એ માતા છે.
.
( હિના એમ. પારેખ )
.
શ્રી ગણપતિનો ગરબો
.
પ્રથમે ગજાનન વિનવું ને, પ્રેમે લાગું પાય રે ..
ઉમિયા અંગથી ઉપન્યા તે, શંકર સુત કહેવાય…
ગણપતિ સેવો ને.
.
સકલ પ્રારંભે આધ્ય ગજાનન પૂજન સઘળે થાય રે–
શીશ અનૂપમ મુગર બીરાજે, પીતાંબર ધર્યું. કાય…
ગણપતિ સેવો ને.
.
ચતુર ભૂજ ચંચળ બે લોચન, લંબોદર કહેવાય રે
સીંદુર લેપન ચરચિત અંગે, પુષ્પ સેવંત સોહાય
ગણપતિ સેવો ને.
.
રૂમઝુમ ચરણે નેપુર વાગે, નાદ અનૂપમ થાય રે
મૂષક વાહન મોદિક ભોજન, સુધ્ધ બુધ્ધ નાર કહેવાય
ગણપતિ સેવો ને.
.
કૃપા કરો ગણરાય વિનાયક, કૃપાનિંધી કૃપાળ રે
સંકટ ચોથનો મોટો મહિમા, સંકટ નિવારણ થાય.
ગણપતિ સેવો ને.
.
ભાવે ભજે મનવાંછિત આપે, વિદનો દૂર પલાય રે—
સેવક જન તમ ચરણ પ્રપ્રતાપે, પ્રેમે ગરબો ગાય-~-
ગણપતિ સેવો ને.
.
વલસાડના સતી માતા શ્રી મીઠીબાઈનો ગરબો
.
પ્રથમ શિવસુત નંદકુમારને ચરણે નમું શીશ રે,
સતી તણો મહીમા વિસ્તારૂં સહાય થજો જગદીશ રે,
અંબે તું સાચી,
માંહે મોટાં રાખ્યાં રે ધીર, કાયા છે કાચી
.
આગળ કવિજન થઈ ગયા મોટા, મારી બુધ છે થોડી રે,
તેહ તણી કિરપા થઈ મુજને, આ લીલા મેં જોડી રે, અંબે….
.
ભાદરવા વદ ષષ્ઠી શનીએ, રાત રહી મધરાત રે,
સ્વામી તણી આતુર વેળાએ, મન કર્યો વિચાર.
સંવત અઢારસો બાંસેઠને ભાદરવા વદ સાત રે…
રોહિણી નક્ષત્ર ને ભાનુ સપ્તમીએ, સત ચઢ્યું નિરધાર, અંબે….
कभी आ भी जाना बस वैसे ही जैसे परिंदे आते हैं आंगन में या अचानक आ जाता है कोई झोंका ठंडी हवा का जैसे कभी आती है सुगंध पड़ोसी की रसोई से
.
आना जैसे बच्चा आ जाता है बगीचे में गेंद लेने या आती है गिलहरी पूरे हक़ से मुंडेर पर
..
जब आओ तो दरवाजे पर घंटी मत बजाना पुकारना मुझे नाम लेकर मुझसे समय लेकर भी मत आना हाँ , अपना समय साथ लाना फिर दोनों समय को जोड़ बनाएंगे एक झूला अतीत और भविष्य के बीच उस झूले पर जब बतियाएंगे तो शब्द वैसे ही उतरेंगे जैसे कागज़ पर उतरते हैं कविता बन
.
और जब लौटो तो थोड़ा मुझे ले जाना साथ थोड़ा खुद को छोड़े जाना फिर वापस आने के लिए खुद को एक-दूसरे से पाने के लिए।
.( गुलज़ार )
.
ક્યારેક એવી રીતે પણ આવ જેમ પંખી આવે ફળિયામાં અથવા જેમ અચાનક આવે કોઈ ઠંડી હવાની લ્હેરખી જેમ ક્યારેક આવે પડોશમાંથી રસોઈની સોડમ
.
આવ એ રીતે જેમ બાળક દોડતું આવે બગીચામાં દડો લેવા અથવા આવે ખિસકોલી સંપૂર્ણ અધિકારપૂર્વક ઘરની પાળીએ
.
જ્યારે આવ ત્યારે દરવાજે બેલ વગાડીશ નહીં પોકારજે મારું નામ સમય નક્કી કરીને પણ ન આવીશ હા પોતાનો સમય સાથે લાવજે પછી બંનેનો સમય જોડીને બનાવીશું એક હિંચકો અતીત અને ભવિષ્યની વચ્ચે એ હીંચકા પર બેસી જ્યારે ગપાટા મારીશું ત્યારે શબ્દો એમ ઉતરી આવશે જાણે કવિતા
.
અને જ્યારે પાછો ફર તો થોડોક મને લઈ જજે સાથે થોડોક સ્વયંને છોડી જજે અહીં ફરી પાછા ફરવા માટે
ऐसे अवसर एक नहीं, कई बार आये हैं, जब हिन्दू वीरांगनाओं ने अपनी पवित्रता की रक्षा के लिए ‘जय हर-जय हर’ कहते हुए हजारों की संख्या में सामूहिक अग्नि प्रवेश किया था। यही उद्घोष आगे चलकर ‘जौहर’ बन गया। जौहर की गाथाओं में सर्वाधिक चर्चित प्रसंग चित्तौड़ की रानी पद्मिनी का है, जिन्होंने 26 अगस्त, 1303 को 16,000 क्षत्राणियों के साथ जौहर किया था।
.
पद्मिनी का मूल नाम पद्मावती था। वह सिंहलद्वीप के राजा रतनसेन की पुत्री थी। एक बार चित्तौड़ के चित्रकार चेतन राघव ने सिंहलद्वीप से लौटकर राजा रतनसिंह को उसका एक सुंदर चित्र बनाकर दिया। इससे प्रेरित होकर राजा रतनसिंह सिंहलद्वीप गया और वहां स्वयंवर में विजयी होकर उसे अपनी पत्नी बनाकर ले आया। इस प्रकार पद्मिनी चित्तौड़ की रानी बन गयी।
.
पद्मिनी की सुंदरता की ख्याति अलाउद्दीन खिलजी ने भी सुनी थी। वह उसे किसी भी तरह अपने हरम में डालना चाहता था। उसने इसके लिए चित्तौड़ के राजा के पास धमकी भरा संदेश भेजा; पर राव रतनसिंह ने उसे ठुकरा दिया। अब वह धोखे पर उतर आया। उसने रतनसिंह को कहा कि वह तो बस पद्मिनी को केवल एक बार देखना चाहता है।
.
रतनसिंह ने खून-खराबा टालने के लिए यह बात मान ली। एक दर्पण में रानी पद्मिनी का चेहरा अलाउद्दीन को दिखाया गया। वापसी पर रतनसिंह उसे छोड़ने द्वार पर आये। इसी समय उसके सैनिकों ने धोखे से रतनसिंह को बंदी बनाया और अपने शिविर में ले गये। अब यह शर्त रखी गयी कि यदि पद्मिनी अलाउद्दीन के पास आ जाए, तो रतनसिंह को छोड़ दिया जाएगा।
.
यह समाचार पाते ही चित्तौड़ में हाहाकार मच गया; पर पद्मिनी ने हिम्मत नहीं हारी। उसने कांटे से ही कांटा निकालने की योजना बनाई। अलाउद्दीन के पास समाचार भेजा गया कि पद्मिनी रानी हैं। अतः वह अकेले नहीं आएंगी। उनके साथ पालकियों में 800 सखियां और सेविकाएं भी आएंगी।
.
अलाउद्दीन और उसके साथी यह सुनकर बहुत प्रसन्न हुए। उन्हें पद्मिनी के साथ 800 हिन्दू युवतियां अपने आप ही मिल रही थीं; पर उधर पालकियों में पद्मिनी और उसकी सखियों के बदले सशस्त्र हिन्दू वीर बैठाये गये। हर पालकी को चार कहारों ने उठा रखा था। वे भी सैनिक ही थे। पहली पालकी के मुगल शिविर में पहुंचते ही रतनसिंह को उसमें बैठाकर वापस भेज दिया गया और फिर सब योद्धा अपने शस्त्र निकालकर शत्रुओं पर टूट पड़े।
.
कुछ ही देर में शत्रु शिविर में हजारों सैनिकों की लाशें बिछ गयीं। इससे बौखलाकर अलाउद्दीन खिलजी ने चित्तौड़ पर हमला बोल दिया। इस युद्ध में राव रतनसिंह तथा हजारों सैनिक मारे गये। जब रानी पद्मिनी ने देखा कि अब हिन्दुओं के जीतने की आशा नहीं है, तो उसने जौहर का निर्णय किया।
.
रानी और किले में उपस्थित सभी नारियों ने सम्पूर्ण शृंगार किया। हजारों बड़ी चिताएं सजाई गयीं। ‘जय हर-जय हर’ का उद्घोष करते हुए सर्वप्रथम पद्मिनी ने चिता में छलांग लगाई और फिर क्रमशः सभी हिन्दू वीरांगनाएं अग्नि प्रवेश कर गयीं। जब युद्ध में जीत कर अलाउद्दीन पद्मिनी को पाने की आशा से किले में घुसा, तो वहां जलती चिताएं उसे मुंह चिढ़ा रही थीं।
.
चारित्र्य, त्याग, वीरता और अभूतपूर्व शौर्य के प्रतीक रानी पद्मिनी जी के जौहर दिवस पर उन्हें शतशः नमन।
.
आत्मसम्मान की रक्षा के लिए 16000 वीरांगनाओं के साथ रानी पद्मिनी जी ने जलते हुए अंगारों के अग्निकुड में स्वयं को आहूत कर लिया था।
.
अपूर्व शौर्य के प्रतीक जौहर दिवस पर रानी पद्मिनी जी सहित 16000 वीरांगनाओं को सादर नमन करते हैं।