Category Archives: પ્રાસંગિક

શ્રદ્ધાંજલિ – ઉશનસ (નટવરલાલ કુબેરદાસ પંડ્યા)

મૂર્ધન્ય સાહિત્યકાર ઉશનસ ( નટવરલાલ કુબેરદાસ પંડ્યા ) નું વલસાડ મુકામે નિધન.

 .

વડોદરાના સાવલી-સદ્દમાતાના ખાંચામાંથી નોકરી અર્થે વલસાડ-લક્ષ્મી શેરી મુકામે સ્થાયી થયેલા ઉશનસ સાહેબે આખરી વર્ષોમાં વલસાડને જ વતન બનાવીને વલસાડને ગૌરવ બક્ષ્યુ હતું. સુરતને જેમ “નર્મદ નગરી” કહેવામાં આવે તેમ વલસાડને હું “ઉશનસ નગરી” કહેવાનું પસંદ કરતી. તેમનો જન્મ વડોદરાના સાવલીમાં તા. ૨૮/૦૯/૧૯૨૦ના રોજ થયો હતો. વલસાડની આર્ટસ કોલેજમાં તેમણે ઘણાં વર્ષો સુધી આચાર્ય તરીકે સેવા આપી હતી. મારા માતા-પિતાને તેમના હાથ નીચે અભ્યાસ કરવાનો પણ અવસર મળ્યો હતો. જ્યારે મેં તેમને અનેક કાર્યક્રમોમાં સાંભળ્યા છે તથા ખભે થેલો લટકાવીને વલસાડના રસ્તાઓ પર ચાલતા જોયા છે. ક્યારેક અમારા ઘરે પણ કોઈ કામ માટે આવતા. મારા પપ્પા તેમને કહેતા કે મારી દીકરીને પણ સાહિત્યમાં બહુ રસ છે ત્યારે સાંભળીને બહુ ખુશ થતા.

 .

વીર નર્મદદક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં જ એમને ડિલ. લિટ.ની ઉપાધિથી નવાજવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગના આધારે તેમનો વધુ પરિચય મેળવીએ.

 .

નામ

નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

ઉપનામ

ઉશનસ

જન્મ

28-9-1920 , સાવલી – વડોદરા

અભ્યાસ

  •  એમ.એ.

વ્યવસાય

  • વલસાડ આર્ટ્સ કોલેજમાં આચાર્ય

જીવન ઝરમર

  • વિપુલ અને વિવિધ કવિતાઓ
  • બ.ક.ઠા. પછી ઘણાં સોનેટ આપ્યાં છે.

સન્માન 

  • 1972 – રણજિતરામ સુવર્ણચંદ્રક
  • 1963-67 –  નર્મદ સુવર્ણચંદ્રક *
  • સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ @
  • શ્રી અરવિંદચંદ્રક +

મુખ્ય રચનાઓ

  • કવિતા – પ્રસૂન, તૃણનો ગ્રહ * , અશ્વત્થ @, વ્યાકુળ વૈષ્ણવ +,  ભારતદર્શન,  , રૂપના લય, આરોહ અવરોહ
  • વિવેચનો – બે અધ્યયનો, રૂપ અને રસ, મૂલ્યાંકનો
  • પ્રવાસ – પશ્ચિમી દેશોનો પ્રવાસ
  • જીવનચરિત્ર – સદમાતાનો ખાંચો

 .

ઉશનસ સાહેબનું જાણીતું કાવ્ય “વળાવી બા આવી” આ સાથે મૂકું છું.

 .

વળાવી બા આવી

“રજાઓ દિવાળી તણી થઇ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં
જવાનાં સૌ કાલે તો , જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામા-સ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઇ ગયાં;

સવારે ભાભીનું ભર્યું ઘર લઇ ભાઇ ઉપડ્યા,
ગઇ અર્ધી વસ્તી, ઘર થઇ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઇ અવર ઊપડ્યા લેઇ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિય-વચન-મંદ-સ્મિત-વતી;
વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.”

.

કવિશ્રીની સ્મશાનયાત્રા આજે (૦૬/૧૧/૨૦૧૧) બપોરે ૨.૦૦ વાગ્યે એમના નિવાસસ્થાનેથી  નીકળશે.

 .

વલસાડ વતી હું કવિશ્રીને હાર્દીક શ્રદ્ધાંજલિ પાઠવું છું.

નૂતનવર્ષાભિનંદન

 

દિવાળીના દીવડાનો પ્રકાશ આપના જીવનમાં

અઢળક પ્રેમ પાથરે અને દુ:ખોને અંધકારની જેમ દૂર કરે…

નવું વર્ષ તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ

લાવે એ જ શુભેચ્છા…

હિના પારેખ તથા પરિવાર

बैरन हुयी बाँसुरी – गुलज़ार

કૃષ્ણવિયોગમાં રાધારાનીજી

.

કૃષ્ણ જન્મની વધાઈ તો કાલે આપીશું. પણ તે પહેલા આજે કૃષ્ણ વિરહની ઠુમરી સાંભળીને માણીએ. શાયદ આ વિરહ વેદનાનો સાદ સાંભળીને સાચેસાચ કૃષ્ણ અવતરે….

.

[audio:http://heenaparekh.com/wp-content/uploads/2011/08/005-Kanha-Thumri.mp3|titles=005 – Kanha (Thumri)]

.

पवन उडावे बतियाँ हो बतियाँ, पवन उडावे बतियाँ

टीपो पे न लिखो चिठिया हो चिठिया, टीपो पे न लिखो चिठिया

चिट्ठियों के संदेसे विदेसे जावेंगे जलेंगी छतियाँ

 .

कान्हा आ.. बैरन हुयी बाँसुरी

 .

हो कान्हा आ आ.. तेरे अधर क्यूँ लगी

अंग से लगे तो बोल सुनावे, भाये न मुँहलगी कान्हा

दिन तो कटा, साँझ कटे, कैसे कटे रतियाँ

 .

पवन उडावे बतियाँ हो बतियाँ, पवन उडावे बतियाँ..

रोको कोई रोको दिन का डोला रोको, कोई डूबे, कोई तो बचावे रे

माथे लिखे मारे, कारे अंधियारे, कोई आवे, कोई तो मिटावे रे

सारे बंद है किवाड़े, कोई आरे है न पारे

मेरे पैरों में पड़ी रसियाँ

 .

कान्हा आ.. तेरे ही रंग में रँगी

हो कान्हा आ आ… हाए साँझ की छब साँवरी

साँझ समय जब साँझ लिपटावे, लज्जा करे बावरी

कुछ ना कहे अपने आप से आपी करें बतियाँ

 .

दिन तेरा ले गया सूरज, छोड़ गया आकाश रे

कान्हा कान्हा कान्हा…..

 .

फिल्म : वीर

संगीत : साज़िद वाज़िद

शब्द    : गुलज़ार

राग     : नंद

स्वर    : रेखा भारद्वाज

कोरस : शरीब तोशी और शबाब साबरी

વન્દે માતરમ અને વિનંતિ

.

[youtube [youtube=http://www.youtube.com/watch?v=xj1Iy4nRMkc&w=640&h=390]]

.

वन्दे मातरम्।
सुजलां सुफलां मलय़जशीतलाम्,
शस्यश्यामलां मातरम्। वन्दे मातरम् ।।१।।
.
शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्,
फुल्लकुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुरभाषिणीम्,
सुखदां वरदां मातरम् । वन्दे मातरम् ।।२।।
.
सप्तकोटि कण्ठ कल-कल निनाद कराले,
द्विसप्तकोटि भुजैर्धृत खरकरवाले,
अबला केनो माँ एतो बॉले,
बहुबलधारिणीं नमामि तारिणीम्,
रिपुदलवारिणीं मातरम्। वन्दे मातरम् ।।३।।
.
तुमि विद्या तुमि धर्म,
तुमि हृदि तुमि मर्म,
त्वं हि प्राणाः शरीरे,
बाहुते तुमि माँ शक्ति,
हृदय़े तुमि माँ भक्ति,
तोमारेई प्रतिमा गड़ि मन्दिरे-मन्दिरे। वन्दे मातरम् ।।४।।
.
त्वं हि दुर्गा दशप्रहरणधारिणी,
कमला कमलदलविहारिणी,
वाणी विद्यादायिनी, नमामि त्वाम्,
नमामि कमलां अमलां अतुलाम्,
सुजलां सुफलां मातरम्। वन्दे मातरम् ।।५।।
.
श्यामलां सरलां सुस्मितां भूषिताम्,
धरणीं भरणीं मातरम्। वन्दे मातरम् ।।६।।

.

(बंकिमचंद्र )

.

વિનંતી

 .

ઓ, પ્રજાના રક્ષકો

ઘોંઘાટના આંધી તોફાનમાં

પોતાની ખુરસીને વળગી રહીને

દેશની સેવા કરનારાઓ

અમારી નમ્ર વિનંતી સાંભળો –

તમારા જરકસી જામા અને મ્હોરાં ઉતારો

અમને તમારા ખરા ચહેરા જોવા દો

અમે પ્રતિજ્ઞા લીધી છે

અમારાં બાળકોને

પુરાણોના

નરકાસુર, તારકાસુર અને બકાસુરના

સાચા રંગો

બતાવવાની.

 .

( બી. ટી. લલિતા નાયક, અનુ: ભાનુ શાહ)

( મૂળ કન્નડ )

.

“સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ

પરમહંસના મોતી

૧.

એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા એ તો સારું, પરંતુ એવી ભાવના રાખવી નહીં કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું તેમ જ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો.

.

૨.

સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું. ઈશ્વરભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલવો તો ઉલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન થઈ જાઓ. હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહીંતર એનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારના કામમાં હાથ લગાડવા જોઈએ.

.

૩.

સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ-પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહીં. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસારજળમાં રાખી મૂકો તો તેમાં ભળી ન જાય, તર્યા કરે.

.

૪.

ઈશ્વર પ્રાણીમાત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવુંમળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે, એટલે કંઈ વાઘને ભેટી પડાય નહીં !

.

૫.

કોઈ કોઈ એમ ધારે કે વધુ પડતું ‘ઈશ્વર ઈશ્વર’ કરવાથી મગજ બગડી જાય. એમ થાય નહીં. આ તો અમૃતનું સરોવર, અમૃતનો સાગર ! વેદમાં તેને ‘અમૃત’ કહ્યું છે. એમાં ડૂબી જવાથી મરાય નહીં, અમર થવાય.

.

૬.

જો તાળબંધ ઓરડાની અંદરનું રત્ન જોવાની અને મેળવવાની ઈચ્છા હોય તો મહેનત કરી ચાવી લાવીને બારણાનું તાળું ઉઘાડવું જોઈએ. ત્યારપછી રત્ન બહાર કાઢવું જોઈએ. નહીં તો ઓરડો તાળાબંધ, તેના બારણાની બહાર ઉભા ઉભા વિચાર કરીએ, કે આ બારણું મેં ઉઘાડ્યું, આ પેટીનું તાળું ખોલ્યું, આ રત્ન બહાર કાઢ્યું; એમ માત્ર ઉભા ઉભા વિચાર કરવાથી કાંઈ વળે નહીં. સાધના કરવી જોઈએ.

.

૭.

એમ ધારવું એ સારું નહીં કે મારો ધર્મ જ સાચો ને બીજા બધાના ધર્મો ખોટા. બધા માર્ગોએ થઈને ઈશ્વરને પામી શકાય. હ્રદયની વ્યાકુળતા હોય તો બસ.

.

૮.

નામનું ખૂબ માહાત્મ્ય છે ખરું, પણ અનુરાગ ન હોય તો શું વળે ? ઈશ્વરને માટે પ્રાણ આતુર થવા જોઈએ. નામ લીધે જઈએ છીએ, પણ મન કામકાંચનમાં પડ્યું હોય, એથી શું વળે ? વીંછીંનો કે મોટા કરોળિયાનો ડંખ એકલા મંત્રથી ન મટે, છાણાનો શેક-બેક કરવો જોઈએ.

.

૯.

જેની પાકી ખાતરી છે કે ઈશ્વર જ કર્તા છે અને હું અકર્તા, તેનાથી પાપ થાય જ નહીં. જે નાચવાનું બરાબર શીખ્યો હોય તેનો પગ તાલથી બહાર પડે જ નહીં. અંતર શુદ્ધ થયા વિના ઈશ્વર છે એવી શ્રદ્ધા જ બેસે નહીં.

.

૧૦.

’તમે’ અને ‘તમારું’ એનું નામ જ્ઞાન; ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન.

.

( રામકૃષ્ણ પરમહંસ )

પ્રેમ એટલે…

કોઈ તમને જીવવા માટે પ્રેરણા આપે

તમારામાં રહેલ આનંદને બહાર લાવી

તે બીજાને આપવાની પ્રેરણા આપે…

પ્રેમ એટલે…

તમને શક્તિશાળી બનાવે તે

તમારામાં વિશ્વાસ પેદા કરે છે તે

પ્રેમ એટલે…

જ્યાં તમે હંમેશા હાજર હો છો…એવી જગ્યા

જ્યાં તમોને ઘણું શીખવાની પ્રેરણા થાય છે…

તમારો વિકાસ થાય છે…

આ એવો સાથ છે જ્યાં

’હું’ જેવો છું તેવો સ્વીકારાઉં છું અને

મને વધુ સુંદર બનવા મદદ મળે છે.

અને મારી જાતની અપૂર્ણતાઓ પૂર્ણતામાં ફેરવાય છે.

આ એવો સાથ છે

જે શક્તિશાળી બનાવે છે…અને

જ્યારે જરૂર પડે ત્યારે ગમે તેવા સંજોગોમાં પણ

સુખ અને સહકાર આપે છે.

આ એવો સાથ છે જ્યાં

શ્રદ્ધાનું આશ્રય સ્થાન છે

સલામતીની ભાવના છે…અને છતાં

મને સ્વતંત્રતા પણ મળે છે

જ્યાં હું મારી જાતે જ વિકસું છું…

આ એવો સાથ છે,

સદીઓથી જેનો ઈન્તજાર છે

તે ખૂબ જ સુંદરતમ છે..અજોડ છે…

વાસ્તવિક છે…

એ જ તો પ્રેમ છે.

.

( અજ્ઞાત )

પ્રિય, તને પત્ર – સુરેશ દલાલ

Happy Valentine's Day

પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે. વિરહમાં સમય જાણે કે થંભી જાય છે. હકીકતમાં હરણની છલંગરૂપે કે ગોકળગયની ગતિએ સમય સરતો જ રહે છે. ઓક્ટેવિયા પાઝની એક પંક્તિ છે : “Does nothing pass, when time is passing by ?” સમયની સોગાતરૂપે મળેલો પ્રેમ રાતોરાત વીખરી જાય છે અને છતાં પણ એ વીખરવાપણાની વચ્ચે પણ કહ્યા વિના એક વાત કહેવાય છે કે હવે આ હ્રદય અન્ય કોઈ સાથે ક્યારેય અનુસંધાન નહિ પામે.

.

તને પત્ર લખવો છે અને નથી લખવો. બધી જ વાત કહેવી છે અને કશી જ વાત કહેવી નથી. બધી જ વાત કોઈ કદીયે કહી શક્યું છે ખરું ? લાગણીની લિપિ પૂર્ણપણે કોરા કાગળ પર અંકિત થઈ શકે ખરી ? એટલે જ પત્ર લખવાની સનાતન પ્યાસ હોવા છતાંય પત્ર લખવાનું માંડી વાળું છું. અને આ વાત માંડી વાળી શકાય એવી પણ નથી. હું લખું છું, વલખું છું ,લખું છું. સૂરજનું કિરણ રોજ સવારે સમુદ્રના જળ પર પોતાની લિપિ આંકવા માટે અથાક પ્રયત્ન કરે છે. થાકીને તે પાછું રાતના અંધકારમાં લપાઈ જાય છે. રાતના અંધકાર જેવી મારી ભાષા. એમાં કોઈક શબ્દો તારાની જેમ પ્રકટે પણ ખરા પણ તારાનું જરીક અમથું તેજ આટલા બધા અંધકારને કઈ રીતે છેદી ભેદી શકે ?

.

સ્મૃતિ વીજળી થઈને મારા આકાશને આખેઆખું ચીરી નાખે છે. ક્યારેક એ વીજળી ચાબુક થઈને મને ફટકારે છે ત્યારે પણ મારા કંઠમાંથી ચીસ નથી પ્રગટતી. સરી જાય છે એક આનંદનો ઉદ્દગાર અને ઉદ્દગારમાં હોય છે તારું નામ. હું અભાગી નથી. સદ્દભાગી છું. તારી સ્મૃતિ સાથે જીવું છું. તારી સ્મૃતિ સાથે જાગું છું, તારી સ્મૃતિ સાથે ઊંઘું છું. તારી સ્મૃતિ સાથે ખાઉં છું, પીઉં છું. કરવા પડતાં તમામ કામ કરું છું તારી સ્મૃતિ સાથે. અને એટલે જ મારું કોઈ પણ કામ, બોજો કે વેઠ કે વૈતરું નથી પણ જીવનનો નર્યો ઉલ્લાસ છે. પ્રત્યેક પળ સાથે તારો પ્રાસ છે. પ્રત્યેક પળ એ તારો સહવાસ છે. પ્રત્યેક પળ એ તારી સાથેનો પ્રવાસ છે. ચારે બાજુ આસપાસ તારી જ સુવાસ છે.

.

મારે તો તને એક જ વાત કહેવી છે. તું આવ, અહીં આવ. પવનના તીરની ગતિ લઈને આવ. આ સાગરમાં મારી નાવ ડૂબી જાય એ પહેલાં આવ. આ રાતનો અંધકાર જરી પણ નથી જીરવાતો. મારો આ સૂર તારા શબ્દ વિના ક્યાં લગી એકલો રઝળતો ગાતો ગાતો ફર્યા કરશે ?

.

હવામાં રાતરાણીની મહેક ક્યાંથી ? ફૂલની કોઈ પણ સુગંધ, શરણાઈના કોઈ પણ સૂર મને વ્યાકુળ કરવા માટે પૂરતા છે. તારે માટે ઝૂરતા જીવ માટે આટલું જ પૂરતું છે. વ્યાકુળતા દેખાતી નથી પણ હવાની જેમ હોય છે. વ્યાકુળતા દેખાડવાની પણ હોતી નથી. એને જેટલી સંગોપી શકાય એટલી સંગોપવી જોઈએ. સંગોપી શબ્દમાં પણ ગોપી લપાઈ છે. ગોપીને કોઈ નામ નથી હોતું. એ કેવળ કૃષ્ણની હોય છે.

.

( સુરેશ દલાલ )

પ્રેમનો અર્થ – ઓશો

પ્રેમનો અર્થ છે જીવનની વહેંચણી.

પ્રેમનો અર્થ છે જીવંત વ્યવહાર.

પ્રેમનો અર્થ છે ખુશીઓ વિખેરવી…ઉડાડવી…

પ્રેમનો અર્થ છે લોકોના જીવનમાં થોડાં ફૂલો ખીલવવાં…

પ્રેમનો અર્થ છે બુઝાયેલા દીવા સળગાવવા…

પ્રેમ તો છે બે વ્યક્તિ વચ્ચેની સ્વતંત્રતાની આપ-લે…

ન કોઈ કોઈનો માલિક છે, ન કોઈ કોઈની દાસી છે…

પ્રેમ જીવનમાં હોય તો તમે મુક્ત છો…

કોઈપણ રીતનો પ્રેમ હોય, શુભ છે…

કારણ કે ગમે તે પ્રેમ હોય તેને ઉજળો કરી શકાય છે…

જો માણસથી ડરતા હો તો…

સંગીતથી પ્રેમ કરો…

પ્રકૃતિથી પ્રેમ કરો…

ચાંદ-તારાથી પ્રેમ કરો…

કોઈ સર્જનાત્મક આયામમાં,

પ્રેમને ઢાળી દો…

મૂર્તિ ઘડો, ગીત રચો કે નાચો, પરંતુ

ગમે તે દિશા હો, તે તરફ એને પ્રવાહિત થવા દો…

જેથી થોડાક પ્રેમનો અનુભવ થાય…

પ્રેમ ભલે શીખવી શકાય કે ન શીખવી શકાય…

પરંતુ પ્રેમ માટે સંદર્ભ આપી શકાય…

પ્રેમ માટે વાતાવરણ ઉભું કરી શકાય…

પ્રેમમાં બગીચો ખડો થાય…

જ્યાં ફૂલ ખીલવી શકાય…

.

( ઓશો )

નમસ્તસ્યૈ નમો નમ: (૯)

.

હે, મા ! માતાના ગર્ભની નાળમાંથી છૂટ્યા પછી અમારી એક એક ક્ષણ મરણ તરફનું ગમન હોય છે. કહો કે એ દરેક ક્ષણ તારી સાથેના મિલાપનું અવતરણ હોય છે. સંતોએ પણ કહ્યું છે કે માણસ મૃત્યુને નજર સમક્ષ રાખી જીવે તો એનું જીવતર ધન્ય બની જાય. એની ક્ષણેક્ષણ અણમોલ બની રહે. છતાં ખબર નહીં ક્યા કારણે અમે ગાફેલ રહી જીવતરની સત્યતાને વેડફી રહ્યાં છીએ.

.

સંસારની અસારતા સ્પષ્ટ છે. છતાંય એની પ્રત્યેક વસ્તુ તરફની અમારી તૃષ્ણા અને અપેક્ષાઓ અનેકગણી છે. વણ સંતોષાયેલી તૃષ્ણાઓથી જન્મતો અસંતોષ અમારા અડીખમ વિચારોને ખળભળાવી મૂકે છે ત્યારે એમાંથી જન્મતો વિખવાદ, વિવાદ અને વૈચારિક વમળોથી અમે મુંઝાઈ જઈએ છીએ અને ન કરવાનાં કૃત્યો કરી બેસીએ છીએ.

.

મા ! આ સઘળી હકીકતોથી અમે સૌ વાફેફ છીએ. છતાંય નિર્વીર્ય બની અપેક્ષાઓના અનંત આકાશમાં ઉડવા માટેના નિરર્થક પ્રયત્નો કર્યા જ કરીએ છીએ અને અંતે અમને મળે છે ઘોર નિરાશા.

.

ખરેખર તો તું જ બધાં પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે. કેટલી સીધીસાદી વાત ! પણ અમારી સમજ ક્યાં અમારી તમામ તૃષ્ણાઓને જો તારામાં સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય તો તો મા અમારો બેડો પાર થઈ જાય.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે

.

या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमो नम

या देवी सर्वभूतेषु तृष्णारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमो नम

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ (સામર્થ્ય)રૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર.

.

માસુમ બાળક એ બાળક છે. પછી એ મેલઘેલા કે ફાટેલાં કપડાંવાળી કોઈ માગનાર સ્ત્રીનો ખોળો ખુંદતું હોય કે કોઈ ગર્ભ શ્રીમંતની બાબાગાડીમાં હોય પણ તેની સહજતા ગમે તે પરિસ્થિતિમાં પણ લોહચુંબક જેવું આકર્ષણ જન્માવે છે.

.

મા ! અમારામાં ઉદ્દભવતી તમામ તૃષ્ણાઓ જો તને સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય કે જીવનની તમામ તૃષ્ણાઓ અને એને સંતોષવા માટે વપરાતી શક્તિ એ પણ તારું જ સ્વરૂપ છે એવી સમજ કેળવાઈ જાય તો અમારું જીવન પણ પેલા બાળકની જેમ ગમે તે પરિસ્થિતિમાં પણ આકર્ષક બની જ રહે કેમ કે ત્યારે અમારા દ્વારા થતાં તમામ કાર્યો અમારા તમામ વિચાર પાછળ તારી જ શક્તિ કામે લાગેલી હશે અને તો અમારી તૃષ્ણાઓનું રૂપાંતર સંતોષમાં થઈને જ રહેશે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.