Category Archives: લેખ

ગાંઠ એટલે નિર્ણય-તુષાર શુક્લ

ગાંઠ એટલે નિર્ણય.
ગાંઠ વાળવી એટલે નિર્ણય કરવો.
ગાંઠ વળે એટલે દ્રઢ નિર્ણયનો પરિચય મળે.
આ દ્રઢતા હકારાત્મક પરિણામ પણ લાવે.
આ દ્રઢતા નકારાત્મક પરિણામ પણ લાવે.
પણ, એક વાર ગાંઠ વાળી-નિર્ણય કર્યો-
પછી પાછા હઠવું અસંભવ.

ગાંઠ વળે ત્યારે એક નુકસાન એ થાય છે કે
મનની બારીઓ જડબેસલાક બંધ થઈ જાય છે
વૈકલ્પિક વિચારના વાયુનું વહન પણ હવે અસંભવ બને છે.

દ્રષ્ટિનો લેન્સ એક જ ખૂણે ફિટ થઈ જાય છે.
હવે વિષયને અન્ય દ્રષ્ટિકોણથી સમજવા
મન મુક્ત રહેતું નથી.

જેને આપણે આપણી ઈચ્છાથી વાળેલી ગાંઠ માનતા હોઈએ,
એ જ પછી- ગાંઠ પડી ગયાની સ્થિતિ બને છે.
હવે આગ્રહ હઠાગ્રહ બને છે.
ગાંઠ છૂટવાની વેળાની
હવે તો માત્ર વાટ જ જોયા કરવાની !

( તુષાર શુક્લ )

ગાંઠ-તુષાર શુક્લ

ગાંઠ.
આ શબ્દનું મૂળ છે : ‘ગ્રંથિ’.
એનો અર્થ નકારાત્મક હોવાનું લાગે છે.
ગાંઠ એટલે ગઠન. ગંઠાવું. બંધન.
જે બંધાય છે તે, ગ્રંથિ.
જે બાંધે છે તે પણ ગ્રંથિ.
ગાંઠ પોતે બંધાય છે,
સાથોસાથ અન્યને પણ બાંધે છે.

ગ્રંથિ બંધાય
પછી ગતિને અવરોધે એવું ય બને.
આપણે ગ્રંથિ બાંધીએ
પછી ગ્રંથિ આપણને બાંધે એવું ય બને.
ગાંઠ પડી જાય તો વિકાસ રોકાઈ જાય,
અંતર પડી જાય, સંબંધ બગડી જાય.
ગાંઠ વાળીએતો ગતિ સિદ્ધ થઈ શકે
ધાર્યું પહોંચી શકીએ, ઈચ્છ્યું પામી શકીએ.

ગાંઠ પડવી અને ગાંઠ વાળવી
બંનેના પરિણામ, અણસમજૂને હાથે
એક જ આવે છે.

( તુષાર શુક્લ )

વર્ષગાંઠ-તુષાર શુક્લ

વર્ષગાંઠ
એ વીતેલા સમયને યાદ કરવાનો
અને
આવી રહેલા સમયનું આયોજન કરવાનો અવસર છે

જન્મ આપણા હાથમાં નથી
કર્મ આપણો પુરુષાર્થ છે.
ફળ આપણું પ્રારબ્ધ છે.
જે આપણા હાથમાં છે એ કરીએ.
જે આપણા હાથમાં નથી એને ઓળખી લઈએ.

કર્યાનો સંતોષ રહેશે.
ન મળ્યાની પીડા નહીં થાય
કોઈને મળ્યાની ઈર્ષ્યા નહીં થાય
પોતાને મળ્યાનો આનંદ રહેશે.

મનુષ્ય યત્ન, ઈશ્વરકૃપા…
મનુષ્ય યત્ન એ જ કૃપા !

( તુષાર શુક્લ )

વર્ષ બદલાયાની-તુષાર શુક્લ

વર્ષ બદલાયાની, વીત્યાની, નવું શરૂ થયાની સંજ્ઞા સૂચવે છે-ગાંઠ !
ગાંઠનો સંદર્ભ ઘણો જૂનો છે.
ભૂલકણા સ્વભાવવાળી વ્યક્તિને યાદ અપાવવા
રૂમાલમાં ગાંઠ વાળી અપાય
ગાંઠ જુવે ને વ્યક્તિ ગૂંચવાય…વિચાર કરે…
શા માટે હશે આ ગાંઠ ?

અને એ યાદ કરવા જતાં એને યાદ આવે
એણે યાદ રાખવાની હોય એ વાત.

ગાંઠ પોતે કૈં કરતી નથી
માત્ર, કૈંક ભૂલાયાની યાદ આપે છે.
કારણ કે ગાંઠ આગળ ગતિરોધ સર્જાય છે.
ગાંઠ આવે ત્યાં થોભવું પડે, થોભીએ એટલે વિરામ મળે
વિચારવાની તક મળે…

વર્ષમાં આવતી આ જન્મદિવસની ગાંઠ યાદ અપાવે છે,
આપણા જન્મના હેતુની અને વહી ગયેલા સમયની…
કેટલો સમય વીત્યો એ તો જાણ્યું…
કેટલો બાકી છે એ અજાણ્યું…
તો હેતુસિદ્ધિ માટે શું ? ક્યારે ?

( તુષાર શુક્લ )

मित्रता मैदानी नदी की तरह शांत होती है-आलोक टंडन

आजकल सोशल मीडिया पर दोस्ती की बहार है किंतु क्या इसे सच्चे अर्थों में दोस्ती कहा जा सकता है ? सिर्फ पसंद/नापसंद या कभी कोई टिप्पणी कर देने मात्र से दोस्ती जिंदा तो रह सकती है पर परवान नहीं चढ़ सकती। उसके लिए तो साथ-साथ, साझा अनुभव जरूरी है। हमारे जीवन में मित्रता की दो भूमिकाएं ऐसी हैं, जो उसे एक आदर्श का दर्जा देती है। हम सभी, जीवन के किसी मोड़ पर ठोंकरे खाकर गहरी हताशा में डूब जाते हैं। ऐसे में मुरझाए मन को फिर से खिलने लायक बनाने में मित्र बहुत काम आते हैं। उनका निःस्वार्थ प्रेम ही हमें फिर खड़े होकर जीवन का सामना करने की शक्ति देता है। तभी तो आचार्य रामचन्द्र शुक्ल ने मित्र को औषधि समान माना है। अपने आपको समझने, अपना सर्वोत्तम विकसित करने में मित्र बिना किसी एहसान के मदद करते हैं, जो हमें अपने जीवन का अर्थ पाने में दूर तक साथ देते हैं। यह सही है कि सभी दोस्त ऐसे नहीं होते किंतु ऐसा एक भी दोस्त मिलना या स्वयं होना, जीवन को ईश्वरीय वरदान है।

इतना तो तय है कि हर कोई, हर किसी का मित्र नहीं हो सकता पर इसमें जाति-पाति, ऊंच-नीच, धर्म-नस्ल का भाव ज्यादा मायने नहीं रखता। फिर चाहे हम कृष्ण-सुदामा, राम-सुग्रीव या दुर्योधन-कर्ण के पौराणिक उदाहरण लें या चन्द्रगुप्त-चाणक्य, तुलसीदास-रहीमदास के ऐतिहासिक उदाहरण। पहली बात तो यह है कि मित्रता रक्त संबंध नहीं है, हम अपने मित्रों का चयन करते हैं। भले ही इसके पीछे अचेतन रूप से वैज्ञानिकों के अनुसार, हम और हमारे मित्रों के बीच डीएनए की एक प्रतिशत समानता ही क्यों न हो। विवाह की तरह मित्रता का कोई बना-बनाया ढांचा नहीं होता। मित्र से महीनों बात किए बिना भी मित्रता पर आंच नहीं आती पर यह बात विवाह संबंध के बारे में नहीं कही जा सकती। मित्र के रूप में हम उन लोगों को ही चुनते हैं, जिनकी गतिविधियों, रुचियों, सोच और सरोकारों में हमसे समानता हो। तभी तो मित्र की परिभाषा अरस्तू ने ‘हम जैसा एक और’ के रूप में की है। दोस्ती के फलने-फूलने के लिए ‘भरोसा’ सबसे जरूरी होता है। हम अपने दोस्त के सामने अपने को इस भरोसे के साथ खोलना चाहते हैं कि वह हमें वैसे ही स्वीकार करेगा जैसे कि हम हैं और बुरी लगने पर भी सच बात कहने से नहीं चूकेगा जिससे हम जीवन में भटकावों से बच सकेंगे।

विद्वानों ने मित्रता के मुख्यतः तीन रूप बताए हैं- सुख मैत्री, उपयोगिता मैत्री और गुण मैत्री। हममें से अधिकांशतः पहले दो प्रकार की मित्रता को ही प्रश्रय देते हैं, लेकिन तीसरी, गुण मैत्री ही नैतिक रूप से उत्कृष्ट मानी जाती है। हम अलग-अलग व्यक्तियों के साथ मित्रता के अलग-अलग रूप से जुड़े हो सकते हैं और एक ही व्यक्ति के साथ तीनों रूपों में एक साथ भी जुड़ सकते हैं। जहां पुरुषों के बीच मित्रता में साथ-साथ कार्य-संपादन की भूमिका ज्यादा होती है वहीं, स्त्रियों के बीच मित्रता में भावात्मक, व्यक्तिगत घनिष्ठता का महत्व ज्यादा होता है।

मित्रता के जिस आदर्श रूप की चर्चा हम ऊपर कर आए हैं, उसका दायरा आज सिकुड़ता नज़र आ रहा है। भावनात्मकता के स्थान पर अपना सुख और व्यापारिकता हावी होती जा रही है। हम एक-दूसरे का उपयोग करने के लिए दोस्ती करने लगे हैं। ऐसा नहीं है कि दोस्त एक दूसरे के काम नहीं आते किंतु यह मित्रता का प्रधान उद्‌देश्य नहीं है। उसका उद्‌देश्य तो हार्दिक, प्रेमपूर्ण आत्मीयता को गहराना है, विस्तार देना है। रोमांटिक प्रेम में पहाड़ी झरने की तरह आवेग, तीव्रता अधिक होती है किंतु यह अस्थायी साबित होता है। मित्रता मैदान में नदी की धारा की तरह शांत, लेकिन स्थायी होती है और जीवन के अंतिम पहर तक साथ देती है। एक श्रेष्ठ जीवन के लिए यह नितांत वांछनीय है।

( आलोक टंडन )
रिसर्च फैलो, इंडियन काउंसिल ऑफ फिलोसॉफिकल रिसर्च प्रोजेक्ट

ક્રોધ : કારણ – નિવારણ (૩) – ઓશો

૧.
અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ—
મારે તેનાથી મુક્ત થવું જ છે.’

આ રીત તમે તમારું અધૈર્ય બતાવો છો.

તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છો છો.

અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.

૨.
તમે જ્યારે ક્રોધથી લાલપીળા
થઈ જાઓ છો ત્યારે
પશુ બની જાઓ છો.

ક્રોધ કરવો સરળ છે
પરંતુ તે સ્થિતિમાં
તમે કેટલો વખત રહી શકશો ?
ક્રોધની બહાર તો આવવું જ પડશે.

કોઈ પણ વ્યક્તિ સતત ક્રોધની
સ્થિતિમાં ન રહી શકે.

તમે જ્યારે તે સ્થિતિમાંથી
નૈસર્ગિક સ્થિતિમાં પાછા આવશો
ત્યારે પહેલાં કરતાં પણ
વધુ નખાયેલા, વધુ વિષાદગ્રસ્ત હશો.

એવી કોઈ વ્યક્તિ નહિ મળે, જેણે
ક્રોધ કર્યા બાદ પસ્તાવો ન કર્યો હોય,
કે-આ મેં શું કર્યું ?’

( ઓશો )

બગાવત-પ્રણવ ગોળવેલકર

એ‘નેવર હેટ યોર એનિમીઝ, ઇટ અફેક્ટસ યોર જજમેન્ટ’
– ધ ગોડ ફાધર

ક માણસની પત્નીને એના પિતરાઈ ભાઈએ જાહેરમાં નગ્ન કરવાનો પ્રયાસ કર્યો. એ માણસનું દિમાગ ભયાનક ક્રોધથી ફાટી ગયું. વર્ષો સુધી રોજ એ અપમાનનો ઘૂંટ પીતો રહ્યો અને જીવતો રહ્યો. ચૌદ વર્ષ બાદ એણે એ પિતરાઈને પકડ્યો અને બેરહેમીથી ફટકાર્યો. બેહદ ક્રૂરતાથી એની છાતી ચીરી નાખી અને ઘૂંટડો ભરીને એનું લોહી પીધું. આ એક વીરનું વેર હતું અને એક બાહુબલિનું તર્પણ હતું. ઇતિહાસ આ માણસને ભીમના નામે ઓળખે છે.

ગાંધીવાદી ગુજરાતમાં વેર અને ક્રૂરતાની વાત કરવી એ સ્કોટલેન્ડમાં જઈ શિવામ્બુની હિમાયત કરવા જેવું છે. અહિંસાને વીરત્વ સાથે જોડવાની મૂર્ખામી આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. માર ખાવામાં કઈ બહાદુરી છે એ મને આજ દિન સુધી સમજાયું નથી. ગાંધીજીએ એક લાફો મારનાર સામે બીજો ગાલ ધરવાની હિમાયત કરી અને હવે આખો દેશ દર વર્ષે બે વર્ષે પાકિસ્તાન સામે બીજો ગાલ ધરતો રહે છે. ક્યારેક મુંબઈ તો ક્યારેક પઠાણકોટ. પાકિસ્તાન તમાચા મારતું રહે છે અને ભારતીયો જોતા રહે છે.

વીરત્વ એ સર્વોપરિતાની સાધના છે. માને કેદમાં પૂરનાર મામાનો વધ કર્યા વગર એક ગોવાળિયો કૃષ્ણ બની શકતો નથી અને પુત્રની હત્યા કરનારની સાંજ પહેલાં હત્યા કરવી જ પડે એ અર્જુનનો આદર્શ છે. ભીમ, અર્જુન અને કૃષ્ણ વીરત્વના શિખર છે. યુદ્ધભૂમિ ઉપર કૃષ્ણ અર્જુનને કર્તવ્ય યાદ કરાવે છે. અે કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, સ્વજનોને હણવાનું અને વેર લેવાનું. ગીતા એ યુદ્ધ ગ્રંથ છે ક્ષમા ગ્રંથ નથી.

વીરત્વ વગરનું પૌરુષત્વ કેવી રીતે હોઈ શકે? અને વેર અને ક્રૂરતા વગરનું વીરત્વ કેવી રીતે હોઈ શકે! પૌરુષત્વ એ બાયોલોજિકલ અવસ્થા નથી. અપમાનને રોજ યાદ કરવું અને બદલો લેવો એ પૌરુષત્વ છે. વેરના આનંદ જેવો અાનંદ બીજો એક પણ નથી. સ્ત્રીત્વ એ છે કે જે પૌરુષત્વને રસ્તો બતાવે છે. મુઘલોનાં કબજામાં રહેલો કિલ્લો અાંખમાં કણાની જેમ ખૂંચતો હોય એવી સ્ત્રી જ જીજાબાઈ હોઈ શકે ને એ દુર્ગમ કિલ્લો જીતવાનો નિર્ધાર કરનાર પુત્ર જ શિવાજી હોઈ શકે.

ઇતિહાસ શક્તિશાળીઓની દાસ્તાન છે. વીરત્વ એ મૂર્ખામી નથી, વીર એ છે કે જેને ખબર છે કે વેર ક્યારે અને કેવી રીતે લેવાય. બાણશૈયા પર પડેલા ભીષ્મ યુધિષ્ઠિરને પ્રતિશોધના નિયમો સમજાવતા કહે છે જે નદી પાર ન કરી શકો એને ઓળંગવાનું સાહસ ન કરો. એવા શત્રુ પર પ્રહારો ન કરો જેનું માથું કાપીને જમીન પર ફેંકી ન શકો. પછી ભીષ્મ કૂટનીતિનું રહસ્ય ખોલે છે, દુશ્મન પર પ્રહાર કરતા પહેલાં પણ મીઠું બોલવું અને ઘા મારી લીધા પછી પણ મીઠું જ બોલવું. વેરીનું માથું કાપી નાખીને એના માટે શોક વ્યક્ત કરવો અને રડવું. આ મહાભારત છે.

‘ગોડ ફાધર’માં મારીયો પુઝોએ એક અમર લાઇન લખી છે, ‘રિવેન્જ ઇઝ અ ડિશ ધેટ ટેસ્ટ્સ બેસ્ટ વ્હેન ઇટ ઇઝ કોલ્ડ’ વેર એ આખેટ છે, શિકાર છે. એ આંધળૂકિયાં નથી. એમાં લાગણીઓનાં વાવાઝોડાં નથી. એમાં છે કાતિલ ગણતરીઓની મોરચાબંધી. યોગ્ય સ્થળે, યોગ્ય સમયે જે ઘા મારે છે એ વીર છે. ઘોર અન્યાયમાંથી, ભયાનક અપમાનમાંથી વેર જન્મે છે અને એવું જ વેર માન્ય છે. અપમાન એ વ્યક્તિગત બાબત છે અને એનો ‘સંસ્થાકીય’ ઉકેલ કેવી રીતે હોઈ શકે?

મહાભારતમાં તો ક્યાંય એવું લખ્યું નથી કે દુ:શાસનને યુદ્ધકેદી ગણીને તેની સામે ખટલો ચલાવાયો હતો! અપમાન કરનારના આખા વંશની ઘોર ખોદી નાખવી પડે એવું શીખવનાર શિક્ષકો જ સાચું ઘડતર કરાવી શકે છે. વર્ષો અગાઉ આવો એક શિક્ષક ભારતવર્ષે જોયો હતો એ શિક્ષક, એ ચાણક્યના નીતિસૂત્રો આપણે વોટ્સએપ પર ફરતાં કરીએ છીએ, પણ એની કેળવણીને ભૂલી જઈએ છીએ. જ્યારે ધનનંદે એનું અપમાન કર્યું હતું ત્યારે એણે શિખા ખોલી નાખી હતી અને દ્રૌપદીએ દુ:શાસનના લોહીથી જ વાળ ઓળીશ એવું કહી વાળ ખુલ્લા રાખ્યા હતાં. પોનીટેઇલ બાંધતા યુવાનોની પ્રજાતિએ ઇતિહાસમાંથી વેરનું વિજ્ઞાન શીખવા જેવું છે.

આપણે ત્યાં સૌથી મોટું ડીંડવાણું ‘ક્ષમા’નું ચાલે છે. ક્ષમા કોણ આપી શકે છે? જે ‘મહાવીર’ હોય તે ક્ષમા આપી શકે. ‘મહાવીર’ હોવું એ વીરત્વની ઉપરની કક્ષા છે. એ કક્ષાએ પહેલાં પહોંચવું પડે પછી ક્ષમાની વાત કરી શકાય. આમ આદમી જ્યારે ક્ષમાની વાત કરે ત્યારે એ નિર્બળતાનું પ્રદર્શન કરે છે. ક્ષમા કાયમી ન હોઈ શકે. એની એક મર્યાદા હોય. શિશુપાલને નવ્વાણુ ગાળોની ક્ષમા હતી, પણ સોમી ગાળે એની સામે સુદર્શન હતું. ક્ષમા એ બ્લેન્ક ચેક નથી. એ ડેબિટ કાર્ડ છે, બેલેન્સ પૂરું થાય એટલે ખાતું બંધ કરી દેવાનું.

( પ્રણવ ગોળવેલકર )