Tag Archives: શ્રદ્ધાંજલિ

ચાંદરણા (૨) – રતિલાલ ‘અનિલ’

મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે.

 .

હાથમાં બીજાનો હાથ હોય ત્યારે તે પ્રેમી નહીં, તો જોશી હોય.

 .

સ્મૃતિ ભૂતકાળના દોરા પર ભવિષ્યનો પતંગ ચગાવે છે.

 .

સંપ્રદાયોથી ધર્મ થીંગડાવાળા પિતામ્બર જેવો લાગે છે.

 .

માણસ વસ્તુ જેવો હોય તો પછડાય છે, પણ પસ્તાતો નથી !

 .

પોતાની બહાર પોતાને શોધનારને બીજો માણસ જ મળે છે.

 .

વાંચો ત્યારે પોતાને શબ્દોથી નહીં, અર્થથી ભરો !

 .

માણસ હાડપિંજર ન હોય તોયે ‘ખોપરી’ હોઈ શકે છે.

 .

દુનિયા ક્યારેય સારી નહોતી, દરેક વખતે માણસો સારા હતા.

 .

પાણી પડે છે, પછડાય છે અને ઘાયલ થયા વિના ચાલવા માંડે છે.

 .

પાણી બરફ બને તો યે તેને પાણી રહેવું જ ગમે છે.

 .

માણસ ચાલે છે ને કહે છે : માથા પરથી આકાશ જાય છે.

 .

કોરા આંસુ લૂછવા માટે માણસ જ રૂમાલ થઈ શકે.

 .

સંપ્રદાયની તિરાડ કહે છે કે હું ઈશ્વરનું પ્રવેશદ્વાર છું.

 .

યમરાજા, માણસનું સરનામું બદલવા માટે જ અઅવે છે.

 .

આંગળા, આંગળા સાથે જ રમે ત્યાં સુધી સારું હોય છે.

 .

થાંભલાનું પહેલું કામ પોતાનો ભાર ઊંચકવાનું હોય છે.

 .

ઈશ્વરના હાથમાં ઘૂઘરો આપવો હોય તો એમને કાનુડો બનાવવા પડે.

 .

મોંઘા ધૂઘરામાં કાંકરા સસ્તા જ હોય છે.

 .

દિવાળી દૂર હોય તો પણ દીવો દૂર ન હોવો જોઈએ.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧) – રતિલાલ ‘અનિલ’

ratilal_anil_2

.

બહારના અંધકાર માટે બારીની તિરાડ પ્રવેશદ્વાર બનતી નથી.

 .

સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.

 .

કેટલાક પોતે થાકે છે, કેટલાકનું મૃત્યુ થાકે છે.

 .

કોરી સ્લેટને હથેળી પણ કહી શકાય.

 .

કોઈવાર બેડી જ બે હાથને નજીક લાવે છે.

 .

દીવાના પૂમડા અને અત્તરના પૂમડા વચ્ચે પસંદગી કરવાની છે.

 .

મૃત્યુની દિશા બદલાય, પણ મસાણની દિશા ન બદલાય.

 .

પોતીકી ફૂંક ન હોય તો વાંસળી વાગતી નથી.

 .

માણસે પહેલા ભિક્ષાપાત્ર ઘડ્યું પછી પ્રાર્થના રચી !

 .

કેટલી બધી માંદગીના વિસામે થાક ઉતાર્યા પછી મૃત્યુ આવે છે.

 .

મારા બધા હસ્તાક્ષરો ચેકબુકની બહાર છે.

 .

છેલ્લી સફર એટલે પોતાના જ બારણેથી પોતે પાછા ફરવું.

 .

ચિત્તમાં સમગ્ર વિશ્વ હોય તો કોઈપણ માણસ ટાપુની નાળિયેરી નથી.

 .

જ્ઞાનની જેમ અજ્ઞાન પણ કોઈ ખીંટી પર ટીંગાયેલું હોય છે.

 .

પોતાની આંખે પોતાને જોવામાં અરીસો મદદ કરતો નથી.

 .

મારાં આંસુમાં દરિયો નથી, મારું લૂણ છે.

 .

જીવનમાં નથી એટલાં માનાર્થે બહુવચન ભાષામાં છે !

 .

હિમાલય ગંગામાં સ્નાન કરવા પડે તો ગંગા જ ન રહે.

 .

અવાચ્યને વાંચવા માટે માણસને અંતરની આંખ મળી છે.

 .

હવે દરેક લસરકો એક ઉઝરડો બની જાય છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

અલવિદા રતિલાલ ‘અનિલ’…

Anil

.

Ratilala Mulchand Roopawala 'Anil' 23/02/1919 - 29/08/2013
Ratilala Mulchand Roopawala ‘Anil’
23/02/1919 – 29/08/2013

.

વિખૂટા પડેલા બધા શે’ર મારા,

હવે શેષ હું માત્ર મક્તો રહું છું.

*

કેવી અજબ સુવાસ છે, તારા ગયા પછી,

જાણે તું આસપાસ છે, તારા ગયા પછી;

સૂરજ તપે છે તે છતાં, જાણે વસંત છે,

તારી હવામાં શ્વાસ છે, તારા ગયા પછી.

*

તપીને તાપમાં હું ઘેર આવ્યો તો વળી શાંતિ,

હતું વ્યાકૂળ તો યે શાંત મન મારું થયું કેવું !

મહક પામી નીરવતાની હૃદય ઘેલું પૂછી બેઠું :

‘ઘડી પ્હેલાં સૂના ઘરમાં તમે આવી ગયાં’તાં શું ?’

*

વાદળને પેલે પાર કંઈ ઝાંખો ઉજાસ છે,

સૂરજના માત્ર ભાસથી શ્રાવણ ઉદાસ છે;

ભીના વસનનો આભમાં પરદો કરી દીધો,

શ્રાવણ નથી, આ સૂર્યનો એકાંતવાસ છે !

*

હૃદયના હોય છે સંબંધ તે નશ્વર નથી હોતાં,

મળ્યાં કેડે જુદાં થઈ જાય તે અંતર નથી હોતાં;

પ્રણય તો જિંદગી છે ને વળી તે પણ સનાતન છે,

પ્રણયની ક્ષણ નથી હોતી, તે સંવત્સર નથી હોતા !

*

આમ તો સૂરતનો કહેવાતો રહીશ,

કોઈ પૂછે તો વળી ‘સૂરતી’ કહીશ !

મારે તો ચાલ્યા જવું છે હે ગઝલ !

તું કહેશે તો વળી થોભી જઈશ.

*

પ્રવાસે તો મળ્યાં’તાં કૈંક ફૂલો,

નથી એવું, ચમન ચૂકી ગયો છું;

અનુભવ યાદ કંઈ એવા રહ્યા છે :

ફૂલોનાં નામ હું ભૂલી ગયો છું !

*

ઈશ્વર કને ય જાઉં પણ માણસ મટું નહીં,

ઓળંગી જાઉં હું મને તો પણ રહું છું પાળ,

એ પણ મને મળે છતાં ઈશ્વર મટે નહીં,

ઊતરે છે ખીણમાં છતાં શિખરે રહે છે ઢાળ.

*

મને કેફ આ જિંદગીનો કહે છે :

હું દીઠા પછી યે રહસ્યો રહું છું !

અને આ જુઓ ખેલદિલીયે મારી,

હું પીધા પછી યે તરસ્યો રહું છું !

.

( રતિલાલ ‘અનિલ’ )

મા એટલે…( સાતમી માસિક શ્રદ્ધાંજલિ)

DSC_6068-1
(23/08/1938 – 25/12/2012)

.

मां संवेदना है, भावना है, अह्सास है

मां जीवन के फुलों में खुशबु का वास है।

मां रोते हुए बच्चे का खुशनुमा पलना है

मां मरुस्थल मे नदी या मीठा – सा झरना है।

मां लोरी है, गीत है, प्यारी-सी थाप है

मां पुजा की थाली है, मन्त्रो का जाप है।

मां आंखो का सिसकता हुआ किनारा है,

मां गालों पर पप्पी है, ममता की धारा है।

मां झुलसते दिलो मे कोयल की बोली है,

मां मेहंदी है, कुमकुम है, सिंदुर है, रोली है।

मां कलम है, दवात है, स्याही है,

मां परमात्मा की स्वयं की गवाही है।

मां त्याग है, तपस्या है, सेवा है,

मां फुँक से ठंडा किया हुआ कलेवा है।

मां अनुष्ठान है, साधना है, जीवन का हवन है,

मां चुडी वाले हाथो के मजबुत कंधो का नाम है,

मां चिन्ता है, याद है, हिचकी है,

मां बच्चे की चोट पर सिसकी है।

मां चुल्हा-धुआ-रोटी और हाथो का छाला है,

मां जिंदगी की कड़वाहट में अमृत का प्याला है।

तो मां की कथा अनादि है, अध्याय नही है. . . . . . .

. . . . . और मां का जीवन मे कोइ पर्याय नही है।

तो मां का महत्व दुनिया मे कम नही हो सकता ,

और मां जैसा दुनिया मे कुछ हो नही सकता ।

मै कविता की ये पंक्तियाँ मां के नाम करता हुं,

मै दुनिया की प्रत्येक मां को प्रणाम करता हुं ।

 .

(  पं. ओम व्यास ओम )

 

 

 

મા એટલે…(છઠ્ઠી માસિક શ્રદ્ધાંજલિ)

p9040337-web
(23/08/1938 – 25/12/2012)
Statue of Liberty-USA

ओ माँ

 .

बचपन में

तुमने ही कहा था

अच्छे लोग गुजर जाने पर

तारा बन जाते हैं…

अपने सारे अतीत

को पीछे छोड कर

आज तुम खुद

तारा बन गई हो…!

अतीत की यादों के झरोखों

में

तुम्हारी गायी….

लोरी

आज भी

दुनिया के दिये जख्मों पर

पूस की ठंडी बयार की

फूँक सी लगती है…..!

बहुत रात गये

खिडकी भर अंधेरे में

चौंक कर जब नींद

से जाग जाता हूँ

तब

छत पर फैले

आसमान में तुम्हारे नाम का

तारा ढूंढ लेना

भूलता नहीं हूँ

आज भी….

 .

( दीपक भास्कर जोशी )

 

મા એટલે…(પાંચમી માસિક શ્રદ્ધાંજલિ)

1-Mummy-Home-001
(23/08/1938 – 25/12/2012)

મા એટલે મોં ભરાઈ જાય એવો એક અક્ષર ..

મા એટલે એક અક્ષર જેમાં વિશ્વ હોય …

મા એટલે એવો અક્ષર જેમાં વિશ્વ સમાઈ જાય ,શકે ..

મા એટલે બંધ હોઠ ખુલવાની ક્રિયા,

મા એટલે ખુલેલા હોઠમાંથી દુનિયાની દરેક ભાષામાં બોલાયેલો પહેલો શબ્દ…

મા એટલે દુનિયાનો ખૂણો, છેડો કે પછી દુનિયા ??

મા એટલે વહેંચ્યા પછી પણ અવિરત વધતું વહાલ…

મા એટલે મને લેવા પોતાની જિંદગીને મોતના હાથમાં સોંપીને મારો હાથ ઝાલીને દુનિયામાં લઇ આવતો દેવદૂત….

મા એટલે બાબી,

મા એટલે કારેલાનું શાકમાં રહેલું ગોળનું ગળપણ..

મા એટલે રસોઈ કરતા સાડીને છેડે લુછી જતો હાથ..

મા એટલે મારા હાસ્યમાં જોવાતું એનું હાસ્ય મારા દુઃખનું એની આંખમાંથી વહી જતું આંસુ…

મા એટલે મને સૌથી સમજાતી અને સમજતી વ્યક્તિ…

મા એટલે મારે માટે ખાટ્ટી મીઠી દાળ…

મા એટલે મોળો ભાત અને દહીં…

મા એટલે સૌના સપનામાં જાત ને ખોઈ નાખતું વ્યક્તિત્વ…

માનું સરનામું જે દુનિયાના કોઈ પણ દેશના ઘરમાં રસોડું હોય એવી વ્યક્તિ….

મા એટલે સૌથી પહેલી જાગીને સૌથી મોડી સુતી વ્યક્તિ….

માનો સ્પર્શ એટલે કોઈ પણ દુ:ખની પહેલી દવા..

મા એટલે મારા દુઃખમાં આખી રાતનો ઉજાગરો..

મા એટલે મારા સુખમાં પોતાની ચિંતાનો સદૈવ વૈભવ માણતી વ્યક્તિ…

મા એટલે મારી જિંદગી ને પહેલા થી છેલ્લા બિંદુ સુધી એનું ઋણી બનાવી દેતું વ્યક્તિત્વ..

મા એટલે અનુભવની પાઠશાળા….

મા એટલે પોતાના વ્યક્તિત્વ અને જીવનને કૈક કેટલાય ટુકડામાં કાપીને પણ અખંડ રહેતું એક વ્યક્તિત્વ..

મા એટલે દુનિયાનો સૌથી પહેલો જાદુગર જે એને મળેલા તમામ દુખોને સુખમાં અને હાસ્યમાં બદલી નાખી શકે…

મા એટલે પોતાનું વ્યક્તિત્વ અને ખુશી ભૂલી જવાની તાકાત ધરાવતી વ્યક્તિ…..

મા એટલે અર્ધી ઊંઘમાં અનુભવાતો વાળમાં આંગળીઓ વાળો હાથ….
મા એટલે શું ??  જેનો એક માત્ર અંશ હું …મારો અણુ એ અણુ એટલે મા….

 .

(પ્રીતિ ટેલર )

મા એટલે…(ચોથી માસિક શ્રદ્ધાંજલિ)

(23/08/1938 - 25/12/2012) Mummy in New York
(23/08/1938 – 25/12/2012)
Mummy in New York

.

પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્યથયું. એટલે જ તેણે “મા’નું સર્જન કર્યું !

 .

તારાઓ આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે.

 .

( હારગ્રેવ )

.

જગતમાં સહુના ઉપકારનો બદલો વળી શકે છે, ભક્તિભાવ વડે પ્રભુના ઉપકારો પ્રિછ્યાનો સંતોષ પણ વળે, બદલો નથી વાળી શકાતો એકમાત્ર માતાના ઉપકારનો !

 .

જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી.

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે ?

જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’)

 

 

મા એટલે…(ત્રીજી માસિક શ્રદ્ધાંજલિ)

(23/08/1938 – 25/12/2012)
Mummy at Science-Fort Wyne

.

પ્રસુતિની વેદનાને એક બાજુ હડસેલીને જ્યારે માતા હસી પડે છે તે ઈશ્વરનો સૌથી મોટો ચમત્કાર છે. ચમત્કારની પ્રત્યેક પળ જન્માષ્ટમી છે. મા એટલે ચિત્કાર અને ચમત્કાર.

 .

( સુરેશ દલાલ )

 *

મા યુવાન થઈ વૃદ્ધ થાય છે પરંતુ તેનાં સંતાન સદા બાળક રહે છે.

 .

( ઈરિચ નોરિશ )

*

મા એ સ્વાર્થરહિત સ્નેહની જીવંત મૂર્તિ છે !

 .

( રમણલાલ દેસાઈ )

*

સુખમાં અને દુ:ખમાં જે હંમેશા રહે છે સાથે,

“મા”, તારા ચરણોની ધૂળ પણ મોતી છે મારે માટે.

 .

ના કોઈ શોખ, ના કોઈ ઈચ્છા, બસ બધું સંતાનો માટે,

કરે છે સઘળું કુરબાન, અને અફસોસ જરા પણ ના રાખે.

 .

ગુસ્સે થાય છે ક્યારેક, તે પણ આપણા સારા કાજે,

ભૂલાવી એ ગુસ્સો પળવારમાં, એ પ્રેમ પણ કેવો વરસાવે.

 .

દોડે છે દિન રાત, બધાના સમય સાચવવા ને માટે,

થાકે જો દિવસના અંતે, તો પણ પાણી સામેથી ના માંગે.

 .

રાખું જો શીશ તારા ખોળામાં, તો જિંદગી સાવ હળવી લાગે,

સઘળા દુ:ખ ને મુશ્કેલી બસ એક ક્ષણ જેવી લાગે.

 .

સુખમાં અને દુ:ખમાં જે હંમેશા રહે છે સાથે,

“મા”, તારા ચરણોની ધૂળ પણ મોતી છે મારે માટે.

 .

( બિહાગ ત્રિવેદી “અનિર્ણિત” )

મા એટલે…(બીજી માસિક શ્રદ્ધાંજલિ)

Mummy at Mama’s home, Fort Wyne (USA)
(23.08.1938 – 25.12.2012)

.

ભગવાનનું બીજું નામ મા છે.

*.

તમારા નિ:શ્વાસોનું સુગંધમાં રૂપાંતર કરતી મા

જાદુગરણી છે,

તે તમારામાં ઉગાડે છે વિસ્મયની સવાર

સત્યનું રૂપાંતર સુંદરમાં કરી આપે છે તાબડતોબ

એટલે કે મા સ્વયંનું રૂપાંતર કરે છે

સત્યમાંથી સુંદરમાં.

મા હંમેશાં સુંદર હોય છે.

*

એક પલ્લામાં મારી મા મૂકો અને

બીજા પલ્લામાં આખું જગત મૂકો તો માવાળું પલ્લું નીચું નમશે.

 ( લોર્ડ લેન્ગડેઈલ )

*

માતા એ જ વિધાતા છે અને એની જોડે એક જ પ્રાસ મળે છે, શાતા.

 ( સુરેશ દલાલ )

 *

તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે.

 ( હઝરત મહમ્મદ પયગંબર )

સુરેશ દલાલને શ્રદ્ધાંજલિ

.

શ્રીકૃષ્ણનો આ ધરતી પર અવતરવાનો સમય થઈ રહ્યો હતો ત્યારે એક તરફ ટી.વી. પર દ્વારકાના જગતમંદિરનું લાઈવ પ્રસારણ ચાલુ કર્યું અને બીજી તરફ ઈન્ટરનેટ ચાલુ કર્યું તો જિજ્ઞેશભાઈ અધ્યારુનો ઈ-મેઈલ મળ્યો કે “હમણાં જ પ્રાપ્ત થયેલ અત્યંત દુ:ખદ સમાચાર અનુસાર આજે સાંજે શ્રી સુરેશભાઈ દલાલનું નિધન થયું છે.” ત્યાં વળી રજનીભાઈનો પણ મેસેજ આવ્યોકે “કવિ-વિવેચક-સંપાદક-પ્રકાશકશ્રી. ‘સુ.દ.’નું શ્રાવણ ‘વદ’ આઠમ પર અવસાન.

 .

શું લખું તે જ મને તો સમજ નથી પડતી. સુરેશભાઈ સાથે મારે વ્યક્તિગત રીતે કોઈ જ પરિચય ન્હોતો. એક વાચક અને ભાવક તરીકેનો નાતો. એમના લખાણો મારા હૃદયની ખૂબ જ નજીક હતા, છે અને રહેશે.

.

કૃષ્ણ પર એમણે વિપુલ પ્રમાણમાં લખ્યું તે પછી કવિતા હોય કે ઝલક હોય કે પ્રાર્થના. અને આજે જન્માષ્ટમીના દિવસે જ તેઓ કૃષ્ણમાં સમાઈ ગયા. કદાચ કૃષ્ણને પણ એમના અવાજમાં કૃષ્ણગીતો સાંભળવા હશે એટલે પોતાની પાસે બોલાવી લીધા.

 .

કવિ અને લેખક તરીકે એમણે ઉત્તમ કક્ષાનું વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું. ગણી ગણાય નહીં એટલી બધી કવિતાઓ અને એટલા બધા પુસ્તકો. અઢળક. અને તોય લોકભોગ્ય ભાષામાં. સરળ ભાષામાં ઉંચા અને ઉમદા વિચારોને રજૂ કરી છેક છેવાડાના માણસ સુધી પહોંચાડ્યા. આ રીતે લોકો સુધી પહોંચવા માટે એમની પાસે બે પ્રબળ માધ્યમો હતા…કવિતા અને ઈમેજ પબ્લિકેશન. ‘ઈમેજ’ના માધ્યમથી એમણે પ્રકાશક, સંપાદક અને અનુવાદક તરીકે જે પુસ્તકો આપ્યા એ બધા જ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ સમાન બની રહ્યા છે. એમના સંપાદનો દરેક વખતે વિવિધતા ભરેલા રહ્યા છે. આ ઉપરાંત એમણે કેટલાયે નવોદિતોને બનાવ્યા છે, પ્રોત્સાહિત કર્યા છે, પ્રેર્યા છે, તક આપી છે, ઘડ્યા છે અને એમના પછીની બીજી પેઢી તૈયાર કરી છે.

 .

પણ સુરેશ દલાલ એટલે સુરેશ દલાલ જ. એમના ન રહેવાથી ગુજરાતી સાહિત્યમાં જે શૂન્યાવકાશ સર્જાશે તે ગમે એટલા પ્રયત્નો પછી પણ નહીં પૂરી શકાય.

 .

“મોરપીંછ” એમના પ્રિય કવિ-લેખકને હાર્દિક શ્રદ્ધાંજલિ અને શબ્દાંજલિ આપે છે..

 .

સુરેશભાઈ તમે જ લખ્યું હતું….

મૃત્યુ પછી

કાવ્યમાં

કવિ જીવે છે સુખથી.

*

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ !

*

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !

*

કંઈ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:

એમાં એક જ નામ તમારું નાવ થઈને મ્હાલે !

*

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

મને સૂતીને સપને જગાડ્યા કરી.

*

રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

*

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે:

કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

*

હવે નવા નવા સંબંધો બાંધવા નથી
મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

*

મને લાગે નહીં ક્યાંય કશું એકલું,

મને મારું એકાન્ત ગમે એટલું !

*

અમે એવા છઈએ : અમે એવા છઈએ

તમે માછલી માગો ને અમે દરિયો દઈએ.

*

મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મૂકીએ છીએ

એ પહેલાં

હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.

*

આપણે આપણી રીત રહેવું :

ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

*

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

*

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ..

આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ…

*

પંખીના ટહુકાથી ઊઘડે એવું

વહેલી સવારનું મૌન મને આપો

*

હું સાવ અજાણ્યો યાત્રી !

ક્યાંથી આવ્યો, ક્યાં હું ચાલ્યો, નહીં ખબર કે ખાત્રી.

*

હું વિદૂષક છું એમાં કોઈ શંકા નથી

આંસુઓ રૂમાલથી લૂછવાનાં નથી હોતાં

એટલે હાસ્યથી લૂછી લઉં છું.

*

હજાર વચ્ચે રહેવું નથી મારે બજાર વચ્ચે રહેવું નથી

મને ગુરુ મળ્યા છે ક્ષણમાં

નીરવ એમના મૌનમાત્રથી ગુલાબ ખીલ્યાં છે રણમાં.

*

મોરપિચ્છની રજાઈ ઓઢી

તમે સૂઓને શ્યામ,

અમને થાય પછી આરામ…

*

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

*

અને છેલ્લે…

અમને માયા લગાડીને, છાયા ઉઠાવીને

મનગમતો માણસ એક ચાલ્યો ગયો.

લય-તાલે ઝૂલતો, સરવર જેમ ખૂલતો

ગુનગુનતો માણસ એક ચાલ્યો ગયો.

સ્મિત ભીનું મૂકીને, આંસુઓ લૂંટીને

હણહણતો માણસ એક ચાલ્યો ગયો.

રણઝણતા ગીત મહીં, પાગલ આ પ્રીત અહીં

થનગનતો માણસ એક ચાલ્યો ગયો.

.

[આ સાઈટ બનાવી ત્યારે સાઈડ પરના વિજેટમાં ‘શેરબજાર’ નામનું એક વિજેટ બનાવ્યું છે જેમાં કાવ્યપંક્તિઓ મૂકું છું. ‘શેરબજાર’ નામ લખતી વખતે મનમાં પ્રશ્ન થયો કે ‘શેરબજાર’ આવ્યું ક્યાં ? તો મુંબઈમાં ‘દલાલ સ્ટ્રીટ’માં. દલાલ કોણ ? તો સુરેશ દલાલ. એમાંથી મેં બીજા વિજેટને નામ આપ્યું છે ‘દલાલ સ્ટ્રીટ’ અને એમાં સુરેશભાઈની રચનાઓ મૂકું છું.]

.

હિના પારેખ “મનમૌજી”