Category Archives: કવિતા-સમગ્ર

જીવનભરના તોફાન-અબ્બાસ એ. વાસી “મરીઝ”

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું,

              ફકત એના મોઘમ ઈશારે ઈશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,

              છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો,

              ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

              છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હ્રદય મારું વ્યાપક, નજર મારી સુંદર,

              કલા મારી મોહક વિચારે વિચારે.

નથી આભને પણ કશી જાણ એની,

              કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુખની વચ્ચે,

              સમયના વિના કંઈ તફાવત ન જોયો.

બધીયે મજા હતી રાતે રાતે,

              ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,

              તો એનું નિવારણ તમારું મિલન છે.

તમે આમ અવગણના કરતા જશે તો,

              થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,

              હકીકતમાં કોની છે સાચી બુલંદી.

જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,

              તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,

              ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.

નવા છે મુસાફિર વિસામે વિસામે,

              નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં

              મરીઝ એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો કાંધે કાંધે

              જીવન પણ ગયું છે સહારે સહારે.

( અબ્બાસ એ. વાસી મરીઝ )

આજ-રાવજી પટેલ

 

આજ આખોય દિવસ મચ્યો વરસાદ

કાલ બપોર લગી ન હતું કશુંય

તે સડકની ધાર પર ઘાસ ગર્ભકોમલ ડોકાઈ આવ્યું.

પગરખાં મહીં થોડી કનડીઓ હરેફરે…

મારે જવું-જવું-

મારે બેસવું છે ઘાસ પાસે.

આસપાસના મકાનોમાં ભીનીમદ ભરી હોય માટી એવું શાંત.

અરે, કોકને શાક લેવા પણ નથી જવું?’

મારે જવું; જવું-

કોણ ટૂંટિયું વાળીને પડ્યું માર્ગ પર?

સૂર્ય? મારી ઈચ્છારૂપે ક્યારનો ભીંજાય?

આ ગોરંભાયો ગાજે આજે મેઘસ્વર ઘુરુરુરુ ઘેર ઘેર

નેવે નેવે વહે પથ પર ખળખળ

ખુલ્લી બખ બારીઓ સકલ અંધ મનુષ્યની આંખો જેવી.

અલ્યા, કોઈને પોષ્ટઓફિસેય નથી જવું?’

મારે, જવું જવું-પણ કોને લખું?

( રાવજી પટેલ )

કેમ રહેવાય કહો છાનાં?-“આનંદ” મુનિચંદ્રજી

ભીતરના તાર સ્વયં રણઝણતા થાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

ગુંજન ના હોય અને સૂરો સંભળાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

 

દુ:ખમાંયે મુરઝાવા દીધી ના લીલપ

કે, ચહેરાઓ સ્મિત વડે દોર્યા,

જલી જલી મેળવી છે જાહોજલાલી અને

પાનખરોમાંય સદા મ્હોર્યા !

ભડભડતા દરિયા તરી નૌકા હરખાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

 

લાગણીઓ લોહી મહીં ઘૂંટી ઘૂંટીને પછી,

ઉરના ઓરસિયે લસોટી,

કેમ રે કેવાય બધી અંદરુની વાત

થાય શબ્દોની કારમી કસોટી,

આંખોમાં નવી એક આશા છલકાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

 

ભેદી બિહામણા સાચના તે રૂપ અમે

પેસી પાતાળ લીધાં શોધી,

કીધાં ન કોઈ દિ જે દોષ કિનખાબી અમે

થઈ બહુરૂપી લીધા ઓઢી !

બિડેલાં લોચનોથી સઘળું દેખાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

(આનંદ મુનિચંદ્રજી )

टुकडे-टुकडे दिन बीता-मीना कुमारी

टुकडे-टुकडे दिन बीता, धज्जी-धज्जी रात मिली

जितना-जितना आंचल था, उतनी ही सौगात मिली

रिमझिम-रिमझिम बूंदो में, जहर भी है और अम्रुत भी

आंखे हंस दीं दिल रोया, यह अच्छी बरसात मिली

जब चाहा दिल को समझें, हंसने की आवाज सुनी

जैसे कोई कहता हो, ले फिर तुझको मात मिली

मातें कैसी घातें क्या, चलते रहना आठ पहर

दिल-सा साथी जब पाया, बेचैनी भी साथ मिली

होंठों तक आते-आते, जाने कितने रूप भरे

जलती-बुझती आँखो में, सादा-सी जो बात मिली

( मीना कुमारी )

મિત્રને યાદ કરવો એટલે-કવિતા ચોકસી

મિત્રને યાદ કરવો-

એટલે ઘટ્ટ અંધકારમાં ખુલ્લું-ખુલ્લું રડી દેવું

અને પછી ઓચિંતું હસી પડવું.

તું સંવેદી શકે કે હું તને યાદ કરી રહી છું?

ગાઢા શિયાળામાં તેં દીધેલી સગડીનો કેસરિયો ઉજાસ

મારા રુંવે-રુંવે આછેરી ગરમાશ ભરી ગયો છે.

ભર વરસાદે તેં મોકલાવેલો

ફોરાંભર્યા લીલા પાંદ નો પત્ર

પીળો પડી રહ્યો છે

અને મારી આંખમાં ચમકી રહી છે

અજાણ્યે જ ધસી આવેલ અશ્રુબિંદુની સેર.

હું તને યાદ આવતી હોઈશ-

રેડિયો પર પ્રભાતિયાં સંભળાતાં હશે ત્યારે

અથવા બપોરની ખાટ્ટીમીઠ્ઠી છાશ પીતી વેળાએ.

અને સાંજના ઘેરાતા અંધારે

કોઈ પક્ષીની પાંખ ફફડે

તેમ હું તારામાં ફફડી જતી હોઈશ,

એ તો ચોક્કસ.

તને યાદ કરવો

એટલે મારે મને યાદ કરવી

અને વેદનાના રંગોને

મેઘધનુનો આકાર દઈ

સુખ-સુખ વગોળવું એટલું જ પ્રિય!

( કવિતા ચોકસી )

માણસ-વેણીભાઈ પુરોહિત

 કરવતથી વહેરેલાં

ઝેરણીથી ઝેરેલાં

કાનસથી છોલેલાં,

તોય અમે લાગણીનાં માણસ.

બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,

તોપ તોપ ઝીંકેલાં, આગ આગ આંબેલાં,

ધણધણ ધુમાડાના

બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં:

તોય અમે લાવણીનાં માણસ.

ખેતરમાં ડૂંડામાં

લાલ લાલ ગંજેરી,

શ્યામ શ્યામ સોનેરી,

ભડકે ભરખાયલ છે: દાણા દુણાયલ છે:

ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં-

તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં…દૂધિયાં પિરોજાં,

દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,

માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં:

કાંઠેથી મઝધારે

સરગમને સથવારે,

તોય અમે આવણી ને જાવણીનાં માણસ.

ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.

કરવતથી…

( વેણીભાઈ પુરોહિત )

હેતનો અનગળ ખજાનો-સ્નેહી પરમાર

હેતનો અનગળ ખજાનો ખૂલશે

બંધ થાશે દ્વાર પાંખો ખૂલશે

ખૂલવાનો અર્થ જાણી લો પ્રથમ

દ્વાર ખખડાવો, દીવાલો ખૂલશે

દુનિયાની કોઈ પણ દુર્ગમ જગા

જાતના ભોગળ હટાવો, ખૂલશે

ફૂલની સમજણ લઈ ખખડાવજો

ખોલનારો આખ્ખે-આખ્ખો ખૂલશે

ત્યારે તારાં દ્વાર થાશે દ્વારકા

મારી ભીતરનો સુદામો ખૂલશે

ખૂલવા ઉપર લખી આખ્ખી ગઝ્લ

ક્યારે સ્નેહી તારી આંખો ખૂલશે

( સ્નેહી પરમાર )

 

 

 

 

जिन्दगी तुने लहू लेके-राजेश रेड्डी

जिन्दगी तुने लहू लेके दिया कुछ भी नहीं

तेरे दामन में मेरे वास्ते क्या कुछ भी नहीं

आप ईन हाथों की चाहें तो तलाशी ले लें

मेरे हाथों में लकीरों के सिवा कुछ भी नहीं

हमने देखा है कई ऎसे खुदाओं को यहॉ

सामने जिनके वो सचमुच का खुदा कुछ भी नहीं

ये अलग बात है वो रास न आया खुदको

उस भले श्ख्स में वैसे तो बुरा कुछ भी नहीं

बातें फैली हैं मेरे नाम से जाने क्या-क्या

जब कि सच ये है कि मैंने तो कहा कुछ भी नहीं

ऎ खुदा! अबके ये किस रंग में आई है बहार

जर्द ही जर्द है पेडों पे हरा कुछ भी नहीं

दिल भी ईक बच्चे की मानिंद अडा है जिद पर

या तो सब कुछ ही ईसे चाहिये या कुछ भी नहीं

( राजेश रेड्डी )

रिश्ते बस रिश्ते होते हैं-गुलजार

रिश्ते   बस  रिश्ते होते  है

कुछ    ईक  पल के

कुछ दो पल के

कुछ परों से हलके  होते हैं

बरसों के तले चलते-चलते

भारी-भरकम हो जाते हैं

कुछ भारी-भरकम बर्फ के-से

बरसों के तले गलते-गलते

हलके-फुलके हो जाते हैं

नाम होते हैं रिश्तों के

कुछ रिश्ते नाम के होते हैं

रिश्ता वह अगर मर जाऍ भी

बस नाम से जीना होता है

बस नाम से जीना  होता है

रिश्ते बस रिश्ते होते हैं

( गुलजार )

આવ્યો અગમનિગમથી સાદ..-કૈલાસ અંતાણી

આવ્યો અગમનિગમથી સાદ કે ચાલો વાર ન કરશો

ઊપડો  અંતરિયાળ  કે ચાલો  વાર ન કરશો.

કરો સાબદા ઊંટો, અશ્વ પલાણો

ભવરણ  કરવું  પાર  કે  ચાલો વાર ન કરશો.

ઊપડો  અંતરિયાળ  કે  ચાલો વાર ન કરશો.

છોડી નાંખો લંગર શઢ સંકોરો

સંકેલી  લો  જાળ કે  ચાલો વાર ન કરશો

ઊપડો  અંતરિયાળ  કે ચાલો  વાર ન કરશો.

તોડી તાણાવાણા ગાંઠ ઉકેલો

છોડો  સહુ  જંજાળ કે ચાલો વાર ન કરશો

ઊપડો અંતરિયાળ કે ચાલો વાર ન કરશો.

 

( કૈલાસ અંતાણી )

 

કૈલાસબેન અંજારની નગર પ્રાથમિક શાળા નં. ૧ માં શિક્ષિકા હતા. સંગીત, વાચન, પ્રવાસ, ઈતર કલાઓની સાથે સાથે સાહિત્યનો પણ તેમને ઘણો શોખ હતો. આકાશવાણી ભુજના માન્ય કવિ હતા. તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ કચ્છમાં ભૂકંપ થયો ત્યારે એમની શાળાના બાળકો સાથે રેલીમાં ભાગ લેવા ગયા હતા. શાળા અને શિક્ષણ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં બજાવતાં તેઓ પ્રલયકારી ભૂકંપનો ભોગ બન્યા હતા.

એમની સાથે મારો સંપર્ક બહુ ઓછો સમય માટે થયો હતો. પણ એ સમયગાળા દરમ્યાન મને એમના ઉમદા વ્યક્તિત્વનો પરિચય થયો હતો. એમના અવસાન પછી એમના સ્વજનોએ પ્રકાશિત કરેલ કાવ્યસંગ્રહ શગ દીવાની કમ્પેમાંથી આ કાવ્ય મારા બ્લોગ પર પોસ્ટ કરીને હું તેમને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પું છું.