मैं अँधेरा : एक रहस्य – डॉ. गोपाल शर्मा ‘सहर’

.

हाँ, मैं अँधेरा हूँ. मुझे सदियों से कोसा जाता है. शास्त्रों ने मुझसे दूर भागने की बातें कही है. प्रभो से यही प्रार्थना की जाती है कि “हे प्रभो ! हमें अंधकार से प्रकाश की ओर ले जाओ.” मेरी ओर तो कोई देखना, आना ही नहीं चाहता है. मानो मैं तो यूँ ही अनचाहा, न जाने कहाँ से, कैसे आ टपका यहाँ. लावारिस ! कोई अपनाना ही नहीं चाहता है. पर मैं न लावारिस हूँ और न झूठ ही. मैं तो अनादिकाल हूँ. मैं न कभी जनमा और न कभी मरा ही. जब कुछ नहीं था तब भी मैं था और एक दिन जब कुछ नहीं रहेगा, तब भी मैं रहूँगा.

 .

ज्ञानी मुझे निराशा, दु:ख, कष्ट, अज्ञान का प्रतीक कहते हैं. मैं न किसी का रोड़ा, काँटा बना, न ही मैंने ज्ञानियों के ज्ञान में कोई बाधा डाली, यदि किसी को कुछ दिखाई नहीं देता है मेरी उपस्थिति में, तो इसमें मेरा क्या कसूर ! सूरज के उजाले में कौन सूरज को देख सकता है भर दुपहर में ! मैंने किसका क्या बिगाड़ा है कि हमेशा मुझसे पल्लू झटकने की बातें होती रही. लोग भूल जाते हैं कि अंधकार और उजाला एक ही सिक्के के  दो पहलू हैं. जहाँ दिन है, वहाँ रात है और सुबह है तो शाम भी है, और ज्ञान है, वहाँ अज्ञान भी जरुर है.

 .

जिस तरह अंधकार से प्रकाश की ओर यात्रा है, ठीक उसी तरह प्रकाश से अंधकार की ओर यात्रा है. उजाले में श्रम से थके-हारे लोगों को मैं ही अपनी गोद में सहलाकर, लोरी सुनाकर सुला देता हूँ और अगले दिन उजाले की दस्तक से फिर रोजी-रोटी कमाने में जुट जाते हैं. जीवन में जितनी श्रम की जरुरत है, उतनी विश्राम की भी. यूँ कहने को सब कोई कह ले अँधेरा निष्क्रिय बना देता है हमें. परन्तु मनुष्य जब श्रम से निष्क्रिय हो जाता है, तो उसे चैन की नींद सुलाकर मैं ही नई उर्जा भरता हूँ, ताकि वह फिर सक्रिय बने. उजाला सारी उर्जा खा जाता है लोगों को सक्रिय रखकर, और मैं निष्क्रिय हुए में नयी उर्जा क संचार कर सक्रिय करता हूँ उन्हे फिर. मनुष्य के अपने आप गाढ़ अंधकार में उतारने और डूबने का नाम ही निद्रा है और इस निद्रा में डूबे बिना मनुष्य कैसे जीवित रह सकता है. जो रोज़ निश्चिन्त रात को इस अंधकार में डूब जाते हैं, वे पृथ्वी पर सबसे ज्यादा सुखी हैं, हरेक प्राणी की यात्रा उजाले से अंधकार की तरफ होती है, जहाँ पहुँचकर वह परम सुख की अनुभूति करता है, जो इस अंधकार में डूबने के सुख से वंचित रह जाते हैं, वे दिमागी संतुलन तक खो देते हैं, फिर डॉक्टरों की लिखी गोलियाँ खाकर निद्रा के अंधकार की ओर यात्रा-प्रयाण करने की कोशिश करते हैं.

 .

हमेशा अँधेरे से डरना सिखाया जाता है. बच्चों को अँधेरे से, भगवान से डराया जाता है. फिर वे ज़िन्दगी भर इनसे डरते हैं. यहाँ तक कि बड़ों तक को अकेले में अँधेरे को पहने-ओढ़े झाड-झाड़ी दीख जाये तो पसीना और छक्के छूट जाते हैं.

 .

कुदरत का कसूर कहूँ कि दस्तूर ! मेरा रंग काल-कलूटा और स्वभाव से मैं एकदम शांत. उजाला रंग का धोला और स्वभाव का तेज-तर्रार. मुझे तो नाम ही कैसे दिये-अँधेरा, अंधकार. मानो मैं दृष्टिहीन हूँ. पर मैं जो देख सकता हूँ, वह तो उजाला तक नहीं देख सकता है और मेरी दृष्टि तक उजाले की आँखे पहुँचती ही नहीं. मेरी नज़र से सूरदास ने जो देखा वह तो उजाले की नज़र वाला कोई नहीं देख पाता.

 .

दार्शनिकों को मैं दिखायी ही नहीं दिया. मेरा अस्तित्व ही नहीं स्वीकारा. न मुझे सात, सोलह पदार्थों में स्वीकारा, न पाँच-पच्चीस तत्वों में. कहीं पर भी मेरा नाम-निशान नहीं. पृथ्वी, जल, तेज, वायु, आकाश, काल, दिशा, आत्मा और मन की सत्ता स्वीकार कर उनके लक्षण किये गये. किसी ने सवाल उठाया भी कि बेचारे अंधकार को भी दसवाँ द्रव्य मानना चाहिये. उसका भी रंग-रुप है, उसमें गति भी दिखायी देती है तो यह कहकर इस वात को ही उड़ा दिया कि वह तो प्रकाश का  अभाव मात्र है. उसका कोई रंग-रुप नहीं. रंग-रुप को देखने के लिये प्रकाश की जरुरत पड़ती है और अंधकार को देखने के लिये जैसे ही प्रकाश को पास ले जाते हैं तो वह गायब हो जाता है. उसमें जो गति दिखायी देती है वह तो प्रकाश का अपसरण है.

 .

मुझे समझ में नहीं आता है कि यदि मैं हूँ ही नहीं तो मुझे यह नाम क्यों दिया गया ! यह तो बड़ी अजीब बात है कि यदि मैं हूँ नहीं तो शास्त्रों में लोग क्यों गिड़गिड़ाते है कि ‘हे प्रभो ! हमें अंधकार से प्रकाश की ओर ले जाओ.’ और यह कहवत यूँ ही नहीं गढ़ी गयी होगी कि खुदा के घर देर है, पर अंधेर नहीं. पर जहाँ अँधेरा है, वहाँ सवेरा भी है, और जहाँ सवेरा है, वहाँ फिर से अँधेरा होने ही वाला है. अँधेरा तो बसेरा है, विश्राम है. उजाले का थका-हारा मुसाफिर अँधेरे के गिरते-घेरते यहाँ-वहाँ कहीं भी बसेरा ढूंढ़ ही लेता है, रैन-बसेरा.

 .

मुझे हँसी आती है ज्ञानियों के ज्ञान पर कि जो है ही नहीं, उसे आकाश नाम दे दिया. उसे शब्द गुण वाला कहा गया है और तो और जिसे देखा न जाना उस ‘आत्मा’ की सत्ता स्वीकर कर ली. जीवात्मा और परमात्मा भेद और लक्षण भी कर दिया और कुछ नहीं तो मुझे भी काल-दिशा की तरह व्यावहारिक ज्ञान के लिये ही स्वीकार कर लिया होता तो उनका क्या बिगड़-चला जाता.

 .

सब जगह उजाले का बोलबाला है. उजाले की पूजा-अर्चना. कोई माने या न माने पर मेरी भी सत्ता तो है. मेरा भी साम्राज्य है, जिसकी वजह से क्या से क्या हो जाता है. रस्सी में सर्प, पेड़-पौधों या किसी और की आकृतियों में भूत-प्रेत तक दिखायी  देते हैं और लोग भाग खड़े होते हैं. अगर मैं होता ही नहीं तो उन्हें जो है, वो वैसा ही दिखायी देता. सिर्फ मैं ही नहीं, भ्रम-अज्ञान तो उजाला भी पैदा करता है कि तपती दुपहर में नदी-समुद्र के किनारे सीप में चाँदी का ज्ञान हो जाता है. राह में पड़ी पीतल आदि धातु की वस्तुएँ सोने की दिखायी पड़ती है, और उन्हें हाथ में उठा तक लेते है और इतना ही नहीं, कोई देख न ले, इस डर के मारे जेब में रख लेते है और फिर अकेले में देखते हैं कि यह असली सोने-चाँदी की है या झूठी-नकली ताँबे-पीतल की.

 .

हाँ, मैं हूँ, सब कहीं जगहों पर हूँ. जब उजाला इस पार है, तो मैं उस पार हूँ और जब उजाला उस पार है तो मैं इस पार हूँ. दीये के नीचे छुपकर मैं ही बैठा हूँ. यह कहावत यूँ ही नहीं बनी होगे कि ‘दीया तले अँधेरा’. इसमें बुरा क्या है. दीये के तले उजाला कर दो, अँधेरा उपर हो जायेगा. किताब-कॉपी के हाशिये पर, घरों-मकानों के कोनों में यहाँ-वहाँ, जहाँ, कहीं भी जितनी जगह मिल जाये छुपकर बैठ जाता हूँ, खजूर, नारियल के ऊँचे पेड़ो पर चढ़कर बैठ जाता हूँ. मैं कोई चोर भी नहीं हूँ. मेरी नियति ही है कि मैं रहस्य हूँ. ठीक आत्मा-परमात्मा की तरह. तुम रोशनी को मुठ्ठी में कैद कर सकते हो, मुझे नहीं. मैं तो अपनी मर्ज़ी का मालिक.

 .

( डॉ. गोपाल शर्मा ‘सहर’)

પરબિડીયું ખોલતા – અજય પુરોહિત

.

પરબિડીયું ખોલતા કારણ મજાનું નીકળે,

આંગળીને સ્પર્શ વચ્ચે રણ મજાનું નીકળે.

 .

હું તરત કાગળ લખું છું આ સળગતા સૂર્યને,

સાંજ જેવું ક્યાંક લો, સગપણ મજાનું નીકળે.

 .

સાવ પીળો હોય છે કેલેન્ડરનો અંતિમ અવાજ,

   એ મુલાયમ દર્દનું તારણ મજાનું નીકળે.

 .

પાંસળીમાં કાળુ અંધારું છવાતું જાય છે,

શ્વાસની વાતોનું બંધારણ મજાનું નીકળે.

 .

તું નદી, શ્વાસો હલેસાં, હું દરિયો છું કદાચ,

એ પછી ભૂલી જવા એક જણ મજાનું નીકળે.

.

( અજય પુરોહિત )

શું લખું તને ? – ‘રાઝ’ નવસારવી

.

દિવસ, મહિના, સાલ વિશે શું લખું તને ?

વહેતા સમયની ચાલ વિશે શું લખું તને ?

 .

ચાલે છે ઠીક ઠીક ને એ રીતે ચાલશે,

જીવનની આજકાલ વિશે શું લખું તને ?

 .

હે દોસ્ત ! એ તો જાત અનુભવની ચીજ છે,

હું પ્રેમના કમાલ વિશે શું લખું તને ?

 .

તું જાણવા ચહે છે કે ખામોશ કેમ છું ?

અંગત છે, એ સવાલ વિશે શું લખું તને ?

 .

એવુંય થાય છે, કદી ઘાતક બને છે એ,

હું દોસ્તોની ઢાલ વિશે શું લખું તને ?

.

ચિંતા નથી જ્યાં સહેજ મને વર્તમાનની,

વીતી ગયેલી કાલ વિશે શું લખું તને ?

 .

( ‘રાઝ’ નવસારવી )

આ ધરાને – સુરેન્દ્ર કડિયા

.

આ ધરાને આભ સાથે જોડવી પડશે, ભગત

કોઈ કૂંપળની સમાધિ તોડવી પડશે, ભગત

 .

એક પરપોટો ઘણો મગરૂર એની જાત પર

એક-બે તોપો અણી પર ફોડવી પડશે, ભગત

 .

હામાં હા શું કામ ? હૈયે હોય એવું હોઠે હો

લત હવે ગાંજા-ચલમની છોડવી પડશે, ભગત

 .

કોઈ ત્યાં કંકુ ચડાવીને પ્રતીક્ષા-રત રહે

ખેર, ખાંભી પણ સમયની ખોડવી પડશે, ભગત

 .

પોર પોરો ખાઈ લીધો ને ભલે અટકી ગયા

ઓણ કાં તો એ મજલ પણ દોડવી પડશે, ભગત

.

( સુરેન્દ્ર કડિયા )

इस जहाँ में – राजेश रेड्डी

.

इस जहाँ में यूँ तो सब आसान है

मेरी मुश्किल बस मेरा ईमान है

 .

जाने कब इस जिस्म से छूटूँगा मैं

जाने किस तोते में मेरी जान है

 .

कर रहा है इक सदी का इंतज़ाम

चार दिन का जो यहाँ मेहमान है

 .

क्या अजब है मौत है राहत का नाम

और ग़मों का ज़िन्दगी उनवान है

.

ग़मज़दा तो सब हैं गौतम की तरह

सबकी क़िस्मत में कहाँ निर्वान है

 .

( राजेश रेड्डी )

હરિવર સાથે હેત – પન્ના નાયક

.

હરિવર સાથે હેત

ખુલ્લેખુલ્લું કહી દઉં છું કે ખપે નહીં સંકેત.

 .

છાનુંછપનું શાને કરવું ? ક્યાં કરીએ છીએ ચોરી ?

રાધાશ્યામના પ્રેમની ઉપર કોની છે શિરજોરી ?

હું શ્યામની કુંજગલી છું : મીરાંબાઈનો ભેખ.

 હરિવર સાથે હેત.

 .

સાંવરિયાના સૂરની સાથે

હોય અમારો નાતો,

શ્યામની સાથે હોય સદાયે

શરદપૂનમની રાતો.

સૃષ્ટિ આખી તન્વી  શ્યામા: ‘કૃષ્ણપુરુષ છે એક’.

હરિવર સાથે હેત.

 .

( પન્ના નાયક )

વલસાડના અવ્વલ અનાવિલ… – ગુણવંત શાહ

.

વલસાડના અવ્વલ અનાવિલ…

 .

એક જમાનામાં સુરતના ત્રણ નન્ના જાણીતા હતા : નર્મદ, નવલરામ અને નંદશંકર. દક્ષિણ ગુજરાતના અનાવિલોના ત્રણ મમ્મા કોણ ?

 .

જવાબ છે : મોનજી રુદર, મહાદેવ દેસાઈ અને મોરારજી દેસાઈ. ચોથા મ મૂકવા હોય તો ગોસેવક મણિભાઈ દેસાઈને યાદ કરવા રહ્યા.

 .

અનાવિલની વ્યાખ્યા શી ?

 .

જે માણસ તમને પંપાળતો હોય તોય નખોરિયાં ભરે છે એવું લાગે એને અનાવિલ જાણવો. મોરારજીભાઈ અનાવિલ હતા.

 .

કેટલાક માણસોની પર્સનાલિટી જ જરા વિશિષ્ટ હોય છે. એ પ્રશંસા કરવામાં કાયમ કરકસર કરે, પરંતુ ટીકા કરવામાં વાર ન લગાડે. એ સદ્દભાવ પ્રગટ કરવામાં વિલંબ કરે, પરંતુ અણગમો તરત પ્રગટ કરે. એ કોઈનો ઝટ સ્વીકાર ન કરે, પરંતુ એને દૂર કરવામાં ઉતાવળ કરે. મોરારજીભાઈ સામેવાળાને સ્નેહ કરતા હોય તોય એ માણસને તે વાતની ખબર ન પડે. વાણી કઠોર હતી એથી કાયમ એ શત્રુ ઉછેર કેન્દ્રના માલિક બની રહ્યા. શાસન (ગવર્નન્સ) કેમ કરવું એની સૂક્ષ્મ સમજ એમની પાસે હતી. એમની પાસે યોગ્ય નિર્ણય ઝડપથી લેવાનું સામર્થ્ય હતું. આવી શક્તિ ધરાવનારા દશરથના વિશ્વાસુ સુમન્ત્ર માટે વાલ્મીકિ રામાયણમાં ત્વરિતવિક્રમ: શબ્દપ્રયોગ થયો છે.

 .

વડા પ્રધાન મટી ગયા પછી એ મરીન ડ્રાઈવ પર આવેલા ઓસિયાના ફ્લેટમાં રહેતા હતા. પાકિસ્તાનના સરમુખત્યાચાર જનરલ ઝિયા સાથે એમનો સંબંધ સારો હતો. બન્ને વચ્ચે ટેલિફોન પર લાંબી વાતચીત થતી. ઈરાનના શાહને પણ મોરારજીભાઈ માટે ખૂબ આદર. પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન-એ-પાકિસ્તાન મોરારજીભાઈને નિવૃત્તિ દરમ્યાન મળ્યો. એ સ્વીકારવા માટે એ પાકિસ્તાન જવા તૈયાર ન થયા. એ સમયગાળામાં હું વારંવાર મોરારજીભાઈને મળવા જતો.

 .

લાગ જોઈને મેં મોરારજીભાઈને પૂછ્યું :

 .

‘આપે પાકિસ્તાન જવાની ના કેમ પાડી ?’

 .

એમનો પ્રતિભાવ એક જવાબદાર અને રુઆબદાર રાષ્ટ્રપુરુષને શોભે એવો હતો. એમણે કહ્યું :

 .

‘હું પાકિસ્તાન જાઉં તો પત્રકારો મોમાં આંગળાં નાખીને મારી પાસે ઈન્દિરા ગાંધીની વિરુદ્ધ બોલાવડાવે. મારે મારા દેશના વડા પ્રધાનની નિંદા પરદેશની ધરતી પરથી કરવી નહોતી. વળી હું ઈન્દિરાની ખોટી પ્રશંસા કરું કે એમનો બચાવ કરું તો મારે જૂઠું બોલવું પડે ! માટે મેં જવાની ના પાડી.’

 .

ભારતને આવો શીલવાન વડા પ્રધાન ક્યારે મળશે ? રાજકારણી હોય એને જૂઠું ન બોલવાનું પોસાય ?

 .

અશોક શાહ નામના યુવાનને મેડિકલમાં પ્રવેશ મળ્યો. એ યુવાને તે વખતના નાણાપ્રધાન મોરારજીભાઈને પત્ર લખીને આર્થિક મદદ કરવા વિનંતી કરી. મોરારજીભાઈએ પર્સનલ એકાઉન્ટમાંથી તરત જરૂરી રકમ મોકલી આપી. આજે એ યુવાન ન્યુયોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં પેટના રોગોના નિષ્ણાત તરીકે દાક્તરી સેવા આપી રહ્યો છે. હું અશોકભાઈને ઘરે ત્રણ વાર જઈ આવ્યો છું. એ આદરણીય મોરારીબાપુના ભક્ત છે.

 .

એક અંગત પ્રસંગની વાત કરું ?

 .

હું ત્યારે સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગમાં પ્રોફેસર અને હેડ હતો. મોરારજીભાઈ ડુમસ આવે ત્યારે હું એમને અચૂક મળવા જતો. સુરતના નગરજનો મોટી સંખ્યામાં મારાં ગીતા-પ્રવચનો સાંભળવા માટે આવી પહોંચતા. ડુમસ જઈને મારા પ્રવચનમાં ઉપસ્થિત રહીને ગીતાના તત્વજ્ઞાન અંગે બે શબ્દો શ્રોતાઓને કહેવાની મેં મોરારજીભાઈને વિનંતી કરી. એનો સ્વીકર કરીને એમણે આપેલા સમયે સુરતના જીવનભારતી હોલમાં ઉપસ્થિત થયા અને બોલ્યા. એ ૯ ઓક્ટોબર, ૧૯૮૩નો દિવસ મારે માટે અને સુરતીઓ માટે યાદગાર બની ગયો !

.

એમના જેવા સ્વચ્છ રાજપુરુષ હવે દીવો લઈને શોધવા જઈએ તો પણ જડે એમ નથી. આજે તો ઠેર ઠેર તમને દિગ્વિજયસિંહ જ મળવાના ! સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં લોકસભામાં નાણાપ્રધાન તરીકે નવ-નવ વાર બજેટ રજૂ કરવાનો વિક્રમ હજી મોરારજીભાઈના નામે છે. એમની પર્સનાલિટી અત્યંત પ્રભાવશાળી હતી.

 .

મોરારજીભાઈને શત્રુ પેદા કરવાની ઉતાવળ રહેતી. જો એ મધુરભાષી હોત તો નહેરુ પછી જરૂર ભારતના વડા પ્રધાન બન્યા હોત. કડવાં વેણ ઉચ્ચારવાં એ એમની હોબી હતી શું ?

 .

એ આખાબોલા હતા એથી બોલતી વખતે આખા ને આખા (ઈન્ટિગ્રેટેડ) રહી શકતા હતા. વડા પ્રધાન હતા ત્યારે ઉત્તર ભારતના કોઈ શહેરમાં એમનું જાહેર પ્રવચન થયું ત્યારે એક પત્રકારે કહ્યું :

 .

સર ! તમારું પ્રવચન ઉત્તમ હતું. તરત જ મોરારજીભાઈએ એ પત્રકારને કહ્યું :

 .

‘વડા પ્રધાનો ક્યારે પણ નબળું પ્રવચન કરતા નથી.’

 .

એમના જવાબમાં રહેલી તેજલ ધાર સમજવા જેવી છે.

 .

( ગુણવંત શાહ )

 

હું જાગું છું – સુરેશ દલાલ

હું જાગું છું અને દિવસને આવકારું છું

અને સહજપણે દઈ દઉં છું સ્મિતનું ફૂલ.

એ પણ મને આપે છે પંખીનો એક ટહુકો

અને પળેપળમાં વહી રહે છે ભમરાનું ગુંજન.

 .

સવારના આ માહોલમાં હવા નજાકતથી મને

સ્પર્શે છે અંગે અંગે અને મને ફૂટે છે

રોમાંચની અધખીલી કળીઓ જે થોડીક ક્ષણોમાં

મારી આસપાસ એક મધુમય વાતાવરણ થઈને મ્હેકી ઊઠે છે.

 .

હું પણ બ્હેકી ઊઠું છું સવારથી તે રાત સુધી.

ક્યાંય કશો ભાર ભાર નથી, થાક નથી કે કોઈ કંટાળો.

દિવસની ગતિમાં જ ‘ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈજંનિયાં’નો

મંદ મધુર ધ્વનિ હોય પછી કોલાહલની તો છાયા પણ ક્યાંથી ?

.

મને હંમેશા એમ લાગે છે કે હું કોઈ દ્રાક્ષ-મંડપમાં

મારી સાંજ સાથે સંવનન કરતો રાતરાણી સાથે સૂઈ જાઉં છું.

 .

( સુરેશ દલાલ )

હવે મૃગજળ – મુકેશ જોષી

.

હવે મૃગજળ મને તો બહુ વહાલ કરે છે

હાથ સ્હેજ લંબાવું ભીનો કરવા

છતાં રેતીના બાચકા ન્યાલ કરે છે

 .

તરવા માટે હવે રેતી ને

આંખેથી ઝરવા માટેય હવે રેતી

ઈચ્છાના સાગરની કોણે કરી હશે

આવડી તે મોટી ફજેતી

અટકળની લહેરો તો આવી આવીને

ચૂંટી ખણીને સવાલ કરે છે

આ મૃગજળ તને કેમ વહાલ કરે છે.

 .

શ્વાસોથી ફૂંકાતી કાળઝાળ લૂ :

રોજ શેકાતા જીવતરના ઓરતા

પાણીનું નામઠામ સાંભળ્યા છતાં

હજુ હોઠ નથી આછુંય મ્હોરતા

દરવાજે ટાંગી ગયું કોઈ સૂરજ

ને કિરણો આ ઘરમાં ધમાલ કરે છે

જાણે જીવતરમાં ઝાંઝવાનો ફાલ ખરે છે

 .

( મુકેશ જોષી )

લાગણી – લાભશંકર ઠાકર

.

લાગણીને પાણીમાં પલાળીને ફણગાવી શકાય

લાગણીને વાટી શકાય

ચીરી શકાય

નીચોવી શકાય

લાગણીને કચડી-મચડી તોડી શકાય.

લાગણીને વાવી શકાય ને વેચી શકાય.

લાગણીને ગટરમાં પધરાવી શકાય.

ને બાળી પણ શકાય.

લાગણીનું બધું જ થઈ શકે

એનું કાવ્ય બનાવીને કાન પર લગાડી શકાય

ને બામ બનાવીને કપાળ પર લગાડી શકાય.

એનો જામ બનાવીને દારુ ભરી શકાય.

ને રામ બનાવીને દામ પામી શકાય.

ને પાન બનાવીને ચાવી શકાય.

એ ધીરજ પણ છે અને ધતિંગ પણ છે

એ આખી પણ છે અને રાખી પણ છે

એ ખાલી પણ છે અને ખખડે પણ છે

એનો હાથ લંબાય તો હિમાલય જડકાય બથોબથ

અને ઓગળવા માંડે ઉષ્માથી-

અને આંખ તરડાય તો…બાંગ્લાદેશ

એ વેશ કાઢે વિચિત્ર મનની લકડિયા રંગભૂમિ પર ઠિચુકઠંગ

એ અડે તો ફૂલની જેમ ને પડે તો ઊલ્કાની જેમ-

એમ લાગે જાણે આપણા હાથમાં પીંછી

ને તેમ લાગે જાણે સાથળ પર વીંછી-

ને રુંવે રુંવે એના ઝેરથી બળું બળું થયાંના સ્મરણ…

ને આમને આમ લાગણીની લપછીપમાં આવવાનાં મરણ.

અરેરે

આપણે પાણીમાં પલડીને ફણગવું નથી, ચીરાવું નથી, નીચોવાવું નથી

નથી આપણે કચડાવું કે નથી આપણે મચડાવું

આપણે વવાવું પણ નથી ને વેચાવું પણ નથી.

અને છતાં ભરબજારમાં બેઠા છીએ હારબંધ વેચાવા માટે

લાગણીનું કૂંડું બનીને-

થાય છે ગબડી જઈએ, તૂટી જઈએ, ફૂટી જઈએ-

પણ કોણ ધક્કો મારે ?

અંદર જે છે તેને તો હાથ જ નથી, પગ જ નથી,

કોણ ધક્કો મારે-

અને ગબડી જઈએ ?

 .

( લાભશંકર ઠાકર )