Tag Archives: Amrita-Imroz

તારો સમાજ હું, મારો સમાજ તું-મેઘા જોશી

તારો સમાજ હું,મારો સમાજ તું – ઇમરોઝ અમૃતા
.
સત્તાણુ વર્ષે એક પ્રેમીના શરીરની વિદાય થઇ છે અને હવે એ દંતકથા બની ગયાં છે .વિખ્યાત લેખિકા અમૃતા પ્રીતમના “જીવનપ્રેમી ” કવિ અને ચિત્રકાર ઇમરોઝનું ગત સપ્તાહમાં નિધન થયું. અમૃતાજીનું પ્રીતમ સાથેનું અલ્પ અને અધૂરું વૈવાહિક જીવન, સાહિર લુધિયાણવી સાથેનો ઈશ્કી સંબંધ અને ઇમોરઝ સાથેના રૂહાની સંબંધ વિષે ખુબ લખાયું. અમૃતા પ્રીતમની આત્મકથા “રેવન્યુ સ્ટેમ્પ “, દરેક નઝ્મ અને કવિતાઓ ખાસ્સી બોલકી હતી, સૌને હૃદય સોંસરવી ઉતરી જાય એવી હતી અને છે ,આથી અમૃતાજી સાથે પ્રેમ નામનો શબ્દ લોહીમાં વહેતાં રક્તકણ જેવો જોડાઈ ગયો. પરંતુ જો આજે અમૃતાજી સદેહે હાજર હોત તો બેધડક કહી દેત ,”પ્રેમ એટલે હું નહિ, પ્રેમ એટલે સાહિર પણ નહિ, પ્રેમ એટલે ઇમરોઝ. જેને જીવનભર “આઈ લવ યુ ” કહેવું ના પડે કે ના સંબંધની કોઈ રસમ ફરજીયાત હોય એ અકબંધ જોડાણનું નામ ઇમરોઝ છે.
.
અમૃતા સાથે ઇમરોઝની અટક, નામ કે સગપણો નથી જોડાયા પણ ઇમરોઝ આખેઆખા જોડાઈ ગયા. એક છતની નીચે બે અલગ કમરામાં રહેતા બે સર્જકો અમૃતા અને ઇમરોઝ એકસાથે મુસાફરી કરતા રેલના બે પાટા જેવા હતા. અમૃતજી લખે અને ઇમરોઝ ચા મૂકે , અમૃતાની નઝમ પર કેલિગ્રાફી કરે અને મૃત્યુના બિછાને પડેલી અમૃતાના એક એક શ્વાસનું જતન કરે એ બધું જ આપણે ખુબ વાંચ્યું છે. અને જો એ વિષે ઓછો ખ્યાલ હોય તો રસીદી ટિકિટ કે ઇમરોઝના નિધન બાદ તાજેતરમાં જ લખાયેલા અનેક લેખ અને સોશ્યલ મીડિયા પોસ્ટમાં નજર ફેરવી લેજો. પ્રેમને જિદ્દી, લોહિયાળ, એનિમલ કે સામાજિક સમસ્યામાં તબદીલ કરતાં આપણાં સમાજમાં શું ખરેખર અમૃતા, સાહિર કે ઇમરોઝ સ્વીકૃત છે ખરા?
.
ચાલીસીએ પહોંચેલ એક સંવેદનશીલ અને સર્જક સ્ત્રી પતિથી છૂટી પડી હતી, ખુબ સફળ અને જાણીતા શાયરના પ્રેમમાં તરબોળ પણ હતી, એ તેનાથી સાત આઠ વર્ષ નાના ચિત્રકારના સંપર્કમાં આવે છે. એ બે વચ્ચેના કોઈ કરાર છે કે ના કોઈ તકરાર છે . કોઈ પ્રકારના બંધન નથી અને તે છતા એવું અતૂટ જોડાણ કે મૃત્યુ પછી પણ મુક્ત ના થયું.
.
વાર્તા કહેવા કે પ્રેમની પરાકાષ્ટાના ઉદાહરણ આપવા ગમે એવી દરેક ઘટનાઓ એમના જીવનમાં હતી. ઓળખાણ પછી મૈત્રી અને મૈત્રી દરમ્યાન સાવ સાહજિક રીતે જ ઇમરોઝ અમૃતજીના ઘરે રહેવા ગયા. સમાજ એટલેકે બહુમતીની સમજ કે માનસિકતા ક્યારેક ઇમરોઝ જેવી ના હોય તે સ્વાભાવિક છે. આથી જ અમૃતાજીની ખુબ મજાક થઇ અને પુરુષ રખાતના બિરુદની ભેટ પણ મળી. આમેય પ્રેમ સાહજિક લાગણીનું નામ છે પરંતુ આસાનીથી ગળે ઉતરે એવી બાબત નથી જ. એમના બિન પારંપરિક સંબંધ માટે સમાજનાં દ્રષ્ટિકોણ વિષે એકવાર અમૃતાએ પ્રશ્ન કર્યો હતો ત્યારે ઇમરોઝનો જે જવાબ હતો,”તારો સમાજ હું, મારો સમાજ તું”.
.
સમાજની પરવાહ અને સમાજની આપણા જીવનમાં અસર, આ બે જ વિષયમાં આખી ઝીંદગી પસાર થઇ જાય છે. એકબીજાનો સમાજ બનવું એટલે શું? આ માત્ર કવિતાના શબ્દો નથી બલ્કે ભારતીય સમાજમાં ભાગ્યે જ આકારિત થઇ શકે તેવું ઘર છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે તેવું જ બુદ્ધિજીવી માટે પણ માનવામાં આવે છે. બે બૌધિકો સાથે લેખ લખી શકે, એક મંચ પર જઈને જીદંગીની ફિલસુફી વિષે ભાષણ પણ કરી શકે. બેથી વધુ બૌધિકો મળીને રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય કક્ષાએ કોઈ ખાસ સમિતિમાં ચર્ચા પણ કરી શકે. પરંતુ એક છત નીચે,અવ્યાખ્યાયિત સંબંધ સાથે અને જવાબદારીની ભાગીદારી સાથે સતત સાથે રહેવાનું આવે ત્યારે એકબીજાની બૌધિક શક્તિ ઓછી દેખાય અને નબળાઈ સામે આવે.
.
માત્ર પરણિત યુગલ કે રોમેન્ટિક સંબંધ નહિ દરેક સંબંધમાં જ્યારે સતત સહવાસ આવે ત્યારે “ટેક્ન ફોર ગ્રાન્ટેડ ” થવાની શક્યતા વધી જાય અને એકબીજાને સંપૂર્ણ ઓળખી ગયા પછી ક્ષમતાનું સન્માન ઓછું થાય અને નબળા મુદ્દાને વધુ ઘાટા કરીને એકબીજાને સામે મુકવામાં આવે છે. અમૃતા અને ઇમોરઝ અહીં જુદા પડે છે. એક છત નીચે બે ઓળખ અકબંધ રહી શકી અને બે અસ્તિત્વ સાથે ધબકી શક્યા.કારણકે એ અમૃતા અને ઇમરોઝ હતા.
.
હવે એ રૂહાની અને સુહાની સહયાત્રાને નજર સામે રાખીને વાસ્તવિકતાની જમીન પર બે ઘડી બેસીને અમૃતાજી અને ધ વન એન્ડ ઓન્લી ઇમરોઝ સાથે થોડી હૃદયછુટ્ટી વાત કરીએ.
.
હમારી અમ્રિતાજી ,
પહેલી વાત તો એ છે કે, અમૃતા બનવું સહેજ પણ સહેલું નથી. હા, તો વાત એમ છે કે અમારી ભાષામાં તમે રોજ જન્મ લો છો. ક્યારેક સ્ટેજ પર સ્ત્રીની વેદના કહીને રૂવાંડા ઉભા કરવા હોય ત્યારે તમારી કવિતાઓ બોલીએ છીએ, ક્યારેક વુમન ડે પર આયોજિત મહિલા સંમેલનમાં તમારા ક્વોટ વાપરીએ છીએ. “રસીદી ટિકિટ ” તો બધાંએ મોઢે કરી લીધી છે. કારણકે એમાંથી નાના-નાના પીસ લખવામાં મજા પણ આવે છે અને સરળ પણ પડે છે. આજકાલ અમારે “ફેમિનિઝમ “શબ્દ બૉલીવુડથી માંડીને મોડર્ન સોસાયટીમાં ધૂમ મચાવે છે. એમાં પણ તમારા ઉદાહરણો આપીએ એટલે અમારું કામ થઇ જાય છે.
.
અમારા ગોસિપપ્રિય સમાજને તમારા પ્રીતમ સાથેનું છુટ્ટા પડવું, સાહિરને બિન્દાસ્ત પત્રો લખવા અને જીવનનો છેલ્લો પડાવ ઇમરોઝ સાથે રહેવું-એવું બધું બોલવામાં તો મોઢામાં પાણી (વ)છૂટે. એમ પાછા અમે થોડા ડાહ્યા, એટલે અમુક અન ટોલ્ડ સ્ટોરી રાખી છે, જેમ કે સાહિરનો અન્યાય, તમે કઈ રીતે ત્રણેય સંબંધો વચ્ચે તમારી આંતરિક યાત્રા કરી હશે, તત્કાલીન સમાજ વ્યવસ્થા, સ્વાતંત્રતા સંગ્રામ સમયે સ્ત્રીનું માનસિક જગત તમે જે લખ્યું છે તે વગેરે વગેરે …તમે કથા,કહાની, કથાનક તરીકે અમને બહુ ગમો છો એટલે અમે તમને એવી રીતે જ પ્રોજેક્ટ કરીએ છીએ.
.
અમે તમને મહાનતાના એ મુકામ પર મુકવા મંડ્યા છે કે તમે ધીમે ધીમે દંતકથા બની જશો..અને દંતકથા જીવાય નહિ. એટલેજ દરેક સ્ત્રીમાં સળવળતી અમૃતાને અમે રોજ ટપારીને બાજુ પર મૂકીએ છીએ. રખેને કોઈ છોકરી અમૃતા બનવાના સપના જોવે .એ કરતા તમે કોલમ અને સ્ટેજ પર જીવો એ સારું …
.
હમારી અમૃતાના ઇમરોઝ ,
बाप, भाई, दोस्त और खाविंद, किसी लब्ज का कोई रिश्ता नहीं है लेकिन, जब तुम्हें देखा, यह सारे अक्षर गाढ़े हो गए । ઇમરોઝ બનવું તો લગભગ અશક્ય જેવું લાગે છે. સરખી સર્જનનશીલતા,સંવેદનશીલતા અને બૌદ્ધિક ક્ષમતા ધરાવતી બે ઓળખ સાથે રહેતી હોવા છતા સાથે રહેવાની આડઅસરમાંથી કઈ રીતે મુક્ત રહી શકે? તમે જેને સમર્પિત હોય એ સ્ત્રી તમારી બા કાયદા પીઠ પર (પીઠ પાછળ નહિ ) તેના પ્રેમીનું નામ કોતરી શકે. તમે એના શબ્દ પાછળ રહેલી લાગણીનું સાચું સરનામું પણ ખબર હોય અને તે છતા પઝેસીવનેસ નહિ, મેલ ઈગો નહિ, પ્રશ્નો નહિ એવું કેવું ?
.
પરસ્પર સમજણ, સ્નેહ, સંગાથ, સ્વીકૃતિ અને સન્માન પ્રેમના મુખ્ય પાંચ આધાર સ્તંભ છે એવું તો અમે પણ ઘણું વાંચ્યું છે. પરંતુ જીવાય કઈ રીતે ? તમે જેને પ્રેમ કરો છો એ બીજાને પણ કરી શકે તેવું જીરવાય કઈ રીતે ?
.
આમ તો તમારી માટે અમારી પાસે સલામ અને અહોભાવથી વિશેષ કંઈ નથી. તે છતા પુરેપુરી નૈતિકતા અને પારદર્શિતા ભેગી કરીને કહું છું કે, પ્રેમમાં ક્યારેય બંધન કે ઘુટન થાય એવી સ્થિતિ નહિ આવવા દઉં. ઈમોશનલ ઇન્ટલિજન્સની થિયરી જયારે પણ વાંચીશ કે બોલીશ ત્યારે નજર સામે જીવંત ઉદાહરણમાં તમને રાખીશ. ગમતી વ્યક્તિને મેળવવાના ઉધામા કરવાને બદલે શું આપી શકાય એનો વિચાર પહેલા કરીશ. તમારા વિષે સોશિયલ મીડિયા પોસ્ટ લખીને લાઇકની સંખ્યા ઉઘરાવવાની લાલચ રોકીશ અને અંગત સંબંધોની લાઈકને વધુ મહત્વ આપીશ. અને હા છેલ્લે, મિત્ર, સ્નેહી,પ્રિય પાત્ર કે કોઈની પણ સરખામણી તમારી સાથે નહિ કરું. કારણકે મને ખબર છે કે ઇમરોઝ એક જ હોય અને એ તમે છો .
.
प्रेम में डूबी हर स्त्री अमृता होती है या फिर होना चाहती है. पर सबके हिस्से कोई इमरोज नहीं होता, शायद इसलिए भी कि इमरोज होना आसान नहीं.
.
( મેઘા જોશી )

અને ઈમરોઝ ગુજરી ગયા….-એષા દાદાવાળા

.

.અને ઈમરોઝ ગુજરી ગયા….
અને એ સાથે જ વિધવા થઈ ગઈ આપણી અંદરની સુષુપ્ત, કયારેય નહીં મરનારી એ છૂપી અમૃતાઓ…
.
હા, એ અમૃતાઓ જે આપણી એક એવી અતૃપ્ત વાસનાઓનું નામ છે જેમને સિક્યોરિટી માટે પ્રિતમ જોઈએ, દિલફેંક આશિકી માટે એક સાહિર જોઈએ અને છતાં એમને જગતની સર્વશ્રેષ્ઠ સ્ત્રી સમજતો, ખુવાર થતો ઈમરોઝ પણ જોઈએ…
.
આવી તમામ અમૃતાઓ અને અમૃતો આજે વિધવા થઈ ગયા…
.
પ્રેમનો પંચમ ગાનારાઓ પાસે એક આશા હંમેશા હોય છે, જે એમને પ્રેમ જિંદગીભર કરે છે, શરીર આપે છે-લે છે પણ એ પ્રેમીનું નામ કયારેય લેતી નથી…
.
શા માટે?
.
એ અંદરથી કોઈ ગુનાઈત લાગણીથી પીડાય છે?
.
સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ નથી, એમનો કોઈ જુદો જવાબ હોઈ શકે છે, તમારો કોઈ સાવ જુદો જ જવાબ હોઈ શકે છે…
.
ચંદ્રકાંત બક્ષી કહેતા કે કેટલાંક કૂતરાઓ ગળામાં પટ્ટો હોય તો સારી રીતે ભસી શકે છે- આ એવો કોઈ “ગળપટ્ટો” સિન્ડ્રોમ છે? સવાલો ઘણા છે પણ ચોક્કસ ઉત્તરો મળતા નથી!
શા માટે કહેવાતા આઝાદ પંખીઓ એક નામ માત્રની પણ બેડી પહેરીને આખી જિંદગી જુદા જુદા આસમાનોમાં ઉડવાના પ્રયત્નો કરતા રહે છે?
.
શા માટે કહેવાતી બોલ્ડ અને મોડર્ન વ્યકિતઓ ( સ્ત્રી અને પુરુષ બંન્ને) કયારેક જિંદગીમાં થયેલા અન્યાયને તક મળે કે તરત જ ગાઈ વગાડીને ચઘળ્યા કરતી હોય છે? વિકટીમ કાર્ડનો નશો, સિગરેટમાંથી ફૂંકાતા ગાંજાના નશા કરતાં પણ વધુ માલૂમ પડે છે!
.
મરીઝે કહ્યું હતું,
છે એક બે સ્ખલનો મને પણ મંજૂર
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે!
.
આ સ્ખલિત બદનામોને કયારેય ખબર નથી હોતી કે પ્રત્યેક પરપુરુષમાં ( કે પરસ્ત્રીમાં) પોતાનો “સાહિર” શોધવા માંગતા આઝાદ પંખીઓ માટે એ જિંદગીભરનો એક “વિકટીમ પાસપોર્ટ” બનાવી આપે છે જેની પર પોતાનો એક રસીદી સ્ટેમ્પ લગાવી એ પંખીઓ ડાળ ડાળ શોધ્યા કરે છે!
.
પ્રેમ અલબત્ત મહાન છે !
.
સત્ય સર્વદા મહાન છે પણ અર્ધ સત્ય એ અસત્ય કરતાં પણ વધુ જોખમી અને ક્રૂર છે. એવી જ રીતે વાસનાને કે અતૃપ્ત વાસનાને પ્રેમનું રૂપાળું નામ આપવું એ સગવડીયા છિનાળાં છે!
.
તો સાચી અમૃતા કોણ છે? શું છે?
.
એ કવિયત્રી, એ અમૃતા, એ અમૃતા પ્રિતમ આજે જીવતી હોત તો એ દુખી, ખૂબ દુખી ચોક્કસ જ થઈ હોત પણ એ પોતાને વિધવા તો ન જ ગણતી હોત, ઈમરોઝની પાસ્ટ લાઈફના કેનવાસ પર એક રહસ્યમય રેખા બનીને ખામોશીથી બસ
જોયા કરત….જોયા કરતા…જોયા કરત….
ઈમરોઝને!
જોયા કરવું એ
જેના માટે જિંદગીનો શ્વાસ અને
શ્વાસ પેલે પારની જિંદગી છે
એ અમૃતા,
જે પામવાની ઈચ્છા,
મેળવવાની કામના અને
ભોગવવાની વાસનાથી
પેલે પાર જતી રહી છે…
એ અમૃતા…
જે પ્રેમમાં એટલી હદે ઓગળી
ગઈ છે કે ખામોશ લકીર
બનવામાં પોતાનું
અસ્તિત્વ સમેટી રહી છે એ અમૃતા….
તમારી અંદરની અતૃપ્ત “અમૃતાઓ” નક્કી નથી કરતી કે તમે કેટલા “ઈમરોઝ” છો કે કેટલા “સાહીર”છો……
તમારી જિંદગીના કેનવાસ પર બસ ખામોશ રહી તમને જોયા કરતી એક પણ રેખા (લકીર) છે?
જો હોય તો તમને કદાચ ઈમરોઝ કે અમૃતા સમજાશે….
અને તો સમજાશે
કે
શરીરના શ્વાસનું બંધ થવું એ “ફિર મિલાંગાં”ની રહસ્યમય સફરની રોમાંચક શરૂઆત છે…
અને
તો તમે જોઈ શકશો એક આછી પાતળી રેખાને તમારા કેનવાસ પર ઉતરતી….
જો તમે આ મહેસૂસ કરી શકો છો, એ રેખાને જોઇ શકો છો, જોયા જ કરો છો…
તો તમને મુબારક
તમે ઈમરોઝની “વિધવા” નથી!
.
( એષા દાદાવાળા )

मैं तुझे फिर मिलूँगी-જિજ્ઞેશ અધ્યારુ

.

તા. 22 ડિસેમ્બરને શુક્રવારના રોજ ચિત્રકાર ઈન્દ્રજીત સિંહ – ઇમરોઝનું અવસાન થયું. મને નથી લાગતું કે અમૃતા પ્રીતમ – સાહિર અને ઇમરોઝનો પ્રણય ત્રિકોણ હતો. એ એક રેખાના ત્રણ બિંદુઓ હતાં.
.
ઇમરોઝનો પ્રેમ એકપક્ષી હતો, કહેવાતા ‘પ્લેટોનિક’ પ્રેમના એ ધ્વજધર હતાં પણ શું એવો એકપક્ષીય પ્રેમ હકારાત્મક કે પ્રોત્સાહક હોય છે ખરો? ખાસ કરીને ત્યારે જ્યારે તમને ખબર છે કે તમે જેને પ્રેમ કરો છો એ તમને નહીં પણ અન્ય કોઈને ચાહે છે!
.
અમૃતાના ઈ.સ. 1935માં પ્રીતમસિંહ સાથે લગ્નથી એક પુત્ર અને એક પુત્રી થયાં. એમના લગ્ન બહુ ન ટક્યાંં, અમૃતા સાહિર લુધિયાનવીના પ્રેમમાં ગળાડૂબ હતાં. પોતાની આત્મકથા રસીદી ટિકટમાં એ લખે છે, ‘સાહિર ચૂપચાપ મારા રૂમમાં સિગારેટ પીતો. અડધી પીધા પછી એ સિગારેટ હોલવીને નવી સિગારેટ સળગાવતો. જ્યારે તે જતો રહેતો ત્યારે તેની ધૂમ્રપાન કરેલી સિગારેટની ગંધ ઓરડામાં જ રહેતી. હું તે સિગારેટના ઠૂંઠા હાથમાં લઈ એકલામાં ફરી સળગાવતી. જ્યારે હું એ ઠૂંઠા મારી આંગળીઓમાં પકડતી ત્યારે એવું લાગતું કે હું સાહિરના હાથને સ્પર્શ કરી રહી છું.’
.
તો ઇમરોઝ એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘અમૃતાની આંગળીઓ હંમેશા કંઈક લખતી રહેતી. એના હાથમાં પેન હોય કે ન હોય. એણે ઘણી વાર સ્કૂટર પર મારી પાછળ બેસીને મારી પીઠ પર સાહિરનું નામ લખ્યું છે. ભલે, હું પણ એનો અને મારી પીઠ પણ એની..’
આ ભાવ અસહજ છે!
.
અમૃતા એક પુસ્તકના કવર ડિઝાઈન માટે ઇમરોઝ સાથે સંપર્કમાં આવ્યા હતાં. સાહિર સાથેના તેમના સંબંધોની વાત કહેતી રસીદી ટિકટનું કવર ડિઝાઈન પણ ઇમરોઝે કર્યું. ઇમરોઝ ચિત્રકાર હતાં જેમના જીવનનું ચિત્ર મારા મતે અધૂરું રહ્યું.
.
અમૃતા સાહિર તરફ ખૂબ આકર્ષાયેલ હતાં અને ઇમરોઝ અમૃતા તરફ. ઇમરોઝ અને અમૃતા પોતાના સંબંધને કોઈ નામ આપ્યા વગર એક જ ઘરના અલગ અલગ ઓરડામાં ચાલીસ વર્ષ ‘સાથે’ રહ્યાં.
.
મને ઇમરોઝ થવું – ઇમરોઝપણું કદી ગમ્યું નથી. પ્રેમમાં પડેલી દરેક સ્ત્રી અમૃતા થવા માંગતી હશે કે કેમ એ વિચારનો વિષય હોઈ શકે પણ કોઈ ઇમરોઝ થવા માંગતુ ન હોવું જોઈએ.. કદાચ!
.
એક તરફનો પ્રેમ કદી સુખ આપતો નથી. એ અસ્વીકરણ મને બહુ શોષણ કરનારું લાગે છે. એકપક્ષીય પ્રેમનો બીજા પાત્ર દ્વારા સ્વીકાર પણ ન્યાય નથી. અમૃતા અને ઇમરોઝ વચ્ચે પ્રેમને લઈને ભલે સ્પષ્ટતાઓ હતી, ભલે કોણ કોને પ્રેમ કરે છે એ સ્પષ્ટ હતું પણ આ ચાલીસ વર્ષ ઇમરોઝ કઈ આશાને તાંતણે ઝૂલતા રહ્યાં હશે એ સમજી શકાય એવી વાત છે.
.
અમૃતાએ ઇમરોઝ માટે લખ્યું છે –
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
शायद तेरे कल्पनाओं
की प्रेरणा बन
तेरे कैनवास पर उतरुँगी
या तेरे कैनवास पर
एक रहस्यमयी लकीर बन
ख़ामोश तुझे देखती रहूँगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
या सूरज की लौ बन कर
तेरे रंगों में घुलती रहूँगी
या रंगों की बाँहों में बैठ कर
तेरे कैनवास पर बिछ जाऊँगी
पता नहीं कहाँ किस तरह
पर तुझे ज़रूर मिलूँगी
या फिर एक चश्मा बनी
जैसे झरने से पानी उड़ता है
मैं पानी की बूंदें
तेरे बदन पर मलूँगी
और एक शीतल अहसास बन कर
तेरे सीने से लगूँगी
मैं और तो कुछ नहीं जानती
पर इतना जानती हूँ
कि वक्त जो भी करेगा
यह जनम मेरे साथ चलेगा
यह जिस्म ख़त्म होता है
तो सब कुछ ख़त्म हो जाता है
पर यादों के धागे
कायनात के लम्हें की तरह होते हैं
मैं उन लम्हों को चुनूँगी
उन धागों को समेट लूंगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
मैं तुझे फिर मिलूँगी!!
.
ખેર આવતા જન્મે ઇમરોઝને અમૃતા કોઈ શરત વગર પૂર્ણપણે મળે એવી ઈશ્વરને પ્રાર્થના. જો કે આ જન્મે પણ એ પૂર્ણ હતું કે નહીં એ ઇમરોઝ વગર કોણ કહી શકે?
.
( જિજ્ઞેશ અધ્યારુ )

इमरोज़ वो शख्स-ज़ीशान खान

.

इमरोज़ वो शख्स
जो उम्र भर फिरता रहा
अपनी पीठ पर
अपनी प्रेमिका के प्रेमी का नाम लिए,
इमरोज़ वो शख्स
जिसकी मुस्कुराहट की सिर्फ एक वजह थी
अमृता की मुस्कुराहट,
फिर उसकी वजह किसी साहिर का
तसव्वुर ही क्यों न हो,
क्या फर्क पड़ता है,
आखिर अमृता की मुस्कान वजह थी
खुद उसके मुस्कुराने की,
लोग ये कहते है
इमरोज़ ने अमृता के लिए जिंदगी ख़ाक कर दी,
मैं ये कहता हूँ इमरोज़ ने
अपनी ज़िंदगी को बड़ी ही शिद्दत से जिया,
शायद इमरोज़ जानता था इश्क़ किसे कहते है,
अहसासों और जज़्बातों की
कीमत का सही अंदाज़ा था उसे,
सुनो लड़को
इश्क़ सीखना है तो इमरोज़ से सीखो,
ज़रूरी नही के जिसे तुम चाहो
वो भी तुम्हे टूट कर चाहे,
किसी को बाहों में भरने से पहले ही
उसे आज़ाद कर देना इश्क़ है….
सनम नज़र में हो फिर विसाल की ज़रूरत क्या है,
चाँद का दीदार ही काफी है रतजगे के लिए…
अलविदा इमरोज़,
उम्मीद हैं अब जहां तुम होगे वहाँ सिर्फ खुशियां होंगी…
.
( ज़ीशान खान )

इमरोज़ ने नहीं छोड़ा-दीपाली अग्रवाल

 

.May be an image of 2 people and people smiling

इमरोज़ का नाम आते ही अमृता प्रीतम याद आ जाती हैं, चूंकि वे उनकी मशहूर प्रेम कहानियों का एक बड़ा हिस्सा थे। उनके जीवन के महत्वपूर्ण किरदार जिसने अपने सारे वजूद को अमृता की छांव बना लिया। उनकी मृत्यु हो गई है, इमरोज़ की मृत्यु हो गई है अमृता के जाने के लगभग 18 साल बाद। उनके क़रीबी बताते हैं कि वे अक्सर ही अमृता को याद करते रहते और कहते कि वो यहीं-कहीं मौजूद है। इमरोज़ से लोग इस प्रेम कहानी के आकर्षण में मिलना भी चाहते थे। उन्हें फ़ोन लगाते और अमृता के बारे में पूछते, पहले तो वे कई कार्यक्रमों में नज़र भी आए फिर जाना बंद कर दिया, उम्र का असर रहा होगा शायद।
.
लेकिन इमरोज़ एक मशहूर पेंटर भी थे, उन्होंने कई किताबों के आवरण तैयार किए, अपनी उम्र के आख़िरी पड़ाव तक भी उनकी कूची किताबों के लिए रंग भर रही थी। 26 जनवरी, 1926 को पंजाब में पैदा हुए इंद्रजीत 1966 में लगभग 40 की उम्र में अमृता से मिले थे। अमृता से एक कलाकार के तौर पर जुड़े और वहीं से नाम बदल कर किया इमरोज़। उनकी औऱ अमृता का दोस्ती गहराती गई। अमृता अपने पति प्रीतम से अलग हो चुकी थीं और 2 बच्चों की मां थीं, वह साहिर के प्रेम में थीं और इमरोज़ अमृता के। अमृता और इमरोज़ के शारीरिक संबंध न थे जबकि वह एक छत्त के नीचे रहते थे, लोग इसे प्लेटोनिक लव मानते हैं। अमृता रात में लिखती रहतीं और इमरोज़ चाय का कप रख जाते।
.
एक बार गुरुदत्त ने इमरोज़ की पेंटिंग से प्रभावित होकर उन्हें बंबई बुलाया, अमृता ने उन्हें जाने भी दिया, वो बंबई भी पहुंच भी गए कि अमृता ने तार भेजा कि बुखार में हैं और इमरोज़ वहां से वापस दिल्ली आ गए। अमृता प्रीतम राज्यसभा गईं तो वो उन्हें छोडने जाते कि लोग उन्हें ड्राइवर समझ बैठे थे। इमरोज़ ने अपने अस्तित्व को अमृता में मिला दिया था। उनका प्रेम बिना किसी आकांक्षा और इच्छा के था। वह उनकी साथ चाहते थे। इमरोज़ ने उनके लिए कविताएं भी लिखीं, उनके जाने के बाद भी, वे अमृता को ही याद करते रहते और मानते कि वह कभी मरी ही नहीं हैं। सच है कि प्रेम मरता ही कहां है, वह तो भीतर ही मौजूद रहता है। अमृता ने भी इमरोज़ के लिए लिखा था कि मैं तैनूं फिर मिलांगी औऱ ये नज़्म ख़ूब लिखी-पढ़ी और सुनी गई।
अमृता की वो किताब जो उनके और साहिर के क़िस्से कहती है रसीदी टिकट, उसका आवरण इमरोज़ ने तैयार किया था। इमरोज़ जैसा प्रेम वाकई विरले ही कर पाते हैं, ख़ुद को खोकर किसी के जीवन की चमक बनना आसान कहां है। इमरोज़ से एक दफ़ा अमृता ने कहा था कि वो पूरी धरती का चक्कर लगा ले और लगे कि अब भी अमृता के साथ ही रहना है तो वह इंतज़ार करती मिलेंगी। इमरोज़ ने अमृता का चक्कर लगाकर कहा कि हो गया पूरी धरती की चक्कर और वह उनके साथ ही रहेंगे।
.
इमरोज़ ने वो साथ अभी तक नहीं छोड़ा था, वह अपनी स्मृतियों और अपने होने भर से ही उऩकी मौजूदगी का एहसास करवाते थे। अब अमृता का धरती पर स्मरण करवाने के लिए वो देह नहीं बची। मुहब्बत में ज़िंदगी में ऐसे भी जी जाती है क्या भला।
.
( दीपाली अग्रवाल )

She Live On-Uma Trilok

.

मेरी किताब “She Live On“ के पन्नो से…
मैंने एक बार इमरोज़ जी से पूछा, “ इमरोज़ जी, अमृता जी को उनके लेखन पर, उनकी शख़्सियत पर इतनी वाह वाही मिलती है और आपको कई बार कुछ लोग पहचानते तक भी नहीं, आपको बुरा नहीं लगता ? “
.
तब वह हंस कर बोले, “तुम्हें हम अलग अलग लगते हैं क्या, भोलिऐ , अमृता और मैं तो एक ही हैं , वह वाह वाही तो मुझे भी मिल रही होती है ना“
.
मुझे श्रीकृष्ण और राधा रानी का क़िस्सा याद आ गया….
.
जब श्रीकृष्ण वृंदावन छोड़ कर जा रहे थे तो राधा जी ने उनसे कहा, “कान्हा, मैं तुम्हारे बिना कैसे रहूँगी ? तुम मुझ से ब्याह कर लो और अपने साथ ले चलो”.
श्रीकृष्ण मुँह मोड़ कर खड़े हो गये और राधा जी ने सोचा वह मना कर रहे है, तब श्री कृष्ण ने कहा था “राधे , ब्याह रचाने के लिए दो लोगों की ज़रूरत होती है, तुम और मैं तो एक ही हैं“
.
ऐसा प्यार कलियुग में भी घटा लेकिन लोगों ने नहीं समझा
.
.
( उमा त्रिलोक )

अमृता गई ही नहीं-उमा त्रिलोक

.

प्रोमिला जी ने ठीक ही कहा कि माजा ( इमरोज़ अमृता जी को प्यार से माजा बुलाते थे ) गई ही नहीं वह इमरोज़ जी के साथ ही थी.
मुझे याद है अमृता जी के दाह संस्कार के वक्त, जब इमरोज़ जी एक कोने में अकेले खड़े थे तो मैंने उनके कंधे पा हाथ रख कर कहा था “इमरोज़ जी अब उदास नहीं होना, आपने तो दिलों जान से सेवा की थी फिर भी….”
.
उन्होंने बात काट कर कहा था….
“उमा जी, उसने जाना कहाँ है यही रहना है मेरे आले दुआले ,,,, मैं तो खुश हूँ , जो मैं नहीं कर सका वह मौत ने कर दिया , उसे उसके दर्द से निजात दिला दी ।
.
और वह तो हमेशा यही कहते “वह गई नहीं , उसने शरीर छोड़ा है साथ नहीं , जब तक मैं ज़िंदा हूँ वह मेरे साथ ज़िंदा है “
.
इमरोज़ जी अमृता जी का कमरा आज भी रोज़ सजाते, ताज़े एडेनियम के फूलों से महकाते, उनके लिए खाना पकाते,पूछने पर कहते, “ मैंने पनीर की भुजिया बनायी है या मैंने वेज सूप बनाया है जो अमृता को बहुत पसंद है“ और फिर प्लेट में परोस कर उनके कमरे में ले जाते …
.
मैं कभी कभी यह सोचती वह अभी भी कल्पना की दुनिया मैं रह रहें हैं लेकिन कुछ वाक़यात तो ऐसे थे कि मुझे भी चकित कर देते और यक़ीन हो जाता कि वे दोनों अभी भी साथ साथ हैं ।
.
बहुत से ऐसे वाक़यात का ज़िक्र मैंने अपनी किताब “ She Lives On“ में किया है । उन सब बातों के बाद तो मुझे भी यक़ीन हो गया था कि वह दोनों साथ साथ हैं.
.
यह किताब “She Lives On “ का गुजराती अनुवाद है.
.
(उमा त्रिलोक )

इमरोज़ हो नहीं सकते-प्रतिक्षा गुप्ता

इमरोज़ हो नहीं सकते
,
मेरे दिल में व्यक्ति इमरोज़ के लिए बहुत इज़्ज़त है। हमेशा रहेगी। इसलिए नहीं कि वह अमृता प्रीतम को अमाप प्रेम करते थे, जो कइयों के लिए आला लेखिका हैं। बल्कि इसलिए कि वह अमृता-साहिर वग़ैरह से ज़्यादा बड़े प्रेमी और मनुष्य थे। कहीं ज़्यादा बड़ा कवि-जीवन उन्होंने जिया, बड़ी कविता संभव किए बग़ैर।
.
ऐसा बहुत कम लोग कर पाते हैं। कविता जैसा जीवन जीना। अपना प्रेम चुनना। उसे हर हाल जीना। दुनिया की न परवाह करने का दम भरनेवाले आज के ज़माने से बहुत पहले दुनिया को नाकुछ साबित करके गरिमा से सर्वप्रिय बन जाना आसान नहीं।
.
इमरोज़ हमारे संसार का सुख थे। हममें से न जाने कितने हैं, जो अपने लिए एक इमरोज़ चाहते हैं। इमरोज़ होना चाहते हैं। हो नहीं सकते! उन जैसा अन्तःकरण असंभव है।
.
( प्रतिक्षा गुप्ता )

अलविदा इमरोज़-उमा त्रिलोक

.

सुविख्यात कवियत्री अमृता प्रीतम के पीछे कौन शख़्स ताउमर खड़ा रहा जिस को मुखातिब होकर वह कहा करती थी, “ ईमा, ईमा,तूँ दूर ना जाया कर , मेरे आले दुआले ई रिया कर, तेरा दूर जाना मैनु चंगा नई लगदा “ ( ईमा ईमा ( प्यार से अमृता, इमरोज़ को ईमा बुलाया करती थीं ) तुम दूर मत जाया करो, मेरे आस पास ही रहा करो, तुम्हारा दूर जाना मुझे अच्छा नहीं लगता )
.
याद आता है वह वाकया जब निर्देशक गुरुदत्त के बुलावे पर इमरोज़ मुंबई चले गए थे तो अमृता जी ने उन्हें ख़त में लिखा था, “जब से तुम गये हो मुझे बुख़ार चढ़ा हुआ है और जो फल तुम ख़रीद कर रख गये थे वह भी ख़त्म हो गए है । तुम तो जानते ही हो मैं कुछ भी ख़रीद करने बाहर नहीं जाती“
.
ख़त पढ़ते ही इमरोज़ जी नौकरी छोड़ कर अपनी अमृता के पास तुरंत दिल्ली लौट आये थे । वह जानते थे अमृता उनकी ग़ैरहाज़िरी में कैसे मुश्किल में रह रही है ।
.
बहुत कम लोग जानते थे कि अमृता के पीछे कौन शख़्स खड़ा है जिसके बिना अमृता निःसहाय सी महसूस करती रहती थीं । पूछती थी वह किसे अपनी कविता, कहानी या नावेल सुनाये ? इमरोज़ के बिना वह बहुत अकेली महसूस करती थीं ।
.
मैं हैरान हूँ अमृता जी ने स्वर्ग में , इमरोज़ के बिना १८ साल कैसे बिताये होंगे जिस इमरोज़ ने हर मुसीबत में उनका हाथ थामे रखा और हर आँधी , तूफ़ान , बाढ़ से बचाये रखा !
मुझे यक़ीन है अब जब वह इमरोज़ जी को मिली होंगी तो ज़रूर कहा होगा “क्यों ईमा, ऐनी देर क्यों लायी ?“ ( क्यों इमरोज़, इतनी देर क्यों लगायी )
.
( उमा त्रिलोक )